એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં "પાણીપત" જાહેર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-16 14:50:59

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે.  બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.  

Banas Dairy - Wikipedia

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.  આ ચૂંટણીમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પસંદગી કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષ માટે ડેરીનું સંચાલન કરશે. વાત કરીએ , બનાસ ડેરીના ચૂંટણી કાર્યક્રમની તો , ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૧૦મી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૧મી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો ૨૨ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે. 

PM Modi Inaugurates New Dairy Complex and Potato Processing Plant in Gujarat

હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. બનાસ ડેરીની ચૂંટણી હંમેશાથી ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ ઘટના રહી છે. આ ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડેરીના વિકાસ અને નીતિ-નિર્ધારણમાં સીધો ભાગ ભજવે છે. આ વર્ષની ચૂંટણી પણ ભારે ઉત્સાહ અને રસપ્રદ બનવાની શક્યતા છે.આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતોના ભવિષ્યને સીધી રીતે અસર કરશે. હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Sanadar Banas Dairy Plant in Deodar,Banaskantha - Best Milk Dairy near me  in Banaskantha - Justdial

વાત બનાસ ડેરીના ઇતિહાસની તો , સ્વ. ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૬માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરુ કર્યું હતું. ૧૯૬૯માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. નું સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું જેને આપણે આજે બનાસ ડેરી તરીકે ઓળખીએ છીએ. ૧૯૭૧માં NDDB એટલે કે , નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા , બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણા નજીક ૧૨૨ એકર જમીનમાં કરવામાં આવ્યો. શરૂઆત થોડાક ગામની દૂધમંડળીઓ સાથે શરુ થયેલી બનાસ ડેરી હવે એશિયામાં સૌથી મોટી ડેરી બની ચુકી છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.