ચૂંટણી નજીક આવતા AMCએ રખડતા પશુઓ માટે લીધો નિર્ણય, જાણો કઈ ગાયોને કરાશે મુક્ત


  • Published By :
  • Published Date : 2022-10-27 13:38:19

રખડતા પશુઓને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રખડતા પશુ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત એએમસી દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે. ત્યારે એએમસીએ એક નિર્ણય કર્યો છે જેમાં માત્ર દુધાળા પશુઓને દંડ વસુલીને છોડવામાં આવશે. 

દુધાળા પશુને કરાશે મુક્ત 

પશુઓને કારણે થતી જાનહાની ટળે તે માટે રાજ્ય સરકારે તમામ મનપાને આદેશ આપ્યા હતા. જેમાં રખડતા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ મનપાએ પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી અને પાંજરાપોળમાં પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જેનો સ્વીકાર એએમસીએ કર્યો છે. એટલે માત્ર દુધાળા પશુઓને દંડ વસુલ્યા બાદ મુક્ત કરવામાં આવશે. માલધારી સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. દુધાળા પશુઓના બચ્ચા જીવંત રહે તે માટે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાએ આ નિર્ણય કર્યો છે.


વિરોધને કારણે સરકારે પરત લીધો હતો વિધેયક 

રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે વિધેયક પસાર કર્યો હતો. જેનો વિરોધ માલધારી સમાજે મોટા પાયે કર્યો હતો. વધતા વિરોધને કારણે સરકારે આ વિધેયક પરત લઈ લીધું હતું. સરકારે આ નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વિધેયકને લઈ માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી સમયે સમાજ નારાજ થાય તો સરકારને ભારે નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે. જેને જોતા સરકારે આ નિર્ણય પરત લઈ લીધો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.