Ambani Parivar પહોંચ્યો Dhirubhai Ambaniની જન્મભૂમિ ચોરવાડ, અનંતે કહ્યું- 'આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ..'


  • Published By :
  • Published Date : 2024-03-13 13:39:03

જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં સામેલ થવા દેશ વિદેશથી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન સહિતના લોકો આવ્યા હતા. જામનગર ખાતે આયોજીત કરવામાં આવેલો કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ બીજા અનેક સ્થળો પર અંબાણી પરિવાર જઈ રહ્યો છે. ગઈકાલે અંબાણી પરિવાર ચોરવાડ પહોંચ્યો હતો. ચોરવાડ એટલે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ. ચોરવાડ પહોંચી અનંત અંબાણીએ જે વાત કરી તે ઈમોશનલ કરી દે તેવી છે...

અનંત અંબાણીએ કર્યા દાદા ધીરૂભાઈ અંબાણીને યાદ

અંબાણી પરિવાર ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ગઈ કાલે પહોંચ્યો હતો. અનંત અને રાધિકા તેમના દાદી કોકીલાબેન સાથે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અંબાણી, રાધિકા અને કોકીલાબેન અંબાણી ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના દર્શન માટે પણ ગયા હતા અને બાદમાં રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનંત અંબાણીએ દાદાને યાદ કરતાં કહ્યું કે આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. 


અહીંથી 10 ધીરૂભાઈ ઉભા થવા જોઈએ - અનંત અંબાણી

વધુમાં તેમણે કહ્યું કે હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. 



અંબાણી પરિવારના કાર્યક્રમમાં દેખાઈ આવે છે ગુજરાતીપણુ 

અંબાણી પરિવાર ભલે દુનિયાના ધનિક પરિવારમાંથી એક હોય પણ જ્યારે પણ એમના ઘરે પ્રસંગ હોય ત્યારે એ લોકો બધાને એવું ફીલ કરાવે છે કે એ ગ્રાસ રૂટ સાથે જોડાયેલા છે એ પછી જામનગરમાં સમૂહ ભોજન રાખવાનું હોય 51000 લોકોને જમાડવાની વાત હોય કે પછી રિલાયન્સના ઍમ્પલોય માટે ફંક્શન રાખવાની વાત હોય એ બધા દરેક કાર્યક્રમ દરમિયાન એવું કહેતા દેખાયા છે કે અમે જે પણ છીએ એ તમારા કારણે છીએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.