ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કુમાર કાનાણીએ કહ્યું ઉદ્યોગપતિઓને નહીં, પરંતુ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:00:54

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર બની છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ નામ માટે મનોમંથન કરી રહી છે. ભાજપે ઉમેદવારોના નામ સિલેક્ટ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના વરાછાના ધારાસભ્યે ટિકિટની વહેચણી મુદ્દે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે ઉદ્યોપતિઓની બદલીમાં કાર્યકરોને ટિકિટ આપવાની માગ કરી છે.


ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું - કાનાણી

ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા લઈ તેમને સાંભળી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધાનસભાની પહેલા કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે ભાજપના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી છે. ઉદ્યોગપતિને ટિકિટ આપવા પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું. તો કોઈ ઉદ્યોગપતિને શા માટે ટિકિટ આપવી જોઈએ. ભાજપ સાથે લેવા-દેવા ન હોય તેમને ટિકિટ ન અપાય. કુમાર કાનાણીએ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે વરાછા બેઠક પર ઉદ્યોગપતિ માટે ટિકિટની માગ કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને આરએસએસ સાથે જોડાયેલા દિનેશ નવડિય માટે ટિકિટ માગવામા આવી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.