ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની ચૂંટણી વ્યવસ્થાની કરી પ્રશંસા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 13:29:04

હાલના સમયમાં તો અવારનવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને આડેહાથ લેતા રહે છે . પરંતુ હવે એક બાબતને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની પ્રશંસા કરી છે તે છે ભારતની ચૂંટણી પ્રણાલી . ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકામાં ચૂંટણી પ્રણાલીને લઇને મહત્વપૂર્ણ સુધારા કર્યા છે . આ માટેના એક્ઝિકયુટીવ ઓર્ડરમાં ભારતની ચૂંટણી પ્રણાલીનું  ઉદાહરણ આપ્યું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ સુધારા કર્યા છે, જેનો ઉદ્દેશ્ય મતદાન પ્રણાલીને વધુ પારદર્શી અને સુરક્ષિત બનાવવાનો છે. જેના હેઠળ આ મુખ્ય ફેરફારો લાગુ કરવામાં આવ્યા. 

Donald Trump - Wikipedia

૧. નાગરિકતાનો પુરાવો  ફરજિયાત: મતદાર નોંધણી અને મતદાન માટે હવે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ પગલું ગેરકાયદેસર મતદાનને રોકવા અને ચૂંટણીની અખંડિતતા જાળવવા માટે લેવાયું છે.

૨. મતપત્રોની ગણતરી માટે સમયમર્યાદા: ચૂંટણીના દિવસ સુધીમાં તમામ મતપત્રો એટલેકે બેલેટની ગણતરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા નવા નિયમો ઘડવામાં આવ્યા છે, જેથી પરિણામોમાં વિલંબ ન થાય.

૩. ફોરેન ડોનેશનસ એટલેકે , વિદેશથી આવતા પૈસા પર પ્રતિબંધ મુકવો જેનાથી અમેરિકન ચૂંટણીઓની અખંડિતતા જળવાયેલી  રહે . 

૪. અમેરિકાના રાજ્યોએ પોતાની મતદારયાદીની ચકાસણી ત્યાંની કેન્દ્ર એટલેકે , ફેડરલ ગવર્મેન્ટના ડિપાર્ટમન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયંસીને જમા કરાવવી પડશે . આપને કહી દયિકે , આ નવું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયંસી એ ઈલોન મસ્ક સાંભળે છે. તેનાથી ફેકવોટરને અલગ કાઢી શકાશે. 

૫. ઈલેક્શન આસીસ્ટન્સ કમિશનને તેમણે આદેશ આપ્યો છે , મતગણતરી દરમ્યાન બારકોડ અને ક્યુઆર કોડનો ઉપયોગ બંધ કરો .      

ટ્રમ્પે આ આદેશમાં ભારત અને બ્રાઝિલની ચૂંટણી વ્યવસ્થાને આદર્શ ગણાવી છે, જ્યાં મતદાર ઓળખ યાદી બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડાયેલી છે. તેમનું કહેવું છે કે અમેરિકા અગાઉ સ્વ-ચકાસણી પર આધારીત  હતું, જે પૂરતું સુરક્ષિત ન હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ લાંબા સમયથી અમેરિકાની ચૂંટણી વ્યવસ્થાને શંકાની દ્રષ્ટિએ જોતા રહ્યા છે . તેમનું માનવું છે કે , અમેરિકા પાયાના મતદારોને સુરક્ષા આપવામાં બીજા દેશો કરતા ખુબ પાછળ છે.  ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે , " આપણો દેશ એટલો બીમાર છે કે , આપણી ચૂંટણીઓ ઘણા અંશે ફેક છે . અમે તેમાં સુધારા કરીશું . મને ગર્વ છે કે આ એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હું સાઈન કરવા જઈ રહ્યો છુ."  ડોનાલ્ડ ટ્રમ્પના આ સુધારા ભવિષ્યમાં ૨૦૨૬ના મીડટર્મ અને ૨૦૨૮ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓને લઈને મહત્વના હશે .  વાત કરીએ , ભારતની તો ભારતની ચૂંટણી પ્રણાલીએ ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા છે . જેમ કે , આપણા ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષાન મતદારકાર્ડ પર ફોટો લઇને આવ્યા જેનાથી ફેક વોટિંગને દૂર કરી શકાય .



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.