AMCએ ચાની કીટલી પર અપાતા પેપર કપ પર મૂક્યો પ્રતિબંધ, આરોગ્ય માટે જોખમી હોવાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 10:04:48

રસ્તા પર કચરો થવાને કારણે તેમજ ડ્રેનેજ સિસ્ટમમાં નુકસાન પહોંચવાને કારણે AMCએ પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તંત્રનું કહેવું છે કે આ કપને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. આ નિર્ણયને કારણે ચાની કીટલી પર વપરાતા ડિસ્પોઝેબલ કપ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ચાની લારીઓ પર જો પેપર કપના ગ્લાસ મળશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રનું કહેવું છે.  20 જાન્યુઆરી બાદ આ નિયમનો કડકપણ પાલન કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હવે પેપર કપ બંધ : કિટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલાં કપમાં ચ્હા પીવી પડશે |  નવગુજરાત સમય

આ તારીખ બાદ હાથ ધરાશે કડક કાર્યવાહી 

પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. જેને લઈ સમય સમય પર અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે ગંદકી અને ડ્રેનેજ સિસ્ટમમાં તકલીફ પડવાને કારણે આ નિર્ણય લેવાયો છે તેનું એએમસીનું કહેવું છે. ચાની કિટલી ધરાવતા લોકોને ડિસ્પોઝેબલ કપ ન વાપરવા સમજાવવામાં આવ્યા છે. કપના વિક્રેતાઓને પણ સમજાવવામાં આવ્યા છે. પેપર કપનું વેચાણ બંધ કરવા તેમજ વપરાશ બંધ કરવા 20 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો 20 જાન્યુઆરી બાદ ડિસ્પોઝેબલ કપનો વપરાશ બંધ નહીં થાય તો સીલ મારવાની કામગીરી કરવામાં આવશે. રોજે અંદાજે 25 લાખ જેટલા કપ વેસ્ટમાંથી નિકળવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે   


પેપર કપ હાલ બંધ ન કરવા વેપારીઓએ કરી રજૂઆત  

સમજાવટ બાદ એએમસી દ્વારા ચાની કીટલી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે ડે. મ્યુનિ. કમિશ્નર, સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરએ અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. અનેક સ્થળો પરથી પેપર કપ જપ્ત પણ કર્યા હતા. 20 જાન્યુઆરી બાદ આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ઉપરાંત ચાની કિટલી વાળાને પણ આને કારણે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ નિર્ણયને તરત લાગુ ન કરવા માટે અનેક વેપારીઓએ રજૂઆત પણ કરી હતી.    

 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.