અંબાલાલ પટેલની આગાહી 'હજુ માવઠાથી નહીં મળે છુટકારો કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર'


  • Published By :
  • Published Date : 2023-11-29 14:12:21

રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોની દશા કફોડી બની છે, ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો છે. સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ અને કરા વર્ષા થતાં ખેડૂતોની પાક લણવાની આશા ઠગારી નિવડી છે. હવે આ પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનામાં હવામાનની શું સ્થિતી રહેશે તે અંગે આગાહી કરી છે. 


હજુ માવઠાનું સંકટ યથાવત


હવમાનશાસ્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. તેમણે કહ્યું કે હજુ માવઠાથી છુટકારો નહીં થાય. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવા છે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.


બંગાળની ખાડીમાં ચક્રવાત 

અંબાલાલ પટેલે વધુ એક ચક્રવાતની આગાહી કરતા જણાવ્યું હતું  કે 2થી 4 ડિસેમ્બરના દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાત 8 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે. આ ચક્રવાતના કારણે દક્ષિણ-પૂર્વીય ભાગોમાં માવઠું થશે. ભેજવાળા પવનો પશ્ચિમી પવનો સાથે મર્જ થતાં વાદળછાયું વાતાવરમ અને કમોસમી વરસાદ થશે. ભારે પવન અને કરા વરસાદ પણ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.