AMC ચેરમેને જણાવ્યું શા માટે રસ્તાઓ પર પડે છે ખાડા? એવા તર્ક આપ્યા કે તમે પણ માથું ખંજવાળવા લાગશો...


  • Published By :
  • Published Date : 2023-07-04 10:58:39

અમદવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, જ્યારે ગર્વ લેવાની વાત હોય ત્યારે અમદાવાદમાં કરાયેલા કામોનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે અમદાવાદના રસ્તાઓ પર પડેલા ભૂવાઓની વાત હોય ત્યારે? અમદાવાદમાં થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર ભૂવાઓ પડી જતા અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદે તંત્રની એક તો પ્રિ-મોનસુનની પોલ ખોલી છે તો બીજી રસ્તાઓની ગુણવત્તાની પોલ પણ ખોલી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.


વરસાદને કારણે અનેક વખત તૂટી  પડે છે કાચા રસ્તાઓ  

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર મેઘ મહેર જોવા મળી રહી છે. તંત્રની કામગીરી પર અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે છે. એવી જ પરિસ્થિતિ છે અમદાવાદના રસ્તાઓની. ચોમાસા દરમિયાન અંહીયા ભૂવો પડ્યો ત્યાં ભૂવો પડ્યો તેવા સમાચારો આપવા પડે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદના રસ્તાઓ પર અનેક ભૂવાઓ જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ જો સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની આવી પરિસ્થિતિ હોય તો અન્ય જગ્યાઓની કેવી પરિસ્થિતિ હશે તે આપણે જાણી શકીયે છીએ. અનેક વખત બ્રિજ તૂટી પડવાના, કાચા રસ્તાઓ તૂટી પડવાના કિસ્સાઓ આપણે જોયા છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ભૂવા વધતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.


ચેરમેન મહાદેવ દેસાઈનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

ભૂવોઓને લઈ એક તરફ અમદાવાદીઓ પરેશાન ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોડ એન્ડ બિલ્ડિંહ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે કે રસ્તાઓ પર ભૂવા કેમ પડી રહ્યા છે. જે વીડિયો અંગે વાત કરવામાં આવી રહી છે તેમાં ચેરમેન મહાદેવ દેસાઈ કહી રહ્યા છે કે પાણી અને ડામરને વેર છે એટલે ખાડા પડે છે. વધુમાં તેઓ કહી રહ્યા છે કે ખાડાનો આંકડો જિંદગીમાં કોઈની પાસે ના હોય. ગણ્યા ગણ્યા નહીં, છાબડીમાં માય નહીં એટલા ખાડા. પાણી અને ડામરનું કોમ્બીનેશન સેટ થતું નથી એટલે જ શરૂઆતથી જ ખાડાની સમસ્યા છે. જ્યારથી ડામરના રોડ બનવાના ચાલુ થયાં એ દિવસથી આ પ્રોબ્લેમ છે. 

સામાન્ય વરસાદે બગાડી સ્માર્ટ ગણાતા અમદાવાદની તસવીર 

મહત્વનું છે કે એક તરફ અમદાવાદીઓ માટે રસ્તા પર પડેલા ખાડા, રસ્તા પર પડી રહેલા ભૂવોઓ માથાનો દુખાવો બની રહ્યા છે તો બીજી તરફ એએમસી ચેરમેન આવા પાયાવિહોણા તર્ક આપી રહ્યા છે. શું લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવો તંત્રની જવાબદારી નથી? લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું માત્ર બે ત્રણ દિવસ પડેલા વરસાદે રસ્તાની આવી હાલત કરી દીધી તો આગામી સમયમાં એવું ન થાય કે ભૂવા વાળી જગ્યા પર રસ્તો શોધવો પડે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.