Ambani પરિવારે Jamnagarમાં આખું જંગલ ઊભું કર્યું!, Vantara Anant Ambaniનું સપનું હતું! જુઓ પ્રાણીઓની સુંદર તસવીરો જેને જોઈ તમે પણ કહેશો વાહ...!


  • Published By :
  • Published Date : 2024-02-27 14:05:23

અંબાણી પરિવાર આમ તો અત્યારે અનંત અંબાણીના લગ્ન માટે ચર્ચાઓમાં છે પણ વધુ ચર્ચામાં એટલે પણ છે કારણ કે અનંત અંબાણીના લગ્ન પહેલા અંબાણી પરિવાર સમાજને એક સંદેશ પૂરો પાડવા માગે છે કે સમાજ માટે આપણું પણ કર્તવ્ય હોય છે! પોતાની લાઈફસ્ટાઈલને લઈ તો અંબાણી પરિવાર ચર્ચામાં રહેતો હોય છે પરંતુ સમાજ માટે કરવામાં આવતા કાર્યો પણ લોકોના દિલ જીતી લે છે. પ્રિવેડિંગને લઈ જામનગરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે તે પહેલા અનંત અંબાણીના સપના સમાન ગણાતા વનતારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. 

જામનગરમાં કરાયું છે પ્રિવેડિંગ ઈવેન્ટનું આયોજન!

લગ્ન હોય કે નાનામાં નાની ઈવેન્ટ અંબાણી પરિવારમાં તેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. અંબાણી પરિવારને જોઈ લોકો કહેતા હોય છે કે પૈસો હોય તો બધુ કરી શકાય, તે વાત સાચી પરંતુ પૈસા હોવા અને તેને વાપરવા માટે જીગર જોઈએ! જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિવેડિંગ યોજાવાનું છે. પ્રિ વેડિંગ ઈવેન્ટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવવાના છે. પ્રિવેડિંગને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે પહેલા અંબાણી પરિવાર દ્વારા વનતારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.


અનંત અંબાણીએ આ પ્રોજેક્ટને લઈ કહી આ વાત!

આ પ્રોગ્રામમાં ખાસ શું છે તો આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશેની વાત પોતે અનંત અંબાણીએ કરી છે. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું કે આ કરવા પાછળ તેમનું ઈન્સપીરેશન કોણ છે? ‘વાઇલ્ડ લાઇફ બચાવવા માટે મને મારી મા પાસેથી પ્રેરણા મળી છે.. મારી માએ બાળપણથી જ શીખવ્યું હતું કે કેવી રીતે પશુઓની સેવા કરવી જોઇએ. 

અનંત અંબાણીને પ્રાણીઓ પ્રત્યે છે પ્રેમ! 

રેસ્ક્યૂ સેન્ટરમાં શું ખાસ છે તો , પશુઓ માટે રેસ્ક્યૂ સેન્ટર ‘વનતારા’માં 6 સર્જરી સેન્ટર છે. સાથે જ રેસ્ક્યૂ સેન્ટરમાં પેશન્ટ વોર્ડ, MRI મશીન અને CT સ્કેનની પણ સુવિધા છે. રેસ્ક્યૂ સેન્ટરમાં રોબોટિક સર્જરી મશીન અને લેબ પણ છે. અત્યાર સુધી 25000 થી વધુ પશુઓનું રેસ્ક્યૂ આ સેન્ટરમાં કરાયું છે. અંનત અંબાણીની વાતો પરથી જ ખ્યાલ આવે કે એમને અનંત પ્રાણી પ્રેમ છે સાથે તેમણે એક સુંદર વાત કહી કે મારી માં એ હમેશા મને પુણ્ય કરતાં શીખવ્યું છે અને આ અંબાણી પરિવારના બધા સભ્યોમાં જોયું છે માણસ જોડે પૈસો હોય તો એ બધુ કરી શકે છે પણ પૈસા સાથે સંસ્કાર અને દયાભાવ આ તો ખૂબ ઓછા લોકોમાં હોય છે અને એનું ઉદાહરણ પણ અંબાણી પરિવાર પૂરો પાડે છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે