અમેરિકાએ બિટકોઈન ETFને આપી મંજુરી, ભારતનો પ્લાન શું છે, RBI ગવર્નરે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-12 14:42:45

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વ અને ઈમર્જિંગ માર્કેટ્સ માટેના જોખમોને ટાંકીને, ક્રિપ્ટો અંગે કહ્યું કે અમે અન્યનું અનુકરણ કરીશું નહીં. દાસે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કરન્સી સામે RBI અને તેમનો પોતાનો વિરોધ બદલાશે નહીં. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે દુનિયા કે ઈમર્જિંગ માર્કેટ્સ ટ્યૂલિપ મેનિયા જેવા ક્રિપ્ટોમેનિયાના જોખમને સહન કરી શકે છે.' ગુરુવારે  યોજાયેલા ફાયનાન્સિયલ સેક્ટરના સેમિનારને સંબોધતા દાસે કહ્યું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે ક્રિપ્ટોના માર્ગ પર જવાથી ઘણા જોખમો પેદા થશે અને તેને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ બનશે.


RBI ગવર્નરે શું કહ્યું?


ક્રિપ્ટોકરન્સી અંગે અમેરિકાના પગલા અંગે તેમને પૂછવામાં આવતા દાસે કહ્યું ' સવાલ એ છે કે તમે તે માર્ગે શા માટે જવા માંગો છો? તમને શું ફાયદો થશે?' તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો કે અન્ય દેશએ શું કર્યું છે. તે માત્ર એટલું જ જાણે છે તેમના દેશ માટે શું સારૂં છે, જો કે હું એટલું તો ચોક્કસ કહીંશ કે તેમણે ખુદ તેના જોખમો શોધી કાઢ્યા છે, અને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે અમેરિકાની રેગ્યુલેટર દ્વારા બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજુરી મળી ગઈ છે અને તેના માટે નિયમોમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે