વાવાઝોડાના કારણે વાવઝોડા પર અસર, ચક્રવાત ખતરનાક બનશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-06 17:13:14

ગુજરાતમાં સંભવિત ચક્રવાતને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે તે ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે અંગેની સંભાવનાઓ અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. 


દરિયામાં 60થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે


અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ અનુસાર આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ લઈ શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે. દરિયામાં 60થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. વાવાઝોડાની અસરથી દરિયામાં ઉંચા મોજા ઉછળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. દરિયાના એક હજાર માઈલના અંતરમાં તેની અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું પડી શકે છે. 


હવામાન વિભાગની આગાહી શું છે?


ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ગરમીના પ્રકોપ વચ્ચે આગામી 9 અને 10 જૂનના રોજ રાજ્યમાં વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં 15-16 જૂને વરસાદની શક્યતા


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ મોડું 10-11 જૂનથી ભારતમાં અને ગુજરાતમાં 15-16 જૂને આવે તેવી શક્યતા છે. હાલ અરબ સાગરમાં આવનારા વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું થયું છે. લક્ષદીપમાં વાવાઝોડું આવવાની શક્યતાથી વાદળનો સમૂહ લો પ્રેશર તરફ ખસી જતા ચોમાસુ મોડું થશે. દક્ષિણ ગોળાર્ધમાંથી હવાના ભારે દબાણને લીધે આવતું વરસાદી વહન વિષુવૃત આવતા ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન વિષુવૃત ઉપર હોવી જોઈએ. વિષુવૃત ઉપર સાનુકૂળ હવામાન બાને અને મોસમી પવન ઉદભવે અને આ પવનો ભારતમાં આવતા મેડાગાસ્કર ટાપુ ઉપર થઈને દક્ષિણ પશ્ચિમ કેરલ તરફ વહેવા લાગે ત્યારે ખરું ચોમાસુ કહેવાય. પરંતુ આ વર્ષે આ સિસ્ટમ સાનુકૂળ નથી બની જેના કારણે ચોમાસુ વિલંબ બન્યું. જો કે 5-6-7 જૂને કેરળમાં કેરળમાં વરસાદ થઇ શકે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સારી થતા વરસાદ આવી શકે છે એટલે ચોમાસુ એક અઠવાડિયા જેટલું મોડું પડી શકે છે. ગુજરાતમાં વિધિવત ચોમાસુ 22-23-34 થી 8 જુલાઈમાં આવી શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.