Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો કઈ તારીખ દરમિયાન આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-08 10:58:27

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. એવું લાગતું હતું કે હવે માવઠું નહીં આવે પરંતુ ફરી એક વખત જગતના તાતની ચિંતા વધે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસમાં તાપમાનમાં તો ઘટાડો નોંધાશે પરંતુ કમોસમી વરસાદના મારને સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ફરી એક વાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. કરા સાથે વરસાદ આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

એક સાથે ત્રણ ઋતુનો થતો હતો અહેસાસ!

પહેલા એક સમય હતો જ્યારે બહુ ઓછા ચક્રવાતો આવતા હતા પરંતુ હવે તો અવાર-નવાર સિસ્ટમ સક્રિય થાય છે જેને કારણે વાતાવરણ પર ગંભીર અસર પડે છે. થોડા દિવસો પહેલા ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગમે ત્યારે વરસાદ આવતો, ગમે ત્યારે ઠંડીના ચમકારાનો અનુભવ થતો તેમજ ગરમી પણ જોવા મળતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઋતુચક્ર પર પડી રહી છે. શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હજી પણ માવઠાનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 


આ તારીખો દરમિયાન આવી શકે છે કમોસમી વરસાદ!

કમોસમી વરસાદ અંગેની આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે જેની અસર ગુજરાતના વાતવારણ પર પડશે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે ગુજરાતમાં 13 અને 14  ડિસેમ્‍બરે માવઠુ પડવાની શકયતા છે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે થોડા દિવસોથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.