AMCની ઢોર પકડનારી ટીમ પર નિકોલમાં બુધવાર રાત્રે માલધારીએ તલવારથી કર્યો હુમલો, એક કર્મચારી ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:21


અમદાવાદમાં રખડતા ઢોર પકડવા જતી અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ટીમ પર અવારનવાર હુમલા થતા રહે છે. હાઇકોર્ટના હુકમનું પાલન કરતી AMCની ટીમ પર હુમલાની વધુ એક ઘટના બની છે. માલધારીઓએ નિકોલમાં હુમલો કર્યો હતો. નિકોલમાં રખડતી ગાયો સહિત  અન્ય પશુઓને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ઢોર પકડનારી ટીમ ગયેલી ત્યારે તેના ઉપર માલધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક કર્મચારીને તલવાર મારી હતી. માલધારીઓએ ટીમના કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિકોલ પોલીસે ગોમતીપુરના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો તે અંગે AMCના ઢોર અંકુશ વિભાગમાં નોકરી કરતા ઈકરામમુદ્રીન અયુબખાન પઠાણ (ઉ.વ.52)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશભાઇ ભીખાભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિગતો આપતા જણાવ્યું હતું  કે ગઈકાલે રાતે સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા પોલીસ બંદોબસ્ત સાથે જાહેર રોડ ઉપર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માલધારીઓના ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મૂકયા હતા.


ગંભીર રીતે ઘાયલ કર્મચારી હોસ્પિટલમાં ખસેડાયા


પ્રથમ ગોમતીપુર વિસ્તારમાંથી બે ગાયો પકડીને ડબ્બામાં પુરેલી હતી બાદમાં મધરાતે નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તાથી ખોડિયાર માતાના મંદિર તરફ જતા હતા. આ સમયે  રખડતી ગાયને કોર્ડન કરીને પકડતા હતા જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે રહેતા મહેશ રબારીએ આવીને ફરિયાદી પર તલવારથી હુમલો કર્યો હતો અને જાનથી મારી  નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"