ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કુમાર કાનાણીએ કહ્યું ઉદ્યોગપતિઓને નહીં, પરંતુ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-27 16:00:54

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર બની છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ નામ માટે મનોમંથન કરી રહી છે. ભાજપે ઉમેદવારોના નામ સિલેક્ટ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના વરાછાના ધારાસભ્યે ટિકિટની વહેચણી મુદ્દે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે ઉદ્યોપતિઓની બદલીમાં કાર્યકરોને ટિકિટ આપવાની માગ કરી છે.


ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું - કાનાણી

ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા લઈ તેમને સાંભળી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધાનસભાની પહેલા કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે ભાજપના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી છે. ઉદ્યોગપતિને ટિકિટ આપવા પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું. તો કોઈ ઉદ્યોગપતિને શા માટે ટિકિટ આપવી જોઈએ. ભાજપ સાથે લેવા-દેવા ન હોય તેમને ટિકિટ ન અપાય. કુમાર કાનાણીએ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે વરાછા બેઠક પર ઉદ્યોગપતિ માટે ટિકિટની માગ કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને આરએસએસ સાથે જોડાયેલા દિનેશ નવડિય માટે ટિકિટ માગવામા આવી છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.