વરસાદના ચોથા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહયું


  • Published By :
  • Published Date : 2023-08-16 15:03:40

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. છુટાછવાયા ઝાપટાં સિવાય રાજ્યમાં ભારે વરસાદના કોઈ સમાચાર નથી. જો કે રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ હજુ બાકી જ છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શુભારંભ થશે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.


વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે


અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. 17થી 19 ઓગસ્ટ અને 21થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. તો 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેઓએ જણાવ્યું છે કે, 21 ઓગસ્ટ બાદ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે. વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થશે. ગ્રહોની સ્થિતી બદલાતા આગામી 72 કલાકમાં ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદ પડશે.


મઘા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને લાભ


અંબાલાલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 30 અને 31 ઓગસ્ટે મઘ નક્ષત્રમાં સારો વરસાદ થશે. મઘા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને લાભ થશે. 16 ઓગસ્ટના અગસ્ત્યના તારાનો ઉદય થતો હોવાથી વરસાદ હવે હેલી બંધ ન થાય, પરંતુ અલગ-અલગ ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. જ્યારે વરસાદ ગયો નથી. અગસ્ત્યના ઉદય બાદ નદી સરોવર નિર્મળ થતા હોય છે. તેના ઉદય પછીનું પાણી સારું ગણાતું હોય છે.


સિઝનનો 80.69 ટકા વરસાદ


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે