ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કુમાર કાનાણીએ કહ્યું ઉદ્યોગપતિઓને નહીં, પરંતુ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:00:54

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર બની છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ નામ માટે મનોમંથન કરી રહી છે. ભાજપે ઉમેદવારોના નામ સિલેક્ટ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના વરાછાના ધારાસભ્યે ટિકિટની વહેચણી મુદ્દે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે ઉદ્યોપતિઓની બદલીમાં કાર્યકરોને ટિકિટ આપવાની માગ કરી છે.


ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું - કાનાણી

ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા લઈ તેમને સાંભળી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધાનસભાની પહેલા કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે ભાજપના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી છે. ઉદ્યોગપતિને ટિકિટ આપવા પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું. તો કોઈ ઉદ્યોગપતિને શા માટે ટિકિટ આપવી જોઈએ. ભાજપ સાથે લેવા-દેવા ન હોય તેમને ટિકિટ ન અપાય. કુમાર કાનાણીએ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે વરાછા બેઠક પર ઉદ્યોગપતિ માટે ટિકિટની માગ કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને આરએસએસ સાથે જોડાયેલા દિનેશ નવડિય માટે ટિકિટ માગવામા આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.