આ મહિનામાં કેવો રહેશે મેઘરાજાનો મિજાજ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-03 18:09:02

રાજ્યમાં મેઘરાજાએ ઓગસ્ટ મહિનામાં પોરો ખાતા ખેડૂતોથી લઈને સરકારની પણ ચિંતા વધી ગઈ છે. ખેડૂતોએ વરાપ થયા બાદ વાવણી તો કરી છે પણ ત્યાર બાદ પણ વરસાદની હાલ તાતી જરૂર છે, વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયા છે. ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની મૂઝવણ દુર થાય તેવા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભલે ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થયો પણ સપ્ટેમ્બર મહિનો કોરો નહીં જાય. તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વારસાદ પડી શકે છે. 


10થી 14 સપ્ટેમ્બર મેઘમહેર થશે


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. બંગાળની ખાડીમાં જબરદસ્ત સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે 4 સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં મેઘ મહેર થશે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે અને 10 સપ્ટેમ્બર સુધી વાતાવરણ યથાવત રહેશે. અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદનું જોર ગુજરાતમાં વધવાની આશા છે.


રાજ્યના આ ભાગોમાં થશે વરસાદ


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ  લૉ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. ચોમાસાની ગતિવિધિ ફરી સક્રિય થશે. હિંદ મહાસગારમાં સાનુકુળ પરિસ્થિતિ સર્જાશે. આ બધા પરિબળો સાનુકુળ રહેતા વરસાદની શક્યતા રહેશે. 10થી 15 સપ્ટેમ્બર સુધીના આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે