મિલકત વેરો નહીં ભરનારા ડિફોલ્ટરો સામે AMCની લાલ આંખ, પ્રોપર્ટી સીલ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:01:00

અમદાવાદામાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો સામે AMCએ હવે આકરૂ વલણ અપનાવ્યું છે. AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 290થી વધુ મિલકતોની એક સાથે તાળાબંધી કરી છે.


ડિફોલ્ટરો સામે AMCની લાલઆંખ 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજ માફી સ્કીમ ચાલુ હોઇ તેમ છતાં ઘણાં સમયથી મિલકત વેરો નહિં ભરનાર ડિફોલ્ટરો સામે પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી જુના કર વેરા વસુલવા વ્યક્તિગત કોમ્પલેક્ષમાં જઇ બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી.  AMCએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા લોકોની મિલકતો સીલ કરી છે. જેમાં શાયોના ગ્રીન, પરિવાર હોમ ગોતા, દેવ આદિત્ય આર્કેટ, શીલજ ભવ્ય કોમ્પલેક્ષ બોપલ સહિતની દુકાનોને સિલ કરવામાં આવી છે. આ રીતે એક જ દિવસમાં AMCને ટેક્ષની 3.41 કરોડની આવક થઈ છે.આ જ પ્રકારે ગઈકાલે વિડીયોકોન, આશ્રમ રોડ, સહજાનંદ પ્લાઝા, પાલડી, સત્યમ એપાર્ટમેન્ટ, સોલા, સરદાર પટેલ નગર, ચેનપુર, એસ.વી.સ્કેવર, ન્યુ રાણીપ, મધુર કોમ્પલેક્ષ, નારણપુરા, ફોરડી સ્કેવર, ગાંધીનગર મળી કુલ 69 સીલ મારવામાં આવ્યા હતા. જેમાંથી પશ્ચિમ ઝોનની કુલ 1.19 કરોડ આવક થઈ છે. તથા તા.18-01-2023ના રોજ કુલ 21 મિલકતોને સીલો મારવામાં  જેમાં આજે18-01-ના રોજ 1.01 કરોડ આવક થઈ છે. આજે સાબર એવન્યુ, નવરંગપુરા, સિમંધર, ચાંદખેડા, કુંજન કોમ્પલેક્ષ,નવરંગપુરા, અભીશ્રી એવન્યુ, આંબાવાડી, પીપલેશ્વર સોસાયટી, ચેનપુરમાં કાર્યવાહી કરાઈ હતી.


વર્ષ દરમિયાન 1702 એકમો સીલ 


બીજી બાજુ ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન)ની સુચનાથી આજે બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષ ચુકવણીની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો ઉપર ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીલેશ્વર ઈન્ડ.એસ્ટેટ, ઓઢવ, કેશવ ગાર્ડન રેસ્ટોરન્ટ,નવા નરોડા, સમૃધ્ધિ કોમ્પલેક્ષ,નવા નિકોલ, આબાદ એસ્ટેટ, રખિયાલ, અક્ષરધામ રેસી એન્ડ કોર્મશિયલ વસ્ત્રાલ સહિત 78 એકમોને સહિત ચાલુ વર્ષ દરમિયાન ૧૭૦૨ એકમોને સીલ કરાયા છે. ભવિષ્યમાં પણ આકરી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.ત્યારબાદ હવે રહેણાંક વિસ્તારમાં પણ ટેક્ષ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.