AMC વ્હાઈટ ટોપિંગ પદ્ધતિનો ઉપયોગ કરી કરશે અમદાવાદના રોડ-રસ્તાનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-10-30 13:11:32

વરસાદ પડવાને કારણે રસ્તાઓની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. તંત્રના કહેવા પ્રમાણે રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રોડના સમારકામ દરમિયાન રસ્તા પર થિગડા મારવામાં આવતા હોય તેવું લાગે છે.ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદમાં પહેલી વખત વ્હાઈટ ટોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રોડ બનાવામાં આવી રહ્યો છે. ગુરૂકુળ વિસ્તારમાં આ રોડ તૈયાર કરાઈ રહ્યો છે. 

AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં 'ફોર્સ મેજર' કલમ લાગુ કરી, 2500 કરોડથી  વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે | AMC has implemented  'force ...

રસ્તા પર AMC દ્વારા થઈ રહ્યા છે અખતરા

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદારોને આકર્ષવા પાર્ટી તમામ પ્રયાસ કરી રહી છે. ખરાબ રોડ એક એવો મામલો છે જેની સીધી અસર મતદારો પર પડતી હોય છે. ખરાબ રસ્તાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચૂંટણી સમયે AMC રસ્તા પર અખતરા કરી રહ્યું છે. તંત્રએ વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવાની શરૂઆત કરી છે. આ રોડને ડામરના રોડ કરતા વધારે મજબૂત માનવામાં આવે છે.

White top Road

અગાઉ પ્લાસ્ટિકથી રોડ બનાવાની કામગીરી કરાઈ હતી  

ખરાબ રોડને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. બોલપેન નાખવા માત્રથી રસ્તા પરનો ડામર ઉખડી ગયો હતો. વિપક્ષ દ્વારા આ વાતને લઈ સત્તા પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ખરાબ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રએ પ્લાસ્ટિકથી રોડ બનાવાનું નક્કી કર્યં પરંતુ તે પદ્ધિતી ખર્ચાળ લાગતા તંત્રએ કામ બંધ કરી દીધું હતું.   

White top Road In Ahmedabad

અંદાજીત 20 કરોડના ખર્ચે બનશે આ રોડ

ખરાબ રસ્તાને સુધારવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને અનેક વખત ટકોર કરી છે. પરંતુ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા. ત્યારે રોડ સારો અને ટકાઉ બને તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. આ રોડ ગુરૂકુળ રોડ પાસે આવેલા તિર્થનગર પાસે તૈયાર કરવામાં આવશે. આ રોડ અંદાજીત 5 કિ.મી રોડ બનાવવામાં આવશે. આ રોડને બનાવા પાછળ અંદાજીત 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.