ચૂંટણી નજીક આવતા AMCએ રખડતા પશુઓ માટે લીધો નિર્ણય, જાણો કઈ ગાયોને કરાશે મુક્ત


  • Published By :
  • Published Date : 2022-10-27 13:38:19

રખડતા પશુઓને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રખડતા પશુ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત એએમસી દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે. ત્યારે એએમસીએ એક નિર્ણય કર્યો છે જેમાં માત્ર દુધાળા પશુઓને દંડ વસુલીને છોડવામાં આવશે. 

દુધાળા પશુને કરાશે મુક્ત 

પશુઓને કારણે થતી જાનહાની ટળે તે માટે રાજ્ય સરકારે તમામ મનપાને આદેશ આપ્યા હતા. જેમાં રખડતા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ મનપાએ પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી અને પાંજરાપોળમાં પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જેનો સ્વીકાર એએમસીએ કર્યો છે. એટલે માત્ર દુધાળા પશુઓને દંડ વસુલ્યા બાદ મુક્ત કરવામાં આવશે. માલધારી સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. દુધાળા પશુઓના બચ્ચા જીવંત રહે તે માટે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાએ આ નિર્ણય કર્યો છે.


વિરોધને કારણે સરકારે પરત લીધો હતો વિધેયક 

રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે વિધેયક પસાર કર્યો હતો. જેનો વિરોધ માલધારી સમાજે મોટા પાયે કર્યો હતો. વધતા વિરોધને કારણે સરકારે આ વિધેયક પરત લઈ લીધું હતું. સરકારે આ નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વિધેયકને લઈ માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી સમયે સમાજ નારાજ થાય તો સરકારને ભારે નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે. જેને જોતા સરકારે આ નિર્ણય પરત લઈ લીધો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.