AMC હવે સિંધુ ભવન રોડ પર વસુલશે વાહન પાર્કિગ ચાર્જ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:13:46

અસહ્ય મોંઘવારી અને ઉબડ-ખાબડ રસ્તાઓથી ત્રસ્ત અમદાવાદીઓની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. અમદાવાદ કોર્પોરેશન પણ જાણે અમદાવાદીઓની સહનશક્તિની પરીક્ષા લેતી હોય તેમ શહેરનાં મોડલ રોડ ગણાતા સિંધુ ભવન રોડ પર  વાહન પાર્ક કરવા માટે ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો છે.


વાહન ચાલકોએ સિંધુ ભવન રોડ પર ચૂકવવો પડશે ચાર્જ 


અમદાવાદના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર નાગરિકો ફ્રી માં વાહન પાર્ક નહિ કરી શકે. તમારે હવે પાર્કિંગ માટે પૈસા ચૂકવવા પડશે. AMC તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધુ ભવન રોડ પર રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ફી વસૂલવામાં આવશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડર અનુસાર, ટૂ-વ્હીલર માટે એક કલાકના પાર્કિંગ માટે પાંચ રુપિયા લેવામાં આવશે જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 15 રુપિયા વસૂલવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે વધુ એક રોડ પર પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શહેરીજનોની મુશ્કેલી વધશે.



પે એન્ડ પાર્કિંગથી 21 લાખ રુપિયાની કમાણી થશે


નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા તંત્રને પાર્કિંગના આ નવા નિયમને કારણે 21 લાખ રુપિયા કમાણી થવાની આશા છે. સિંધુ ભવન રોડ પર આવેલી મોટાભાગની કોમર્શિયલ ઈમારતો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી સુવિધા છે. અહીં આવનારા લોકો તે પાર્કિંગમાં જ વાહન મૂકવાને પ્રાથમિકતા આપે છે. માટે, ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે પૈસા લેવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી. આ પાર્કિંગ પોલિસી પર અમદાવાદીઓ રોષ ઠાલવી કરી રહ્યા છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.