રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા AMCની નવી પોલિસીને મંજુરી, પશુપાલકોએ પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત


  • Published By :
  • Published Date : 2023-07-13 18:14:57

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, રખડતા ઢોરની અડફેટે આવવાથી લોકોના મોત થઈ રહ્યા હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂરી થઈ છે. ત્યારે બેઠકમાં રખડતા ઢોર અંગેની નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ‘માલિકીની જગ્યા હોય તો જ ઢોર રાખી શકાશે. ગુજરાત હાઇકોર્ટની ગાઈડલાઈન, ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવવામાં આવી છે.


નવી પોલિસીમાં શું જોગવાઈ કરાઈ?


(1) ઢોર માલિકોએ શહેરમાં ઢોર રાખવાની જગ્યા (2) ઢોર રાખવા લાયસન્સ/પરમીટ પ્રથા દાખલ કરવી (3)પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી (4)દંડ/ચાર્જમાં સૂચિત વધારો (5)ઢોર માલિક તથા ઢોર નોંધણી (6) RFID ચીપ અને ટેગ ફરજીયાતપણે લગાવવી (7)જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવી (8) ઢોર માલિકો દ્વારા નહીં છોડાવેલા પશુઓને શહેર બહાર પાંજરાપોળમાં મોકલવા (9)ઢોરને આજીવન નિભાવવામાં વન ટાઇમ નિભાવ ખર્ચ રૂપિયા 4000 ચૂકવવા (10) દુધાળા, ખેતીલાયક, અન્ય ઉપયોગી પશુઓને શહેર બહારના દુરના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવા (11)કેટલ પોન્ડ/ ટેમ્પરરી કેટલ શેડ બનાવવા (12)એનિમલ હોસ્ટેલ બનાવવી વગેરે..


ઢોર માલિકો સામે થશે દંડનિય કાર્યવાહી


અમદાવાદમાં ઢોર માલિકે વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેમણે પરમીટ લેવાની રહેશે. પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે. પરમીટ-લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે. ત્રણ વર્ષ માટેના લાયસન્સની ફી 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પરમીટની ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુમાલિકની જ રહેશે. રખડતા પશુને કારણે નુકસાન થાય તો નુકસાની દાવાની કાર્યવાહી કરી શકાશે. પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી દેવી પડશે. જો એક જ ઢોર ત્રણ વખત પકડાય તો બમણો દંડ ફટકારવામાં આવશે. જો ઢોર ત્રણ વખતથી વધુ વખત પકડાશે તો ઢોર પાછું નહીં મળે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરમાં હાલ 21 ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં રખડતા ઢોર પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.