AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવા મુદ્દે કોંગ્રેસમાં ફરી બબાલ, કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભાનો કર્યો બહિષ્કાર


  • Published By :
  • Published Date : 2023-08-28 21:19:19

કોંગ્રેસ પાર્ટીમાં જુથબાજી અને અશિસ્ત મોટી સમસ્યા રહી છે, રાજ્યમાં કોંગ્રેસના નેતાઓની આંતરિક ખેંચતાણ કોઈનાથી છુપાયેલી બાબત નથી. અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનમાં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો છે, અને તેમાં પણ ખટરાગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે AMCમાં વિરોધ પક્ષના નેતાનું પદ મેળવવા માટે ટાંટિયા ખેંચ શરૂ થઈ ગઈ છે. AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ફરી એકવાર ઉગ્ર બની છે. 


શહેજાદખાન પઠાણને બદલા માગ


વિપક્ષી નેતા બદલવા માટે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ અને અન્ય આગેવાનોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ જૂથના સભ્યોની માંગ છે કે મોવડી મંડળે એક વર્ષ બાદ વિપક્ષી નેતા બદલાશે તેવું વચન આપ્યું હતું, ત્યારે હવે ઝડપથી વચન પર અમલ કરીને AMCમાં વિપક્ષી નેતા બદલવામાં આવે. AMCમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોના વૉકઆઉટને ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી ગેરશિસ્ત કરનારા આગેવાનો સામે પગલા લેવાની રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સામે અસંતોષ લાંબા સમયથી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ વિપક્ષ નેતા બદલવા માટેની માગણીને લઇ છેક દિલ્હી સુધી રજૂઆતો કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મૂકુલ વાસુનિકની નિમણુક થતા વિપક્ષના નેતા પણ બદલાશે તેવી આશા કોર્પોરેટરો રાખી રહ્યા છે.


કોણ છે રેસમાં?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ બે જુથી પડી ગયા છે. વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માગ કરી રહ્યા છે. વિપક્ષના નેતા પદ માટે ગોમતીપુરના ઈકબાલ શેખ, ચાંદખેડાના રાજશ્રી કેસરી સહિતના આગેવાનો રેસમાં છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.