Ambani Parivar પહોંચ્યો Dhirubhai Ambaniની જન્મભૂમિ ચોરવાડ, અનંતે કહ્યું- 'આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ..'


  • Published By :
  • Published Date : 2024-03-13 13:39:03

જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં સામેલ થવા દેશ વિદેશથી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન સહિતના લોકો આવ્યા હતા. જામનગર ખાતે આયોજીત કરવામાં આવેલો કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ બીજા અનેક સ્થળો પર અંબાણી પરિવાર જઈ રહ્યો છે. ગઈકાલે અંબાણી પરિવાર ચોરવાડ પહોંચ્યો હતો. ચોરવાડ એટલે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ. ચોરવાડ પહોંચી અનંત અંબાણીએ જે વાત કરી તે ઈમોશનલ કરી દે તેવી છે...

અનંત અંબાણીએ કર્યા દાદા ધીરૂભાઈ અંબાણીને યાદ

અંબાણી પરિવાર ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ગઈ કાલે પહોંચ્યો હતો. અનંત અને રાધિકા તેમના દાદી કોકીલાબેન સાથે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અંબાણી, રાધિકા અને કોકીલાબેન અંબાણી ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના દર્શન માટે પણ ગયા હતા અને બાદમાં રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનંત અંબાણીએ દાદાને યાદ કરતાં કહ્યું કે આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. 


અહીંથી 10 ધીરૂભાઈ ઉભા થવા જોઈએ - અનંત અંબાણી

વધુમાં તેમણે કહ્યું કે હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. 



અંબાણી પરિવારના કાર્યક્રમમાં દેખાઈ આવે છે ગુજરાતીપણુ 

અંબાણી પરિવાર ભલે દુનિયાના ધનિક પરિવારમાંથી એક હોય પણ જ્યારે પણ એમના ઘરે પ્રસંગ હોય ત્યારે એ લોકો બધાને એવું ફીલ કરાવે છે કે એ ગ્રાસ રૂટ સાથે જોડાયેલા છે એ પછી જામનગરમાં સમૂહ ભોજન રાખવાનું હોય 51000 લોકોને જમાડવાની વાત હોય કે પછી રિલાયન્સના ઍમ્પલોય માટે ફંક્શન રાખવાની વાત હોય એ બધા દરેક કાર્યક્રમ દરમિયાન એવું કહેતા દેખાયા છે કે અમે જે પણ છીએ એ તમારા કારણે છીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.