અમેરિકાએ બિટકોઈન ETFને આપી મંજુરી, ભારતનો પ્લાન શું છે, RBI ગવર્નરે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-12 14:42:45

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વ અને ઈમર્જિંગ માર્કેટ્સ માટેના જોખમોને ટાંકીને, ક્રિપ્ટો અંગે કહ્યું કે અમે અન્યનું અનુકરણ કરીશું નહીં. દાસે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કરન્સી સામે RBI અને તેમનો પોતાનો વિરોધ બદલાશે નહીં. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે દુનિયા કે ઈમર્જિંગ માર્કેટ્સ ટ્યૂલિપ મેનિયા જેવા ક્રિપ્ટોમેનિયાના જોખમને સહન કરી શકે છે.' ગુરુવારે  યોજાયેલા ફાયનાન્સિયલ સેક્ટરના સેમિનારને સંબોધતા દાસે કહ્યું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે ક્રિપ્ટોના માર્ગ પર જવાથી ઘણા જોખમો પેદા થશે અને તેને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ બનશે.


RBI ગવર્નરે શું કહ્યું?


ક્રિપ્ટોકરન્સી અંગે અમેરિકાના પગલા અંગે તેમને પૂછવામાં આવતા દાસે કહ્યું ' સવાલ એ છે કે તમે તે માર્ગે શા માટે જવા માંગો છો? તમને શું ફાયદો થશે?' તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો કે અન્ય દેશએ શું કર્યું છે. તે માત્ર એટલું જ જાણે છે તેમના દેશ માટે શું સારૂં છે, જો કે હું એટલું તો ચોક્કસ કહીંશ કે તેમણે ખુદ તેના જોખમો શોધી કાઢ્યા છે, અને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે અમેરિકાની રેગ્યુલેટર દ્વારા બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજુરી મળી ગઈ છે અને તેના માટે નિયમોમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.