રખડતા ઢોર મુદ્દે AMCના બેદરકાર અધિકારીઓ સામે FIR નોંધાઈ, રેલો પગ નીચે આવતા તંત્ર જાગ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:36:02

અમદાવાદાના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની છે. હાઈકોર્ટના ઓર્ડર છતાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રખડતા ઢોર મુદ્દે તદ્દન નિષ્ફળ રહ્યું છે. જો કે હવે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ફરિયાદમાં રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


AMCના અધિકારીઓ શા માટે નોંધાઈ ફરિયાદ?


અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે અડફેટે લેતા 39 વર્ષીય ભાવિન પટેલ નામના યુવાનને અકસ્માત થયો હતો. બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજની સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં મૃતકના મોટા ભાઈએ જાહેર રસ્તા પર ગાયને છૂટી મુકનારા ગાયના માલિક અને તે સાથે જ રસ્તાઓ પર રખડતાં ઢોર પકડવા મામલે બેદરકારી દાખવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધ્યો ગુનો હતો. AMCના અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ મૃતક ભાવિન પટેલના પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. 


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ


અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર ભાવિન પટેલને હડફેટમાં લીધા હતા. અવની સ્ક્વેર પાસે ભેરૂનાથ ટી સ્ટોલ સામે બનેલી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે. ગાય અચાનક જ રસ્તો અને ડિવાઈડર ક્રોસ કરીને સામેના રસ્તે દોડી ગઈ હતી અને ભાવિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે