AMC વ્હાઈટ ટોપિંગ પદ્ધતિનો ઉપયોગ કરી કરશે અમદાવાદના રોડ-રસ્તાનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-10-30 13:11:32

વરસાદ પડવાને કારણે રસ્તાઓની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. તંત્રના કહેવા પ્રમાણે રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રોડના સમારકામ દરમિયાન રસ્તા પર થિગડા મારવામાં આવતા હોય તેવું લાગે છે.ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદમાં પહેલી વખત વ્હાઈટ ટોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રોડ બનાવામાં આવી રહ્યો છે. ગુરૂકુળ વિસ્તારમાં આ રોડ તૈયાર કરાઈ રહ્યો છે. 

AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં 'ફોર્સ મેજર' કલમ લાગુ કરી, 2500 કરોડથી  વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે | AMC has implemented  'force ...

રસ્તા પર AMC દ્વારા થઈ રહ્યા છે અખતરા

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદારોને આકર્ષવા પાર્ટી તમામ પ્રયાસ કરી રહી છે. ખરાબ રોડ એક એવો મામલો છે જેની સીધી અસર મતદારો પર પડતી હોય છે. ખરાબ રસ્તાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચૂંટણી સમયે AMC રસ્તા પર અખતરા કરી રહ્યું છે. તંત્રએ વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવાની શરૂઆત કરી છે. આ રોડને ડામરના રોડ કરતા વધારે મજબૂત માનવામાં આવે છે.

White top Road

અગાઉ પ્લાસ્ટિકથી રોડ બનાવાની કામગીરી કરાઈ હતી  

ખરાબ રોડને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. બોલપેન નાખવા માત્રથી રસ્તા પરનો ડામર ઉખડી ગયો હતો. વિપક્ષ દ્વારા આ વાતને લઈ સત્તા પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ખરાબ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રએ પ્લાસ્ટિકથી રોડ બનાવાનું નક્કી કર્યં પરંતુ તે પદ્ધિતી ખર્ચાળ લાગતા તંત્રએ કામ બંધ કરી દીધું હતું.   

White top Road In Ahmedabad

અંદાજીત 20 કરોડના ખર્ચે બનશે આ રોડ

ખરાબ રસ્તાને સુધારવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને અનેક વખત ટકોર કરી છે. પરંતુ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા. ત્યારે રોડ સારો અને ટકાઉ બને તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. આ રોડ ગુરૂકુળ રોડ પાસે આવેલા તિર્થનગર પાસે તૈયાર કરવામાં આવશે. આ રોડ અંદાજીત 5 કિ.મી રોડ બનાવવામાં આવશે. આ રોડને બનાવા પાછળ અંદાજીત 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.