ફ્લાઈંગ કિસની ચર્ચા વચ્ચે મહિલા IASની ટ્વિટ મણિપુરના વીડિયોની યાદ અપાવશે! IASએ પૂછ્યો સવાલ જેનો જવાબ કદાચ આપણામાંથી કોઈની પાસે નહીં હોય....


  • Published By :
  • Published Date : 2023-08-10 12:53:46

સંસદમાં મણિપુરની હિંસાને લઈ જબરદસ્ત હોબાળો  થાય છે, કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો અને હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ખુબ રસપ્રદ છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રકારના ગંભીર પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં સ્મૃતિ ઈરાની પણ એટલા જ આક્રામક દેખાયા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. એક તરફ મણિપુર જેવી ગંભીર ઘટનાઓ પર ચર્ચા કરાઈ હતી તો બીજી તરફ એક એવો મુદ્દો ઉઠ્યો જેની ચર્ચા દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.   

મહિલા સાંસદોએ લેખિતમાં કરી ફરિયાદ  

ગઈકાલથી ફ્લાઈંગ કિસને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં પણ એ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવાની વાત કરી કહી હતી. તે બાદ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે એક લેખિત અરજી પણ કરી હતી. 


IAS અધિકારીની ટ્વિટ જે તમને આ ઘટનાની યાદ અપાવશે. 

મણિપુરથી થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી. સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચારો સામે આવ્યા હતા. ત્યારે આ વાતને ધીમે ધીમે લોકો ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. એ મહિલાઓના માનસ પર કેવી અસર પડી હશે તેનો વિચાર કરીએ તો પણ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. ત્યારે  IAS અધિકારી શૈલબલા માર્ટિને એક ટ્વિટ કર્યું છે. એ ટ્વિટમાં કેપ્શન લખ્યું છે જરા વિચાર કરો जरा सोचिये मणिपुर की महिलाओं को केसा महसूस हुआ होगा? આ કેપ્શન આપી તેમણે એ અરજીનો ફોટો શેર કર્યો છે જેમાં મહિલા સાંસદોના હસ્તાક્ષર હતા. 


સ્ત્રીનું માન તો દરેક જગ્યાએ જળવાવું જોઈએ! 

આપણા ધર્મમાં કહેવાય છે 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' એટલે કે જ્યાં મહિલાઓનું પૂજન થતું હોય કે તેમનું સન્માન જળવાતું હોય તે સ્થાન પર દેવતાઓ વાસ કરે છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ફ્લાઈંગ કિસ વાળા મુદ્દા પર જો મહિલા સાંસદોને વાંધો હોય તો તેમને મણિપુરવાળા કિસ્સામાં પણ વાંધો ઉઠાવવો જોઈએ... મહિલા સાંસદ હોય કે પછી સામાન્ય હોય મહિલા મહિલા છે, તેનું માન સન્માન જળવાવું જ જોઈએ.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .