AMCના સંચાલકોએ ફ્લાવર શો માટે મોડે મોડે શરૂ કર્યુ ઓનલાઇન ટિકિટ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-10 13:59:05

અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોને લઈ શહેરીજનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈવેન્ટ ગ્રાઉન્ટ અને ફ્લાવર ગાર્ડન ખાતે શરૂ થયેલો આ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ શોની દરરોજ 25 હજારથી પણ વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. જો કે ફ્લાવ્યર શોમાં ઉમટતી ભીડ ચિંતાનો વિષય બન્યો છે. મોટી સંખ્યામાં લોકો ટિકિટ ખરીદવા માટે ટિકિટબારી પર લાંબી લાઈનો લગાવે છે. ટિકિટ માટેની લાંબી કતારોના કારણે ફ્લાવર શોમાં અવ્યવસ્થા સર્જાય છે.  


ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા


ફ્વાવર શો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ માટે લાઈનો લગાવવની ન પડે તે માટે AMCએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરી છે. અમદાવાદ મનપા દ્વારા મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકિંગની મોડે મોડે સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા ઓનલાઇન ટિકિટ બુક કરાવી લાઈનમાં ઉભા રહેવાથી બચી શકશે. આ માટે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી www.sabarmatiriverfront.com તેમજ www.riverfrontparktickets.com પરથી તેઓ ટિકિટ મેળવી શકશે. તે ઉપરાંત ટિકિટ બારી ઉપર ક્યુઆર કોડ પણ મુકવામાં આવ્યા છે. જેને દ્વારા મોબાઈલમાં ક્યુઆર કોડ  અથવા કેમેરાથી સ્કેન કરી શકાશે. ક્યુઆર કોડ સ્કેન કરી અને જે લિંક આવે તે ઓપન કરી અને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ ટિકિટ પ્રાપ્ત કરવાની રહેશે.


કેટલો છે ટિકિટ ચાર્જ? 


અમદાવાદ ફલાવર શો માટે આવનારા મુલાકાતીઓ માટે ટિકિટ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. 12 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકીટનો દર ત્રીસ રુપિયા રાખવામા આવ્યો છે. આ ફ્લાવર સવારે 9 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફલાવર શોમાં આવતા લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. આ વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લે તેવી સંભાવના છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.