એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં "પાણીપત" જાહેર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-16 14:50:59

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે.  બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.  

Banas Dairy - Wikipedia

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.  આ ચૂંટણીમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પસંદગી કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષ માટે ડેરીનું સંચાલન કરશે. વાત કરીએ , બનાસ ડેરીના ચૂંટણી કાર્યક્રમની તો , ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૧૦મી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૧મી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો ૨૨ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે. 

PM Modi Inaugurates New Dairy Complex and Potato Processing Plant in Gujarat

હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. બનાસ ડેરીની ચૂંટણી હંમેશાથી ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ ઘટના રહી છે. આ ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડેરીના વિકાસ અને નીતિ-નિર્ધારણમાં સીધો ભાગ ભજવે છે. આ વર્ષની ચૂંટણી પણ ભારે ઉત્સાહ અને રસપ્રદ બનવાની શક્યતા છે.આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતોના ભવિષ્યને સીધી રીતે અસર કરશે. હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Sanadar Banas Dairy Plant in Deodar,Banaskantha - Best Milk Dairy near me  in Banaskantha - Justdial

વાત બનાસ ડેરીના ઇતિહાસની તો , સ્વ. ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૬માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરુ કર્યું હતું. ૧૯૬૯માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. નું સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું જેને આપણે આજે બનાસ ડેરી તરીકે ઓળખીએ છીએ. ૧૯૭૧માં NDDB એટલે કે , નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા , બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણા નજીક ૧૨૨ એકર જમીનમાં કરવામાં આવ્યો. શરૂઆત થોડાક ગામની દૂધમંડળીઓ સાથે શરુ થયેલી બનાસ ડેરી હવે એશિયામાં સૌથી મોટી ડેરી બની ચુકી છે.  




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.