એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં "પાણીપત" જાહેર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-16 14:50:59

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે.  બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.  

Banas Dairy - Wikipedia

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.  આ ચૂંટણીમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પસંદગી કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષ માટે ડેરીનું સંચાલન કરશે. વાત કરીએ , બનાસ ડેરીના ચૂંટણી કાર્યક્રમની તો , ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૧૦મી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૧મી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો ૨૨ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે. 

PM Modi Inaugurates New Dairy Complex and Potato Processing Plant in Gujarat

હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. બનાસ ડેરીની ચૂંટણી હંમેશાથી ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ ઘટના રહી છે. આ ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડેરીના વિકાસ અને નીતિ-નિર્ધારણમાં સીધો ભાગ ભજવે છે. આ વર્ષની ચૂંટણી પણ ભારે ઉત્સાહ અને રસપ્રદ બનવાની શક્યતા છે.આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતોના ભવિષ્યને સીધી રીતે અસર કરશે. હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Sanadar Banas Dairy Plant in Deodar,Banaskantha - Best Milk Dairy near me  in Banaskantha - Justdial

વાત બનાસ ડેરીના ઇતિહાસની તો , સ્વ. ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૬માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરુ કર્યું હતું. ૧૯૬૯માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. નું સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું જેને આપણે આજે બનાસ ડેરી તરીકે ઓળખીએ છીએ. ૧૯૭૧માં NDDB એટલે કે , નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા , બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણા નજીક ૧૨૨ એકર જમીનમાં કરવામાં આવ્યો. શરૂઆત થોડાક ગામની દૂધમંડળીઓ સાથે શરુ થયેલી બનાસ ડેરી હવે એશિયામાં સૌથી મોટી ડેરી બની ચુકી છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.