AMC હવે સિંધુ ભવન રોડ પર વસુલશે વાહન પાર્કિગ ચાર્જ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:13:46

અસહ્ય મોંઘવારી અને ઉબડ-ખાબડ રસ્તાઓથી ત્રસ્ત અમદાવાદીઓની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. અમદાવાદ કોર્પોરેશન પણ જાણે અમદાવાદીઓની સહનશક્તિની પરીક્ષા લેતી હોય તેમ શહેરનાં મોડલ રોડ ગણાતા સિંધુ ભવન રોડ પર  વાહન પાર્ક કરવા માટે ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો છે.


વાહન ચાલકોએ સિંધુ ભવન રોડ પર ચૂકવવો પડશે ચાર્જ 


અમદાવાદના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર નાગરિકો ફ્રી માં વાહન પાર્ક નહિ કરી શકે. તમારે હવે પાર્કિંગ માટે પૈસા ચૂકવવા પડશે. AMC તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધુ ભવન રોડ પર રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ફી વસૂલવામાં આવશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડર અનુસાર, ટૂ-વ્હીલર માટે એક કલાકના પાર્કિંગ માટે પાંચ રુપિયા લેવામાં આવશે જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 15 રુપિયા વસૂલવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે વધુ એક રોડ પર પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શહેરીજનોની મુશ્કેલી વધશે.



પે એન્ડ પાર્કિંગથી 21 લાખ રુપિયાની કમાણી થશે


નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા તંત્રને પાર્કિંગના આ નવા નિયમને કારણે 21 લાખ રુપિયા કમાણી થવાની આશા છે. સિંધુ ભવન રોડ પર આવેલી મોટાભાગની કોમર્શિયલ ઈમારતો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી સુવિધા છે. અહીં આવનારા લોકો તે પાર્કિંગમાં જ વાહન મૂકવાને પ્રાથમિકતા આપે છે. માટે, ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે પૈસા લેવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી. આ પાર્કિંગ પોલિસી પર અમદાવાદીઓ રોષ ઠાલવી કરી રહ્યા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.