AMCના સંચાલકોએ ફ્લાવર શો માટે મોડે મોડે શરૂ કર્યુ ઓનલાઇન ટિકિટ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-10 13:59:05

અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોને લઈ શહેરીજનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈવેન્ટ ગ્રાઉન્ટ અને ફ્લાવર ગાર્ડન ખાતે શરૂ થયેલો આ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ શોની દરરોજ 25 હજારથી પણ વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. જો કે ફ્લાવ્યર શોમાં ઉમટતી ભીડ ચિંતાનો વિષય બન્યો છે. મોટી સંખ્યામાં લોકો ટિકિટ ખરીદવા માટે ટિકિટબારી પર લાંબી લાઈનો લગાવે છે. ટિકિટ માટેની લાંબી કતારોના કારણે ફ્લાવર શોમાં અવ્યવસ્થા સર્જાય છે.  


ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા


ફ્વાવર શો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ માટે લાઈનો લગાવવની ન પડે તે માટે AMCએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરી છે. અમદાવાદ મનપા દ્વારા મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકિંગની મોડે મોડે સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા ઓનલાઇન ટિકિટ બુક કરાવી લાઈનમાં ઉભા રહેવાથી બચી શકશે. આ માટે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી www.sabarmatiriverfront.com તેમજ www.riverfrontparktickets.com પરથી તેઓ ટિકિટ મેળવી શકશે. તે ઉપરાંત ટિકિટ બારી ઉપર ક્યુઆર કોડ પણ મુકવામાં આવ્યા છે. જેને દ્વારા મોબાઈલમાં ક્યુઆર કોડ  અથવા કેમેરાથી સ્કેન કરી શકાશે. ક્યુઆર કોડ સ્કેન કરી અને જે લિંક આવે તે ઓપન કરી અને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ ટિકિટ પ્રાપ્ત કરવાની રહેશે.


કેટલો છે ટિકિટ ચાર્જ? 


અમદાવાદ ફલાવર શો માટે આવનારા મુલાકાતીઓ માટે ટિકિટ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. 12 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકીટનો દર ત્રીસ રુપિયા રાખવામા આવ્યો છે. આ ફ્લાવર સવારે 9 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફલાવર શોમાં આવતા લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. આ વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લે તેવી સંભાવના છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.