AMC ચેરમેને જણાવ્યું શા માટે રસ્તાઓ પર પડે છે ખાડા? એવા તર્ક આપ્યા કે તમે પણ માથું ખંજવાળવા લાગશો...


  • Published By :
  • Published Date : 2023-07-04 10:58:39

અમદવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, જ્યારે ગર્વ લેવાની વાત હોય ત્યારે અમદાવાદમાં કરાયેલા કામોનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે અમદાવાદના રસ્તાઓ પર પડેલા ભૂવાઓની વાત હોય ત્યારે? અમદાવાદમાં થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર ભૂવાઓ પડી જતા અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદે તંત્રની એક તો પ્રિ-મોનસુનની પોલ ખોલી છે તો બીજી રસ્તાઓની ગુણવત્તાની પોલ પણ ખોલી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.


વરસાદને કારણે અનેક વખત તૂટી  પડે છે કાચા રસ્તાઓ  

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર મેઘ મહેર જોવા મળી રહી છે. તંત્રની કામગીરી પર અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે છે. એવી જ પરિસ્થિતિ છે અમદાવાદના રસ્તાઓની. ચોમાસા દરમિયાન અંહીયા ભૂવો પડ્યો ત્યાં ભૂવો પડ્યો તેવા સમાચારો આપવા પડે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદના રસ્તાઓ પર અનેક ભૂવાઓ જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ જો સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની આવી પરિસ્થિતિ હોય તો અન્ય જગ્યાઓની કેવી પરિસ્થિતિ હશે તે આપણે જાણી શકીયે છીએ. અનેક વખત બ્રિજ તૂટી પડવાના, કાચા રસ્તાઓ તૂટી પડવાના કિસ્સાઓ આપણે જોયા છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ભૂવા વધતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.


ચેરમેન મહાદેવ દેસાઈનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

ભૂવોઓને લઈ એક તરફ અમદાવાદીઓ પરેશાન ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોડ એન્ડ બિલ્ડિંહ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે કે રસ્તાઓ પર ભૂવા કેમ પડી રહ્યા છે. જે વીડિયો અંગે વાત કરવામાં આવી રહી છે તેમાં ચેરમેન મહાદેવ દેસાઈ કહી રહ્યા છે કે પાણી અને ડામરને વેર છે એટલે ખાડા પડે છે. વધુમાં તેઓ કહી રહ્યા છે કે ખાડાનો આંકડો જિંદગીમાં કોઈની પાસે ના હોય. ગણ્યા ગણ્યા નહીં, છાબડીમાં માય નહીં એટલા ખાડા. પાણી અને ડામરનું કોમ્બીનેશન સેટ થતું નથી એટલે જ શરૂઆતથી જ ખાડાની સમસ્યા છે. જ્યારથી ડામરના રોડ બનવાના ચાલુ થયાં એ દિવસથી આ પ્રોબ્લેમ છે. 

સામાન્ય વરસાદે બગાડી સ્માર્ટ ગણાતા અમદાવાદની તસવીર 

મહત્વનું છે કે એક તરફ અમદાવાદીઓ માટે રસ્તા પર પડેલા ખાડા, રસ્તા પર પડી રહેલા ભૂવોઓ માથાનો દુખાવો બની રહ્યા છે તો બીજી તરફ એએમસી ચેરમેન આવા પાયાવિહોણા તર્ક આપી રહ્યા છે. શું લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવો તંત્રની જવાબદારી નથી? લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું માત્ર બે ત્રણ દિવસ પડેલા વરસાદે રસ્તાની આવી હાલત કરી દીધી તો આગામી સમયમાં એવું ન થાય કે ભૂવા વાળી જગ્યા પર રસ્તો શોધવો પડે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.