ચૂંટણી નજીક આવતા AMCએ રખડતા પશુઓ માટે લીધો નિર્ણય, જાણો કઈ ગાયોને કરાશે મુક્ત


  • Published By :
  • Published Date : 2022-10-27 13:38:19

રખડતા પશુઓને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રખડતા પશુ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત એએમસી દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે. ત્યારે એએમસીએ એક નિર્ણય કર્યો છે જેમાં માત્ર દુધાળા પશુઓને દંડ વસુલીને છોડવામાં આવશે. 

દુધાળા પશુને કરાશે મુક્ત 

પશુઓને કારણે થતી જાનહાની ટળે તે માટે રાજ્ય સરકારે તમામ મનપાને આદેશ આપ્યા હતા. જેમાં રખડતા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ મનપાએ પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી અને પાંજરાપોળમાં પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જેનો સ્વીકાર એએમસીએ કર્યો છે. એટલે માત્ર દુધાળા પશુઓને દંડ વસુલ્યા બાદ મુક્ત કરવામાં આવશે. માલધારી સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. દુધાળા પશુઓના બચ્ચા જીવંત રહે તે માટે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાએ આ નિર્ણય કર્યો છે.


વિરોધને કારણે સરકારે પરત લીધો હતો વિધેયક 

રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે વિધેયક પસાર કર્યો હતો. જેનો વિરોધ માલધારી સમાજે મોટા પાયે કર્યો હતો. વધતા વિરોધને કારણે સરકારે આ વિધેયક પરત લઈ લીધું હતું. સરકારે આ નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વિધેયકને લઈ માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી સમયે સમાજ નારાજ થાય તો સરકારને ભારે નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે. જેને જોતા સરકારે આ નિર્ણય પરત લઈ લીધો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.