AMC વ્હાઈટ ટોપિંગ પદ્ધતિનો ઉપયોગ કરી કરશે અમદાવાદના રોડ-રસ્તાનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-10-30 13:11:32

વરસાદ પડવાને કારણે રસ્તાઓની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. તંત્રના કહેવા પ્રમાણે રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રોડના સમારકામ દરમિયાન રસ્તા પર થિગડા મારવામાં આવતા હોય તેવું લાગે છે.ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદમાં પહેલી વખત વ્હાઈટ ટોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રોડ બનાવામાં આવી રહ્યો છે. ગુરૂકુળ વિસ્તારમાં આ રોડ તૈયાર કરાઈ રહ્યો છે. 

AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં 'ફોર્સ મેજર' કલમ લાગુ કરી, 2500 કરોડથી  વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે | AMC has implemented  'force ...

રસ્તા પર AMC દ્વારા થઈ રહ્યા છે અખતરા

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદારોને આકર્ષવા પાર્ટી તમામ પ્રયાસ કરી રહી છે. ખરાબ રોડ એક એવો મામલો છે જેની સીધી અસર મતદારો પર પડતી હોય છે. ખરાબ રસ્તાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચૂંટણી સમયે AMC રસ્તા પર અખતરા કરી રહ્યું છે. તંત્રએ વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવાની શરૂઆત કરી છે. આ રોડને ડામરના રોડ કરતા વધારે મજબૂત માનવામાં આવે છે.

White top Road

અગાઉ પ્લાસ્ટિકથી રોડ બનાવાની કામગીરી કરાઈ હતી  

ખરાબ રોડને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. બોલપેન નાખવા માત્રથી રસ્તા પરનો ડામર ઉખડી ગયો હતો. વિપક્ષ દ્વારા આ વાતને લઈ સત્તા પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ખરાબ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રએ પ્લાસ્ટિકથી રોડ બનાવાનું નક્કી કર્યં પરંતુ તે પદ્ધિતી ખર્ચાળ લાગતા તંત્રએ કામ બંધ કરી દીધું હતું.   

White top Road In Ahmedabad

અંદાજીત 20 કરોડના ખર્ચે બનશે આ રોડ

ખરાબ રસ્તાને સુધારવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને અનેક વખત ટકોર કરી છે. પરંતુ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા. ત્યારે રોડ સારો અને ટકાઉ બને તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. આ રોડ ગુરૂકુળ રોડ પાસે આવેલા તિર્થનગર પાસે તૈયાર કરવામાં આવશે. આ રોડ અંદાજીત 5 કિ.મી રોડ બનાવવામાં આવશે. આ રોડને બનાવા પાછળ અંદાજીત 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.