ચૈતર વસાવા ફરી એકવાર પહોંચ્યા હાઇકોર્ટના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-12 18:19:24

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે . 

Gujarat High Court Takes A Giant Leap || Free Medical Treatment For Judges  And Staff!

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેમના જામીન ગઇકાલે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. આ જામીન અરજી એટલે , ફગાવવામાં આવી હતી કેમ કે , એમના જે જુના ગુના છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા હતા. આ પછી ફરી એકવાર ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવા પડશે. આપને જણાવી દયિકે , ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતા વધારે સમયરથી જેલમાં બંધ છે. કેમ કે , નીચલી અદાલતોમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતી હતી તો બીજી તરફ , ગુજરાત હાઇકોર્ટમાં તારીખ પડતી હતી.  થોડાક સમય પેહલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ૮ , ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે , પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા. આ પછી MLA ચૈતર વસાવાએ પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી . પછી ગુજરાત હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે . પરંતુ આ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે . ૧) મીડિયા સામે કોઈ નિવેદન ના આપવું ૨) નર્મદા જિલ્લામાં પગ ના મુકવો. 

Why AAP MLA Chaitar Vasava is now a tribal hero in Gujarat - India Today

હવે ગઇકાલે , રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ કર્યા અને ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધી . તેનું કારણ એ છે કે , જે ATVT ( આપણો તાલુકો વાઈબ્રેન્ટ તાલુકાની ) સંકલન બેઠકમાં માથાકૂટ થઇ હતી  તેને લઇને પોલીસે ચાર્જશીટ રજુ કરી છે. માટે હવે ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. માટે હવે આજે ચૈતર વસાવાના વકીલ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. પછી ગુજરાત હાઇકોર્ટ આ જામીન પર સુનાવણીની તારીખ નક્કી કરશે. હવે વાત કરીએ  કે કેમ દેદિયાપાડાના MLA ચૈતર વસાવા જેલમાં છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.