ચૈતર વસાવા ફરી એકવાર પહોંચ્યા હાઇકોર્ટના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-12 18:19:24

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે . 

Gujarat High Court Takes A Giant Leap || Free Medical Treatment For Judges  And Staff!

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેમના જામીન ગઇકાલે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. આ જામીન અરજી એટલે , ફગાવવામાં આવી હતી કેમ કે , એમના જે જુના ગુના છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા હતા. આ પછી ફરી એકવાર ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવા પડશે. આપને જણાવી દયિકે , ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતા વધારે સમયરથી જેલમાં બંધ છે. કેમ કે , નીચલી અદાલતોમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતી હતી તો બીજી તરફ , ગુજરાત હાઇકોર્ટમાં તારીખ પડતી હતી.  થોડાક સમય પેહલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ૮ , ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે , પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા. આ પછી MLA ચૈતર વસાવાએ પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી . પછી ગુજરાત હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે . પરંતુ આ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે . ૧) મીડિયા સામે કોઈ નિવેદન ના આપવું ૨) નર્મદા જિલ્લામાં પગ ના મુકવો. 

Why AAP MLA Chaitar Vasava is now a tribal hero in Gujarat - India Today

હવે ગઇકાલે , રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ કર્યા અને ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધી . તેનું કારણ એ છે કે , જે ATVT ( આપણો તાલુકો વાઈબ્રેન્ટ તાલુકાની ) સંકલન બેઠકમાં માથાકૂટ થઇ હતી  તેને લઇને પોલીસે ચાર્જશીટ રજુ કરી છે. માટે હવે ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. માટે હવે આજે ચૈતર વસાવાના વકીલ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. પછી ગુજરાત હાઇકોર્ટ આ જામીન પર સુનાવણીની તારીખ નક્કી કરશે. હવે વાત કરીએ  કે કેમ દેદિયાપાડાના MLA ચૈતર વસાવા જેલમાં છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.