Ambarish Der થશે ભાજપના! કોંગ્રેસ પાર્ટીએ આટલા વર્ષો માટે કર્યા સસ્પેન્ડ તો પૂર્વ ધારાસભ્યએ Congress પાર્ટીમાંથી આપ્યું રાજીનામું...


  • Published By :
  • Published Date : 2024-03-04 15:22:05

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો હતો. ભાવનગર લોકસભા સીટ માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે, ન્યુઝ કન્ફર્મ જેવા જ છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી અને એવી માહિતી સામે આવી હતી કે પ્રદેશ કોંગ્રેસે 6 વર્ષ માટે અંબરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે.

ભાવનગર સીટને લઈ ભાજપે લગાવ્યું આ ગણિત!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરતા હોય છે .ત્યારે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો કેસરિયો ધારણ કરી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે ભાજપમાં જોડાઈ ગયા છે. ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે અને ત્યારે એવા સમાચાર સામે  આવી રહ્યા છે કે ભાવનગર લોકસભા સીટ માટે કોળિ સમાજના ચહેરાને ભાજપ મેદાનમાં ઉતારે અને રાજુલાની વિધાનસભા સીટ પર તેમને પેટા ચૂંટણી માટે ઉતારે.



કોંગ્રેસમાંથી અંબરીશ ડેરને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ 

આ અટકળો ચાલી રહી હતી ત્યારે સમાચાર સામે આવ્યા કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા અંબરીશ ડેર પહોંચ્યા હતા. અંબરીશ ડેર ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો કરી શકે છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે અંબરીશ ડેરે રાજીનામું પણ આપી દીધું છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. 

Image

Image   

Image   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે