Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો કઈ તારીખ દરમિયાન આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-08 10:58:27

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. એવું લાગતું હતું કે હવે માવઠું નહીં આવે પરંતુ ફરી એક વખત જગતના તાતની ચિંતા વધે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસમાં તાપમાનમાં તો ઘટાડો નોંધાશે પરંતુ કમોસમી વરસાદના મારને સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ફરી એક વાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. કરા સાથે વરસાદ આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

એક સાથે ત્રણ ઋતુનો થતો હતો અહેસાસ!

પહેલા એક સમય હતો જ્યારે બહુ ઓછા ચક્રવાતો આવતા હતા પરંતુ હવે તો અવાર-નવાર સિસ્ટમ સક્રિય થાય છે જેને કારણે વાતાવરણ પર ગંભીર અસર પડે છે. થોડા દિવસો પહેલા ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગમે ત્યારે વરસાદ આવતો, ગમે ત્યારે ઠંડીના ચમકારાનો અનુભવ થતો તેમજ ગરમી પણ જોવા મળતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઋતુચક્ર પર પડી રહી છે. શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હજી પણ માવઠાનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 


આ તારીખો દરમિયાન આવી શકે છે કમોસમી વરસાદ!

કમોસમી વરસાદ અંગેની આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે જેની અસર ગુજરાતના વાતવારણ પર પડશે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે ગુજરાતમાં 13 અને 14  ડિસેમ્‍બરે માવઠુ પડવાની શકયતા છે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે થોડા દિવસોથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."