Loksabha Electionની ચર્ચા વચ્ચે જાણો પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો કોણ હોઈ શકે છે? આ 5 વિધાનસભા બેઠકો માટે યોજાવાની છે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-03-20 18:16:03

ગુજરાતના રાજકારણની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પરંતુ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું તેને કારણે 5 જગ્યાઓ પર પેટાચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ સાત મેએ થવાની છે. એક તરફ લોકસભા સીટના ઉમેદવારોને લઈ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ અહીંયા વાત પેટાચૂંટણીના ઉમેદવારની કરવી છે. સંભવિત ઉમેદવારોની ચર્ચા કરીએ.. 



આ પાંચ બેઠકો પર થવાની છે પેટા ચૂંટણી

જે જગ્યા પર પેટાચૂંટણી યોજાવાની છે તે બેઠકો છે - વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર. આમ તો 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થવાની હતી પરંતુ વિસાવદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એવી માહિતી સામે આવી કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેને કારણે ત્યાં ચૂંટણી હમણાં નહીં યોજાય. શરૂઆત કરીએ પોરબંદર બેઠકથી. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ચૂંટાઈને આવ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય તે હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. પોરબંદર વિધાનસભા બેઠક માટે બીજેપી અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી શકે છે. 



કઈ પાર્ટી કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં!

વાત કરીએ વિજાપુર બેઠકની તો ભાજપ સી.જે. ચાવડાને મેદાનમાં ઉતારી શકે છે જયારે કોંગ્રેસ પાર્ટી પોરબંદર અને વિજાપુર પરથી સરપ્રાઈઝ નામ ઉતારી શકે છે. ઉપરાંત માણાવદર બેઠક પરથી BJP અરવિંદ લાડાણીને ટિકીટ આપી શકે છે જ્યારે સામે કોંગ્રેસ પાલ આંબલીયા કે હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. હવે વાત કરીએ વાઘોડિયા બેઠકની તો આ બેઠક પરથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંઘ વાઘેલાને bjp ટિકિટ આપી શકે છે. સામે કોંગ્રેસ કનુભાઈ ગોહિલ અને કિરણ રાઠોડને મેદાનમાં ઉતારી શકે છે . ખંભાત વિધાનસભા પરથી બીજેપી ચિરાગ પટેલને જ ઉતારી શકે છે.  સામે કોંગ્રેસ મહેન્દ્રસિંહ પરમાર કે નવીનસિન્હ સોલંકીને ઉતારી શકે છે . 



પેટા ચૂંટણી માટે થઈ શકે છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન

આ તરફ એક ચર્ચા એ પણ છે કે કોંગ્રેસ અને AAPનું ગઠબંધન આ પેટાચૂંટણી માટે પણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ  માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ  માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે  બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી 2 બેઠક ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક  દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.


વિસાવદર સીટની માગ આપે કરી? 

હવે અહીં એક મહત્વની વાત કે વિસાવદર વિધાનસભા બેઠકની તો પેટાચૂંટણીની તારીખ ભારતીય ચૂંટણી કમિશને જાહેર કરી નથી. પણ આમ આદમી પાર્ટીને આ સીટ જોઈતી હતી. ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં અને જો થાય છે તો કઈ બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવે છે.?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.