AMCએ ચાની કીટલી પર અપાતા પેપર કપ પર મૂક્યો પ્રતિબંધ, આરોગ્ય માટે જોખમી હોવાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 10:04:48

રસ્તા પર કચરો થવાને કારણે તેમજ ડ્રેનેજ સિસ્ટમમાં નુકસાન પહોંચવાને કારણે AMCએ પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તંત્રનું કહેવું છે કે આ કપને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. આ નિર્ણયને કારણે ચાની કીટલી પર વપરાતા ડિસ્પોઝેબલ કપ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ચાની લારીઓ પર જો પેપર કપના ગ્લાસ મળશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રનું કહેવું છે.  20 જાન્યુઆરી બાદ આ નિયમનો કડકપણ પાલન કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હવે પેપર કપ બંધ : કિટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલાં કપમાં ચ્હા પીવી પડશે |  નવગુજરાત સમય

આ તારીખ બાદ હાથ ધરાશે કડક કાર્યવાહી 

પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. જેને લઈ સમય સમય પર અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે ગંદકી અને ડ્રેનેજ સિસ્ટમમાં તકલીફ પડવાને કારણે આ નિર્ણય લેવાયો છે તેનું એએમસીનું કહેવું છે. ચાની કિટલી ધરાવતા લોકોને ડિસ્પોઝેબલ કપ ન વાપરવા સમજાવવામાં આવ્યા છે. કપના વિક્રેતાઓને પણ સમજાવવામાં આવ્યા છે. પેપર કપનું વેચાણ બંધ કરવા તેમજ વપરાશ બંધ કરવા 20 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો 20 જાન્યુઆરી બાદ ડિસ્પોઝેબલ કપનો વપરાશ બંધ નહીં થાય તો સીલ મારવાની કામગીરી કરવામાં આવશે. રોજે અંદાજે 25 લાખ જેટલા કપ વેસ્ટમાંથી નિકળવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે   


પેપર કપ હાલ બંધ ન કરવા વેપારીઓએ કરી રજૂઆત  

સમજાવટ બાદ એએમસી દ્વારા ચાની કીટલી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે ડે. મ્યુનિ. કમિશ્નર, સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરએ અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. અનેક સ્થળો પરથી પેપર કપ જપ્ત પણ કર્યા હતા. 20 જાન્યુઆરી બાદ આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ઉપરાંત ચાની કિટલી વાળાને પણ આને કારણે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ નિર્ણયને તરત લાગુ ન કરવા માટે અનેક વેપારીઓએ રજૂઆત પણ કરી હતી.    

 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.