AMCની ઢોર પકડનારી ટીમ પર નિકોલમાં બુધવાર રાત્રે માલધારીએ તલવારથી કર્યો હુમલો, એક કર્મચારી ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:21


અમદાવાદમાં રખડતા ઢોર પકડવા જતી અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ટીમ પર અવારનવાર હુમલા થતા રહે છે. હાઇકોર્ટના હુકમનું પાલન કરતી AMCની ટીમ પર હુમલાની વધુ એક ઘટના બની છે. માલધારીઓએ નિકોલમાં હુમલો કર્યો હતો. નિકોલમાં રખડતી ગાયો સહિત  અન્ય પશુઓને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ઢોર પકડનારી ટીમ ગયેલી ત્યારે તેના ઉપર માલધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક કર્મચારીને તલવાર મારી હતી. માલધારીઓએ ટીમના કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિકોલ પોલીસે ગોમતીપુરના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો તે અંગે AMCના ઢોર અંકુશ વિભાગમાં નોકરી કરતા ઈકરામમુદ્રીન અયુબખાન પઠાણ (ઉ.વ.52)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશભાઇ ભીખાભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિગતો આપતા જણાવ્યું હતું  કે ગઈકાલે રાતે સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા પોલીસ બંદોબસ્ત સાથે જાહેર રોડ ઉપર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માલધારીઓના ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મૂકયા હતા.


ગંભીર રીતે ઘાયલ કર્મચારી હોસ્પિટલમાં ખસેડાયા


પ્રથમ ગોમતીપુર વિસ્તારમાંથી બે ગાયો પકડીને ડબ્બામાં પુરેલી હતી બાદમાં મધરાતે નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તાથી ખોડિયાર માતાના મંદિર તરફ જતા હતા. આ સમયે  રખડતી ગાયને કોર્ડન કરીને પકડતા હતા જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે રહેતા મહેશ રબારીએ આવીને ફરિયાદી પર તલવારથી હુમલો કર્યો હતો અને જાનથી મારી  નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે