ચૂંટણી નજીક આવતા AMCએ રખડતા પશુઓ માટે લીધો નિર્ણય, જાણો કઈ ગાયોને કરાશે મુક્ત


  • Published By :
  • Published Date : 2022-10-27 13:38:19

રખડતા પશુઓને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રખડતા પશુ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત એએમસી દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે. ત્યારે એએમસીએ એક નિર્ણય કર્યો છે જેમાં માત્ર દુધાળા પશુઓને દંડ વસુલીને છોડવામાં આવશે. 

દુધાળા પશુને કરાશે મુક્ત 

પશુઓને કારણે થતી જાનહાની ટળે તે માટે રાજ્ય સરકારે તમામ મનપાને આદેશ આપ્યા હતા. જેમાં રખડતા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ મનપાએ પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી અને પાંજરાપોળમાં પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જેનો સ્વીકાર એએમસીએ કર્યો છે. એટલે માત્ર દુધાળા પશુઓને દંડ વસુલ્યા બાદ મુક્ત કરવામાં આવશે. માલધારી સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. દુધાળા પશુઓના બચ્ચા જીવંત રહે તે માટે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાએ આ નિર્ણય કર્યો છે.


વિરોધને કારણે સરકારે પરત લીધો હતો વિધેયક 

રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે વિધેયક પસાર કર્યો હતો. જેનો વિરોધ માલધારી સમાજે મોટા પાયે કર્યો હતો. વધતા વિરોધને કારણે સરકારે આ વિધેયક પરત લઈ લીધું હતું. સરકારે આ નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વિધેયકને લઈ માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી સમયે સમાજ નારાજ થાય તો સરકારને ભારે નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે. જેને જોતા સરકારે આ નિર્ણય પરત લઈ લીધો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.