અમેરિકાએ બિટકોઈન ETFને આપી મંજુરી, ભારતનો પ્લાન શું છે, RBI ગવર્નરે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-12 14:42:45

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વ અને ઈમર્જિંગ માર્કેટ્સ માટેના જોખમોને ટાંકીને, ક્રિપ્ટો અંગે કહ્યું કે અમે અન્યનું અનુકરણ કરીશું નહીં. દાસે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કરન્સી સામે RBI અને તેમનો પોતાનો વિરોધ બદલાશે નહીં. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે દુનિયા કે ઈમર્જિંગ માર્કેટ્સ ટ્યૂલિપ મેનિયા જેવા ક્રિપ્ટોમેનિયાના જોખમને સહન કરી શકે છે.' ગુરુવારે  યોજાયેલા ફાયનાન્સિયલ સેક્ટરના સેમિનારને સંબોધતા દાસે કહ્યું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે ક્રિપ્ટોના માર્ગ પર જવાથી ઘણા જોખમો પેદા થશે અને તેને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ બનશે.


RBI ગવર્નરે શું કહ્યું?


ક્રિપ્ટોકરન્સી અંગે અમેરિકાના પગલા અંગે તેમને પૂછવામાં આવતા દાસે કહ્યું ' સવાલ એ છે કે તમે તે માર્ગે શા માટે જવા માંગો છો? તમને શું ફાયદો થશે?' તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો કે અન્ય દેશએ શું કર્યું છે. તે માત્ર એટલું જ જાણે છે તેમના દેશ માટે શું સારૂં છે, જો કે હું એટલું તો ચોક્કસ કહીંશ કે તેમણે ખુદ તેના જોખમો શોધી કાઢ્યા છે, અને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે અમેરિકાની રેગ્યુલેટર દ્વારા બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજુરી મળી ગઈ છે અને તેના માટે નિયમોમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.