AMCએ ચાની કીટલી પર અપાતા પેપર કપ પર મૂક્યો પ્રતિબંધ, આરોગ્ય માટે જોખમી હોવાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 10:04:48

રસ્તા પર કચરો થવાને કારણે તેમજ ડ્રેનેજ સિસ્ટમમાં નુકસાન પહોંચવાને કારણે AMCએ પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તંત્રનું કહેવું છે કે આ કપને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. આ નિર્ણયને કારણે ચાની કીટલી પર વપરાતા ડિસ્પોઝેબલ કપ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ચાની લારીઓ પર જો પેપર કપના ગ્લાસ મળશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રનું કહેવું છે.  20 જાન્યુઆરી બાદ આ નિયમનો કડકપણ પાલન કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હવે પેપર કપ બંધ : કિટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલાં કપમાં ચ્હા પીવી પડશે |  નવગુજરાત સમય

આ તારીખ બાદ હાથ ધરાશે કડક કાર્યવાહી 

પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. જેને લઈ સમય સમય પર અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે ગંદકી અને ડ્રેનેજ સિસ્ટમમાં તકલીફ પડવાને કારણે આ નિર્ણય લેવાયો છે તેનું એએમસીનું કહેવું છે. ચાની કિટલી ધરાવતા લોકોને ડિસ્પોઝેબલ કપ ન વાપરવા સમજાવવામાં આવ્યા છે. કપના વિક્રેતાઓને પણ સમજાવવામાં આવ્યા છે. પેપર કપનું વેચાણ બંધ કરવા તેમજ વપરાશ બંધ કરવા 20 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો 20 જાન્યુઆરી બાદ ડિસ્પોઝેબલ કપનો વપરાશ બંધ નહીં થાય તો સીલ મારવાની કામગીરી કરવામાં આવશે. રોજે અંદાજે 25 લાખ જેટલા કપ વેસ્ટમાંથી નિકળવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે   


પેપર કપ હાલ બંધ ન કરવા વેપારીઓએ કરી રજૂઆત  

સમજાવટ બાદ એએમસી દ્વારા ચાની કીટલી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે ડે. મ્યુનિ. કમિશ્નર, સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરએ અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. અનેક સ્થળો પરથી પેપર કપ જપ્ત પણ કર્યા હતા. 20 જાન્યુઆરી બાદ આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ઉપરાંત ચાની કિટલી વાળાને પણ આને કારણે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ નિર્ણયને તરત લાગુ ન કરવા માટે અનેક વેપારીઓએ રજૂઆત પણ કરી હતી.    

 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.