Ambani Parivar પહોંચ્યો Dhirubhai Ambaniની જન્મભૂમિ ચોરવાડ, અનંતે કહ્યું- 'આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ..'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 13:39:03

જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં સામેલ થવા દેશ વિદેશથી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન સહિતના લોકો આવ્યા હતા. જામનગર ખાતે આયોજીત કરવામાં આવેલો કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ બીજા અનેક સ્થળો પર અંબાણી પરિવાર જઈ રહ્યો છે. ગઈકાલે અંબાણી પરિવાર ચોરવાડ પહોંચ્યો હતો. ચોરવાડ એટલે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ. ચોરવાડ પહોંચી અનંત અંબાણીએ જે વાત કરી તે ઈમોશનલ કરી દે તેવી છે...

અનંત અંબાણીએ કર્યા દાદા ધીરૂભાઈ અંબાણીને યાદ

અંબાણી પરિવાર ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ગઈ કાલે પહોંચ્યો હતો. અનંત અને રાધિકા તેમના દાદી કોકીલાબેન સાથે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અંબાણી, રાધિકા અને કોકીલાબેન અંબાણી ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના દર્શન માટે પણ ગયા હતા અને બાદમાં રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનંત અંબાણીએ દાદાને યાદ કરતાં કહ્યું કે આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. 


અહીંથી 10 ધીરૂભાઈ ઉભા થવા જોઈએ - અનંત અંબાણી

વધુમાં તેમણે કહ્યું કે હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. 



અંબાણી પરિવારના કાર્યક્રમમાં દેખાઈ આવે છે ગુજરાતીપણુ 

અંબાણી પરિવાર ભલે દુનિયાના ધનિક પરિવારમાંથી એક હોય પણ જ્યારે પણ એમના ઘરે પ્રસંગ હોય ત્યારે એ લોકો બધાને એવું ફીલ કરાવે છે કે એ ગ્રાસ રૂટ સાથે જોડાયેલા છે એ પછી જામનગરમાં સમૂહ ભોજન રાખવાનું હોય 51000 લોકોને જમાડવાની વાત હોય કે પછી રિલાયન્સના ઍમ્પલોય માટે ફંક્શન રાખવાની વાત હોય એ બધા દરેક કાર્યક્રમ દરમિયાન એવું કહેતા દેખાયા છે કે અમે જે પણ છીએ એ તમારા કારણે છીએ.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.