રાજ્યમાં આગામી મહિનામાં હવામાનની સ્થિતી અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખડૂતોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-29 14:28:17

રાજ્યના તમામ ભાગોમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા હવે મનમૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા વરસાદ આગામી મહીનામાં પણ કેવી અમી વર્ષા કરશે તેના પર સૌની નજર છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 


ખેડૂતોને આપી આ સલાહ


અંબાલાલ પટેલે વરસાદનો વરતારો કાઢતા કહ્યું છે કે, ખેડૂતોએ વરાપ કરીને વાવેતર કરવું હિતાવહ છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે.આ સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે. 


8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે


રાજ્યમાં આગામી મહિને પણ વરસાદનું જોર રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.  રાજ્યમાં 8 જુલાઈ સુધી  દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ વલસાડ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તે જ પ્રકારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 


નવસારી અને વલસાડ જિલ્લામાં એલર્ટ 


રાજ્યના હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ બંને જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. તો સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નવસારીમાં હાલ NDRFની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.