Ambarish Der થશે ભાજપના! કોંગ્રેસ પાર્ટીએ આટલા વર્ષો માટે કર્યા સસ્પેન્ડ તો પૂર્વ ધારાસભ્યએ Congress પાર્ટીમાંથી આપ્યું રાજીનામું...


  • Published By :
  • Published Date : 2024-03-04 15:22:05

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો હતો. ભાવનગર લોકસભા સીટ માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે, ન્યુઝ કન્ફર્મ જેવા જ છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી અને એવી માહિતી સામે આવી હતી કે પ્રદેશ કોંગ્રેસે 6 વર્ષ માટે અંબરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે.

ભાવનગર સીટને લઈ ભાજપે લગાવ્યું આ ગણિત!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરતા હોય છે .ત્યારે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો કેસરિયો ધારણ કરી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે ભાજપમાં જોડાઈ ગયા છે. ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે અને ત્યારે એવા સમાચાર સામે  આવી રહ્યા છે કે ભાવનગર લોકસભા સીટ માટે કોળિ સમાજના ચહેરાને ભાજપ મેદાનમાં ઉતારે અને રાજુલાની વિધાનસભા સીટ પર તેમને પેટા ચૂંટણી માટે ઉતારે.



કોંગ્રેસમાંથી અંબરીશ ડેરને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ 

આ અટકળો ચાલી રહી હતી ત્યારે સમાચાર સામે આવ્યા કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા અંબરીશ ડેર પહોંચ્યા હતા. અંબરીશ ડેર ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો કરી શકે છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે અંબરીશ ડેરે રાજીનામું પણ આપી દીધું છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. 

Image

Image   

Image   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.