Jamnagarમાં ફરી Ambani Parivarની જોવા મળી જાહોજલાલી, આ પરિવાર માટે Anant-Radhikaના Pre Weddingનું કરાયું આયોજન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-03-08 14:06:36

જામનગરમાં થોડા દિવસો પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીવેડિંગમાં દેશ વિદેશની મોટી હસ્તીઓ આવી હતી. આખું બોલિવુડ જાણે જામનગરમાં આવ્યું હોય તેવું લાગ્યું ત્યારે ફરી એક ફંક્શન જામનગરમાં આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં મોટી હસ્તીઓ નહીં પરંતુ રિલાયન્સ પરિવાર હતો. આખો અંબાણી પરિવાર જામનગર આવ્યો હતો અને Reliance ટાઉનશિપ પહોંચ્યો હતો. અંબાણી પરિવારે અહીં તેમના દરેકે દરેક કર્મચારી અને આ કર્મચારીઓના પરિવાર સાથે ઉજવણી કરી હતી. મુકેશ અંબાણીએ ગુજરાતીમાં બધા કર્મચારીઓનો આભાર માન્યો હતો.

 

News18 Gujarati

News18 Gujarati

પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન કરાયું હતું પ્રી વેડિંગ ફન્કશનનું આયોજન! 

અંબાણી પરિવાર પોતાની રહેણીકરણી તેમજ લાઈફસ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવારને જોઈએ ત્યારે ગુજરાતીપણું તેમનામાં દેખાય છે, તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવતા પ્રસંગોમાં પણ સંસ્કાર દેખાય છે. થોડા સમય બાદ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થવાના છે. લગ્ન પહેલા જામનગરમાં પ્રી વેડિંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં સામેલ થવા માટે અનેક મોટી હસ્તીઓ ગુજરાત આવી હતી અને જામનગરની મહેમાન બની હતી. પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન અનેક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, સેલિબ્રેશનના જે વીડિયો સામે આવ્યા હતા તે જોઈને થાય કે પ્રી વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. 

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

મુકેશ અંબાણીએ કહ્યું કે... 

જામનગર અંબાણી પરિવાર માટે કેમ ખાસ છે તેનું કારણ અંબાણી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. નીતા અંબાણી તેમજ અનંત અંબાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે જામનગર ખાતે ફરી એક વખત અંબાણી પરિવાર જામનગર પહોંચ્યો હતો અને ત્યાં ફરી એક વખત સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું Reliance ટાઉનશીપ ખાતે. નીતા અંબાણીએ આ આખા reliance  પરિવારને છોકરાવાળા તરફથી ગણાયા હતા અને મુકેશ અંબાણીએ ગુજરાતીમાં આ બધા કર્મચારીઓનો આભાર માન્યો હતો . કીધું હતું કે , તમે છો તો જામનગર છે . ઉપરાંત અનંત અંબાણીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામથી કરી હતી .       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.