AMCમાં ઉત્તરાયણ બાદ નેતા વિપક્ષ બદલાશે, શહેઝાદખાન પઠાણ સામે કોંગ્રેસમાં જ વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:28:17

કોંગ્રેસ પાર્ટીનાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર 24 કોર્પોરેટરો છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીમાં નેતા વિપક્ષનું પદ મેળવવા જબરદસ્ત ખેંચતાણ શરૂ થતાં કોંગ્રેસ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને નેતા વિપક્ષ બદલવાની બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી. ત્યાર બાદથી તેમને હટાવવા માટે આંતરિક ખટપટો શરૂ થઈ હતી.


7 કોર્પોટેટરોએ જગદીશ ઠાકોરને કરી રજુઆત


કોંગ્રેસના સાત કોર્પોરેટરોએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળી નેતા વિપક્ષ મુદ્દે નિર્ણય લેવા રજૂઆત કરી હતી. અગાઉ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે નેતા વિપક્ષની ટર્મ એક વર્ષની રાખવી અને દર વર્ષે અલગ-અલગ નેતા વિપક્ષની પસંદગી કરવી. હાલના નેતા વિપક્ષ શહેઝાદખાન પઠાણની એક વર્ષની ટર્મ 10 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ચૂકી છે. એમને બદલી અન્ય કોઈની પસંદગી કરવામાં આવે એવી માંગ કરાઈ રહી હતી. 


કોણ છે રેસમાં?


કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવા પહોંચનાર કોર્પોરેટરોએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં એક વર્ષની ટર્મ શહેર કોંગ્રેસના 24 કોર્પોરેટર અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નક્કી કરાઈ હતી. જેને વર્ષ થતા હવે બદલાવ કરવામાં આવે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે આગામી સમયે ઓબ્ઝર્વેરની નિમણૂક કરી કોને નેતા વિપક્ષ બનાવવા એ અંગેના સૂચનો અને નામોનું લિસ્ટ તૈયાર કરીશું. જો નામોની વાત કરવામાં આવે તો પૂર્વ નેતાવિપક્ષ રહેલ કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ, હાજી અસરાર બેગ, નિરવ બક્ષી અને રાજશ્રી કેસરીના નામો માંથી કોઈની પસંદગી થઈ શકે છે.


ઉત્તરાયણ બાદ થશે પસંદગી


અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ઉત્તરાયણ બાદ બદલાશે. નવ કાઉન્સિલરોએ કરેલી રજુઆત બાદ પ્રદેશ સ્તરેથી નિર્ણય લેવાશે. પ્રમુખ બાદ પ્રભારી સાથે નવ કાઉન્સિલરો બેઠક કરવાની તૈયારીમાં છે. પ્રદેશ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને વિપક્ષ નેતા બદલવા બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી.


AMCમાં નેતા વિપક્ષ માટે કોંગ્રેસમાં તકરાર


અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતાને લઇને મોટો હોબાળો થઇ ચૂક્યો છે. જેમાં આ પૂર્વે પણ વિપક્ષના નેતાને લઇને કોંગ્રેસના કાઉન્સલીરો બે જુથમાં વહેચાયા હતા. તેમજ જેમાં પૂર્વ નેતા દિનેશ શર્માના નામને લઇને પણ હોબાળો મચ્યો હતો. જેના પગલે કોંગ્રેસે ના છૂટકે વિપક્ષના નેતા તરીકે શેહઝાદખાન પઠાણની એક વર્ષ માટે નિમણૂક કરી હતી. જો કે એક વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ફરી એક વાર વિપક્ષ નેતાના નામનો વિવાદ સામે આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં ફરી એક વાર મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના ઉકળતો ચરુ જોવા મળશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.