ચૈતર વસાવા ફરી એકવાર પહોંચ્યા હાઇકોર્ટના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-12 18:19:24

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે . 

Gujarat High Court Takes A Giant Leap || Free Medical Treatment For Judges  And Staff!

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેમના જામીન ગઇકાલે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. આ જામીન અરજી એટલે , ફગાવવામાં આવી હતી કેમ કે , એમના જે જુના ગુના છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા હતા. આ પછી ફરી એકવાર ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવા પડશે. આપને જણાવી દયિકે , ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતા વધારે સમયરથી જેલમાં બંધ છે. કેમ કે , નીચલી અદાલતોમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતી હતી તો બીજી તરફ , ગુજરાત હાઇકોર્ટમાં તારીખ પડતી હતી.  થોડાક સમય પેહલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ૮ , ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે , પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા. આ પછી MLA ચૈતર વસાવાએ પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી . પછી ગુજરાત હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે . પરંતુ આ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે . ૧) મીડિયા સામે કોઈ નિવેદન ના આપવું ૨) નર્મદા જિલ્લામાં પગ ના મુકવો. 

Why AAP MLA Chaitar Vasava is now a tribal hero in Gujarat - India Today

હવે ગઇકાલે , રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ કર્યા અને ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધી . તેનું કારણ એ છે કે , જે ATVT ( આપણો તાલુકો વાઈબ્રેન્ટ તાલુકાની ) સંકલન બેઠકમાં માથાકૂટ થઇ હતી  તેને લઇને પોલીસે ચાર્જશીટ રજુ કરી છે. માટે હવે ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. માટે હવે આજે ચૈતર વસાવાના વકીલ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. પછી ગુજરાત હાઇકોર્ટ આ જામીન પર સુનાવણીની તારીખ નક્કી કરશે. હવે વાત કરીએ  કે કેમ દેદિયાપાડાના MLA ચૈતર વસાવા જેલમાં છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.