ચૈતર વસાવા ફરી એકવાર પહોંચ્યા હાઇકોર્ટના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-12 18:19:24

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે . 

Gujarat High Court Takes A Giant Leap || Free Medical Treatment For Judges  And Staff!

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેમના જામીન ગઇકાલે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. આ જામીન અરજી એટલે , ફગાવવામાં આવી હતી કેમ કે , એમના જે જુના ગુના છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા હતા. આ પછી ફરી એકવાર ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવા પડશે. આપને જણાવી દયિકે , ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતા વધારે સમયરથી જેલમાં બંધ છે. કેમ કે , નીચલી અદાલતોમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતી હતી તો બીજી તરફ , ગુજરાત હાઇકોર્ટમાં તારીખ પડતી હતી.  થોડાક સમય પેહલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ૮ , ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે , પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા. આ પછી MLA ચૈતર વસાવાએ પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી . પછી ગુજરાત હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે . પરંતુ આ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે . ૧) મીડિયા સામે કોઈ નિવેદન ના આપવું ૨) નર્મદા જિલ્લામાં પગ ના મુકવો. 

Why AAP MLA Chaitar Vasava is now a tribal hero in Gujarat - India Today

હવે ગઇકાલે , રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ કર્યા અને ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધી . તેનું કારણ એ છે કે , જે ATVT ( આપણો તાલુકો વાઈબ્રેન્ટ તાલુકાની ) સંકલન બેઠકમાં માથાકૂટ થઇ હતી  તેને લઇને પોલીસે ચાર્જશીટ રજુ કરી છે. માટે હવે ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. માટે હવે આજે ચૈતર વસાવાના વકીલ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. પછી ગુજરાત હાઇકોર્ટ આ જામીન પર સુનાવણીની તારીખ નક્કી કરશે. હવે વાત કરીએ  કે કેમ દેદિયાપાડાના MLA ચૈતર વસાવા જેલમાં છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.