AMCની ઢોર પકડનારી ટીમ પર નિકોલમાં બુધવાર રાત્રે માલધારીએ તલવારથી કર્યો હુમલો, એક કર્મચારી ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:21


અમદાવાદમાં રખડતા ઢોર પકડવા જતી અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ટીમ પર અવારનવાર હુમલા થતા રહે છે. હાઇકોર્ટના હુકમનું પાલન કરતી AMCની ટીમ પર હુમલાની વધુ એક ઘટના બની છે. માલધારીઓએ નિકોલમાં હુમલો કર્યો હતો. નિકોલમાં રખડતી ગાયો સહિત  અન્ય પશુઓને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ઢોર પકડનારી ટીમ ગયેલી ત્યારે તેના ઉપર માલધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક કર્મચારીને તલવાર મારી હતી. માલધારીઓએ ટીમના કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિકોલ પોલીસે ગોમતીપુરના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો તે અંગે AMCના ઢોર અંકુશ વિભાગમાં નોકરી કરતા ઈકરામમુદ્રીન અયુબખાન પઠાણ (ઉ.વ.52)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશભાઇ ભીખાભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિગતો આપતા જણાવ્યું હતું  કે ગઈકાલે રાતે સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા પોલીસ બંદોબસ્ત સાથે જાહેર રોડ ઉપર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માલધારીઓના ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મૂકયા હતા.


ગંભીર રીતે ઘાયલ કર્મચારી હોસ્પિટલમાં ખસેડાયા


પ્રથમ ગોમતીપુર વિસ્તારમાંથી બે ગાયો પકડીને ડબ્બામાં પુરેલી હતી બાદમાં મધરાતે નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તાથી ખોડિયાર માતાના મંદિર તરફ જતા હતા. આ સમયે  રખડતી ગાયને કોર્ડન કરીને પકડતા હતા જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે રહેતા મહેશ રબારીએ આવીને ફરિયાદી પર તલવારથી હુમલો કર્યો હતો અને જાનથી મારી  નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.