AMCમાં ઉત્તરાયણ બાદ નેતા વિપક્ષ બદલાશે, શહેઝાદખાન પઠાણ સામે કોંગ્રેસમાં જ વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:28:17

કોંગ્રેસ પાર્ટીનાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર 24 કોર્પોરેટરો છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીમાં નેતા વિપક્ષનું પદ મેળવવા જબરદસ્ત ખેંચતાણ શરૂ થતાં કોંગ્રેસ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને નેતા વિપક્ષ બદલવાની બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી. ત્યાર બાદથી તેમને હટાવવા માટે આંતરિક ખટપટો શરૂ થઈ હતી.


7 કોર્પોટેટરોએ જગદીશ ઠાકોરને કરી રજુઆત


કોંગ્રેસના સાત કોર્પોરેટરોએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળી નેતા વિપક્ષ મુદ્દે નિર્ણય લેવા રજૂઆત કરી હતી. અગાઉ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે નેતા વિપક્ષની ટર્મ એક વર્ષની રાખવી અને દર વર્ષે અલગ-અલગ નેતા વિપક્ષની પસંદગી કરવી. હાલના નેતા વિપક્ષ શહેઝાદખાન પઠાણની એક વર્ષની ટર્મ 10 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ચૂકી છે. એમને બદલી અન્ય કોઈની પસંદગી કરવામાં આવે એવી માંગ કરાઈ રહી હતી. 


કોણ છે રેસમાં?


કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવા પહોંચનાર કોર્પોરેટરોએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં એક વર્ષની ટર્મ શહેર કોંગ્રેસના 24 કોર્પોરેટર અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નક્કી કરાઈ હતી. જેને વર્ષ થતા હવે બદલાવ કરવામાં આવે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે આગામી સમયે ઓબ્ઝર્વેરની નિમણૂક કરી કોને નેતા વિપક્ષ બનાવવા એ અંગેના સૂચનો અને નામોનું લિસ્ટ તૈયાર કરીશું. જો નામોની વાત કરવામાં આવે તો પૂર્વ નેતાવિપક્ષ રહેલ કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ, હાજી અસરાર બેગ, નિરવ બક્ષી અને રાજશ્રી કેસરીના નામો માંથી કોઈની પસંદગી થઈ શકે છે.


ઉત્તરાયણ બાદ થશે પસંદગી


અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ઉત્તરાયણ બાદ બદલાશે. નવ કાઉન્સિલરોએ કરેલી રજુઆત બાદ પ્રદેશ સ્તરેથી નિર્ણય લેવાશે. પ્રમુખ બાદ પ્રભારી સાથે નવ કાઉન્સિલરો બેઠક કરવાની તૈયારીમાં છે. પ્રદેશ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને વિપક્ષ નેતા બદલવા બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી.


AMCમાં નેતા વિપક્ષ માટે કોંગ્રેસમાં તકરાર


અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતાને લઇને મોટો હોબાળો થઇ ચૂક્યો છે. જેમાં આ પૂર્વે પણ વિપક્ષના નેતાને લઇને કોંગ્રેસના કાઉન્સલીરો બે જુથમાં વહેચાયા હતા. તેમજ જેમાં પૂર્વ નેતા દિનેશ શર્માના નામને લઇને પણ હોબાળો મચ્યો હતો. જેના પગલે કોંગ્રેસે ના છૂટકે વિપક્ષના નેતા તરીકે શેહઝાદખાન પઠાણની એક વર્ષ માટે નિમણૂક કરી હતી. જો કે એક વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ફરી એક વાર વિપક્ષ નેતાના નામનો વિવાદ સામે આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં ફરી એક વાર મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના ઉકળતો ચરુ જોવા મળશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.