અંબાલાલ પટેલની આગાહી 'હજુ માવઠાથી નહીં મળે છુટકારો કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર'


  • Published By :
  • Published Date : 2023-11-29 14:12:21

રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોની દશા કફોડી બની છે, ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો છે. સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ અને કરા વર્ષા થતાં ખેડૂતોની પાક લણવાની આશા ઠગારી નિવડી છે. હવે આ પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનામાં હવામાનની શું સ્થિતી રહેશે તે અંગે આગાહી કરી છે. 


હજુ માવઠાનું સંકટ યથાવત


હવમાનશાસ્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. તેમણે કહ્યું કે હજુ માવઠાથી છુટકારો નહીં થાય. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવા છે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.


બંગાળની ખાડીમાં ચક્રવાત 

અંબાલાલ પટેલે વધુ એક ચક્રવાતની આગાહી કરતા જણાવ્યું હતું  કે 2થી 4 ડિસેમ્બરના દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાત 8 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે. આ ચક્રવાતના કારણે દક્ષિણ-પૂર્વીય ભાગોમાં માવઠું થશે. ભેજવાળા પવનો પશ્ચિમી પવનો સાથે મર્જ થતાં વાદળછાયું વાતાવરમ અને કમોસમી વરસાદ થશે. ભારે પવન અને કરા વરસાદ પણ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.