Ambani પરિવારે Jamnagarમાં આખું જંગલ ઊભું કર્યું!, Vantara Anant Ambaniનું સપનું હતું! જુઓ પ્રાણીઓની સુંદર તસવીરો જેને જોઈ તમે પણ કહેશો વાહ...!


  • Published By :
  • Published Date : 2024-02-27 14:05:23

અંબાણી પરિવાર આમ તો અત્યારે અનંત અંબાણીના લગ્ન માટે ચર્ચાઓમાં છે પણ વધુ ચર્ચામાં એટલે પણ છે કારણ કે અનંત અંબાણીના લગ્ન પહેલા અંબાણી પરિવાર સમાજને એક સંદેશ પૂરો પાડવા માગે છે કે સમાજ માટે આપણું પણ કર્તવ્ય હોય છે! પોતાની લાઈફસ્ટાઈલને લઈ તો અંબાણી પરિવાર ચર્ચામાં રહેતો હોય છે પરંતુ સમાજ માટે કરવામાં આવતા કાર્યો પણ લોકોના દિલ જીતી લે છે. પ્રિવેડિંગને લઈ જામનગરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે તે પહેલા અનંત અંબાણીના સપના સમાન ગણાતા વનતારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. 

જામનગરમાં કરાયું છે પ્રિવેડિંગ ઈવેન્ટનું આયોજન!

લગ્ન હોય કે નાનામાં નાની ઈવેન્ટ અંબાણી પરિવારમાં તેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. અંબાણી પરિવારને જોઈ લોકો કહેતા હોય છે કે પૈસો હોય તો બધુ કરી શકાય, તે વાત સાચી પરંતુ પૈસા હોવા અને તેને વાપરવા માટે જીગર જોઈએ! જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિવેડિંગ યોજાવાનું છે. પ્રિ વેડિંગ ઈવેન્ટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવવાના છે. પ્રિવેડિંગને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે પહેલા અંબાણી પરિવાર દ્વારા વનતારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.


અનંત અંબાણીએ આ પ્રોજેક્ટને લઈ કહી આ વાત!

આ પ્રોગ્રામમાં ખાસ શું છે તો આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશેની વાત પોતે અનંત અંબાણીએ કરી છે. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું કે આ કરવા પાછળ તેમનું ઈન્સપીરેશન કોણ છે? ‘વાઇલ્ડ લાઇફ બચાવવા માટે મને મારી મા પાસેથી પ્રેરણા મળી છે.. મારી માએ બાળપણથી જ શીખવ્યું હતું કે કેવી રીતે પશુઓની સેવા કરવી જોઇએ. 

અનંત અંબાણીને પ્રાણીઓ પ્રત્યે છે પ્રેમ! 

રેસ્ક્યૂ સેન્ટરમાં શું ખાસ છે તો , પશુઓ માટે રેસ્ક્યૂ સેન્ટર ‘વનતારા’માં 6 સર્જરી સેન્ટર છે. સાથે જ રેસ્ક્યૂ સેન્ટરમાં પેશન્ટ વોર્ડ, MRI મશીન અને CT સ્કેનની પણ સુવિધા છે. રેસ્ક્યૂ સેન્ટરમાં રોબોટિક સર્જરી મશીન અને લેબ પણ છે. અત્યાર સુધી 25000 થી વધુ પશુઓનું રેસ્ક્યૂ આ સેન્ટરમાં કરાયું છે. અંનત અંબાણીની વાતો પરથી જ ખ્યાલ આવે કે એમને અનંત પ્રાણી પ્રેમ છે સાથે તેમણે એક સુંદર વાત કહી કે મારી માં એ હમેશા મને પુણ્ય કરતાં શીખવ્યું છે અને આ અંબાણી પરિવારના બધા સભ્યોમાં જોયું છે માણસ જોડે પૈસો હોય તો એ બધુ કરી શકે છે પણ પૈસા સાથે સંસ્કાર અને દયાભાવ આ તો ખૂબ ઓછા લોકોમાં હોય છે અને એનું ઉદાહરણ પણ અંબાણી પરિવાર પૂરો પાડે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.