AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવા મુદ્દે કોંગ્રેસમાં ફરી બબાલ, કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભાનો કર્યો બહિષ્કાર


  • Published By :
  • Published Date : 2023-08-28 21:19:19

કોંગ્રેસ પાર્ટીમાં જુથબાજી અને અશિસ્ત મોટી સમસ્યા રહી છે, રાજ્યમાં કોંગ્રેસના નેતાઓની આંતરિક ખેંચતાણ કોઈનાથી છુપાયેલી બાબત નથી. અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનમાં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો છે, અને તેમાં પણ ખટરાગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે AMCમાં વિરોધ પક્ષના નેતાનું પદ મેળવવા માટે ટાંટિયા ખેંચ શરૂ થઈ ગઈ છે. AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ફરી એકવાર ઉગ્ર બની છે. 


શહેજાદખાન પઠાણને બદલા માગ


વિપક્ષી નેતા બદલવા માટે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ અને અન્ય આગેવાનોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ જૂથના સભ્યોની માંગ છે કે મોવડી મંડળે એક વર્ષ બાદ વિપક્ષી નેતા બદલાશે તેવું વચન આપ્યું હતું, ત્યારે હવે ઝડપથી વચન પર અમલ કરીને AMCમાં વિપક્ષી નેતા બદલવામાં આવે. AMCમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોના વૉકઆઉટને ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી ગેરશિસ્ત કરનારા આગેવાનો સામે પગલા લેવાની રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સામે અસંતોષ લાંબા સમયથી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ વિપક્ષ નેતા બદલવા માટેની માગણીને લઇ છેક દિલ્હી સુધી રજૂઆતો કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મૂકુલ વાસુનિકની નિમણુક થતા વિપક્ષના નેતા પણ બદલાશે તેવી આશા કોર્પોરેટરો રાખી રહ્યા છે.


કોણ છે રેસમાં?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ બે જુથી પડી ગયા છે. વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માગ કરી રહ્યા છે. વિપક્ષના નેતા પદ માટે ગોમતીપુરના ઈકબાલ શેખ, ચાંદખેડાના રાજશ્રી કેસરી સહિતના આગેવાનો રેસમાં છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી