રખડતા ઢોર મુદ્દે AMCના બેદરકાર અધિકારીઓ સામે FIR નોંધાઈ, રેલો પગ નીચે આવતા તંત્ર જાગ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:36:02

અમદાવાદાના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની છે. હાઈકોર્ટના ઓર્ડર છતાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રખડતા ઢોર મુદ્દે તદ્દન નિષ્ફળ રહ્યું છે. જો કે હવે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ફરિયાદમાં રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


AMCના અધિકારીઓ શા માટે નોંધાઈ ફરિયાદ?


અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે અડફેટે લેતા 39 વર્ષીય ભાવિન પટેલ નામના યુવાનને અકસ્માત થયો હતો. બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજની સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં મૃતકના મોટા ભાઈએ જાહેર રસ્તા પર ગાયને છૂટી મુકનારા ગાયના માલિક અને તે સાથે જ રસ્તાઓ પર રખડતાં ઢોર પકડવા મામલે બેદરકારી દાખવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધ્યો ગુનો હતો. AMCના અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ મૃતક ભાવિન પટેલના પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. 


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ


અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર ભાવિન પટેલને હડફેટમાં લીધા હતા. અવની સ્ક્વેર પાસે ભેરૂનાથ ટી સ્ટોલ સામે બનેલી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે. ગાય અચાનક જ રસ્તો અને ડિવાઈડર ક્રોસ કરીને સામેના રસ્તે દોડી ગઈ હતી અને ભાવિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.