Ambarish Der થશે ભાજપના! કોંગ્રેસ પાર્ટીએ આટલા વર્ષો માટે કર્યા સસ્પેન્ડ તો પૂર્વ ધારાસભ્યએ Congress પાર્ટીમાંથી આપ્યું રાજીનામું...


  • Published By :
  • Published Date : 2024-03-04 15:22:05

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો હતો. ભાવનગર લોકસભા સીટ માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે, ન્યુઝ કન્ફર્મ જેવા જ છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી અને એવી માહિતી સામે આવી હતી કે પ્રદેશ કોંગ્રેસે 6 વર્ષ માટે અંબરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે.

ભાવનગર સીટને લઈ ભાજપે લગાવ્યું આ ગણિત!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરતા હોય છે .ત્યારે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો કેસરિયો ધારણ કરી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે ભાજપમાં જોડાઈ ગયા છે. ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે અને ત્યારે એવા સમાચાર સામે  આવી રહ્યા છે કે ભાવનગર લોકસભા સીટ માટે કોળિ સમાજના ચહેરાને ભાજપ મેદાનમાં ઉતારે અને રાજુલાની વિધાનસભા સીટ પર તેમને પેટા ચૂંટણી માટે ઉતારે.



કોંગ્રેસમાંથી અંબરીશ ડેરને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ 

આ અટકળો ચાલી રહી હતી ત્યારે સમાચાર સામે આવ્યા કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા અંબરીશ ડેર પહોંચ્યા હતા. અંબરીશ ડેર ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો કરી શકે છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે અંબરીશ ડેરે રાજીનામું પણ આપી દીધું છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. 

Image

Image   

Image   



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .