Loksabha Electionની ચર્ચા વચ્ચે જાણો પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો કોણ હોઈ શકે છે? આ 5 વિધાનસભા બેઠકો માટે યોજાવાની છે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-03-20 18:16:03

ગુજરાતના રાજકારણની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પરંતુ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું તેને કારણે 5 જગ્યાઓ પર પેટાચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ સાત મેએ થવાની છે. એક તરફ લોકસભા સીટના ઉમેદવારોને લઈ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ અહીંયા વાત પેટાચૂંટણીના ઉમેદવારની કરવી છે. સંભવિત ઉમેદવારોની ચર્ચા કરીએ.. 



આ પાંચ બેઠકો પર થવાની છે પેટા ચૂંટણી

જે જગ્યા પર પેટાચૂંટણી યોજાવાની છે તે બેઠકો છે - વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર. આમ તો 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થવાની હતી પરંતુ વિસાવદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એવી માહિતી સામે આવી કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેને કારણે ત્યાં ચૂંટણી હમણાં નહીં યોજાય. શરૂઆત કરીએ પોરબંદર બેઠકથી. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ચૂંટાઈને આવ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય તે હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. પોરબંદર વિધાનસભા બેઠક માટે બીજેપી અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી શકે છે. 



કઈ પાર્ટી કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં!

વાત કરીએ વિજાપુર બેઠકની તો ભાજપ સી.જે. ચાવડાને મેદાનમાં ઉતારી શકે છે જયારે કોંગ્રેસ પાર્ટી પોરબંદર અને વિજાપુર પરથી સરપ્રાઈઝ નામ ઉતારી શકે છે. ઉપરાંત માણાવદર બેઠક પરથી BJP અરવિંદ લાડાણીને ટિકીટ આપી શકે છે જ્યારે સામે કોંગ્રેસ પાલ આંબલીયા કે હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. હવે વાત કરીએ વાઘોડિયા બેઠકની તો આ બેઠક પરથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંઘ વાઘેલાને bjp ટિકિટ આપી શકે છે. સામે કોંગ્રેસ કનુભાઈ ગોહિલ અને કિરણ રાઠોડને મેદાનમાં ઉતારી શકે છે . ખંભાત વિધાનસભા પરથી બીજેપી ચિરાગ પટેલને જ ઉતારી શકે છે.  સામે કોંગ્રેસ મહેન્દ્રસિંહ પરમાર કે નવીનસિન્હ સોલંકીને ઉતારી શકે છે . 



પેટા ચૂંટણી માટે થઈ શકે છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન

આ તરફ એક ચર્ચા એ પણ છે કે કોંગ્રેસ અને AAPનું ગઠબંધન આ પેટાચૂંટણી માટે પણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ  માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ  માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે  બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી 2 બેઠક ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક  દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.


વિસાવદર સીટની માગ આપે કરી? 

હવે અહીં એક મહત્વની વાત કે વિસાવદર વિધાનસભા બેઠકની તો પેટાચૂંટણીની તારીખ ભારતીય ચૂંટણી કમિશને જાહેર કરી નથી. પણ આમ આદમી પાર્ટીને આ સીટ જોઈતી હતી. ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં અને જો થાય છે તો કઈ બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવે છે.?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.