મિલકત વેરો નહીં ભરનારા ડિફોલ્ટરો સામે AMCની લાલ આંખ, પ્રોપર્ટી સીલ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:01:00

અમદાવાદામાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો સામે AMCએ હવે આકરૂ વલણ અપનાવ્યું છે. AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 290થી વધુ મિલકતોની એક સાથે તાળાબંધી કરી છે.


ડિફોલ્ટરો સામે AMCની લાલઆંખ 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજ માફી સ્કીમ ચાલુ હોઇ તેમ છતાં ઘણાં સમયથી મિલકત વેરો નહિં ભરનાર ડિફોલ્ટરો સામે પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી જુના કર વેરા વસુલવા વ્યક્તિગત કોમ્પલેક્ષમાં જઇ બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી.  AMCએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા લોકોની મિલકતો સીલ કરી છે. જેમાં શાયોના ગ્રીન, પરિવાર હોમ ગોતા, દેવ આદિત્ય આર્કેટ, શીલજ ભવ્ય કોમ્પલેક્ષ બોપલ સહિતની દુકાનોને સિલ કરવામાં આવી છે. આ રીતે એક જ દિવસમાં AMCને ટેક્ષની 3.41 કરોડની આવક થઈ છે.આ જ પ્રકારે ગઈકાલે વિડીયોકોન, આશ્રમ રોડ, સહજાનંદ પ્લાઝા, પાલડી, સત્યમ એપાર્ટમેન્ટ, સોલા, સરદાર પટેલ નગર, ચેનપુર, એસ.વી.સ્કેવર, ન્યુ રાણીપ, મધુર કોમ્પલેક્ષ, નારણપુરા, ફોરડી સ્કેવર, ગાંધીનગર મળી કુલ 69 સીલ મારવામાં આવ્યા હતા. જેમાંથી પશ્ચિમ ઝોનની કુલ 1.19 કરોડ આવક થઈ છે. તથા તા.18-01-2023ના રોજ કુલ 21 મિલકતોને સીલો મારવામાં  જેમાં આજે18-01-ના રોજ 1.01 કરોડ આવક થઈ છે. આજે સાબર એવન્યુ, નવરંગપુરા, સિમંધર, ચાંદખેડા, કુંજન કોમ્પલેક્ષ,નવરંગપુરા, અભીશ્રી એવન્યુ, આંબાવાડી, પીપલેશ્વર સોસાયટી, ચેનપુરમાં કાર્યવાહી કરાઈ હતી.


વર્ષ દરમિયાન 1702 એકમો સીલ 


બીજી બાજુ ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન)ની સુચનાથી આજે બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષ ચુકવણીની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો ઉપર ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીલેશ્વર ઈન્ડ.એસ્ટેટ, ઓઢવ, કેશવ ગાર્ડન રેસ્ટોરન્ટ,નવા નરોડા, સમૃધ્ધિ કોમ્પલેક્ષ,નવા નિકોલ, આબાદ એસ્ટેટ, રખિયાલ, અક્ષરધામ રેસી એન્ડ કોર્મશિયલ વસ્ત્રાલ સહિત 78 એકમોને સહિત ચાલુ વર્ષ દરમિયાન ૧૭૦૨ એકમોને સીલ કરાયા છે. ભવિષ્યમાં પણ આકરી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.ત્યારબાદ હવે રહેણાંક વિસ્તારમાં પણ ટેક્ષ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.