Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો કઈ તારીખ દરમિયાન આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-08 10:58:27

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. એવું લાગતું હતું કે હવે માવઠું નહીં આવે પરંતુ ફરી એક વખત જગતના તાતની ચિંતા વધે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસમાં તાપમાનમાં તો ઘટાડો નોંધાશે પરંતુ કમોસમી વરસાદના મારને સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ફરી એક વાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. કરા સાથે વરસાદ આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

એક સાથે ત્રણ ઋતુનો થતો હતો અહેસાસ!

પહેલા એક સમય હતો જ્યારે બહુ ઓછા ચક્રવાતો આવતા હતા પરંતુ હવે તો અવાર-નવાર સિસ્ટમ સક્રિય થાય છે જેને કારણે વાતાવરણ પર ગંભીર અસર પડે છે. થોડા દિવસો પહેલા ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગમે ત્યારે વરસાદ આવતો, ગમે ત્યારે ઠંડીના ચમકારાનો અનુભવ થતો તેમજ ગરમી પણ જોવા મળતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઋતુચક્ર પર પડી રહી છે. શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હજી પણ માવઠાનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 


આ તારીખો દરમિયાન આવી શકે છે કમોસમી વરસાદ!

કમોસમી વરસાદ અંગેની આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે જેની અસર ગુજરાતના વાતવારણ પર પડશે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે ગુજરાતમાં 13 અને 14  ડિસેમ્‍બરે માવઠુ પડવાની શકયતા છે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે થોડા દિવસોથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.