ફ્લાઈંગ કિસની ચર્ચા વચ્ચે મહિલા IASની ટ્વિટ મણિપુરના વીડિયોની યાદ અપાવશે! IASએ પૂછ્યો સવાલ જેનો જવાબ કદાચ આપણામાંથી કોઈની પાસે નહીં હોય....


  • Published By :
  • Published Date : 2023-08-10 12:53:46

સંસદમાં મણિપુરની હિંસાને લઈ જબરદસ્ત હોબાળો  થાય છે, કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો અને હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ખુબ રસપ્રદ છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રકારના ગંભીર પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં સ્મૃતિ ઈરાની પણ એટલા જ આક્રામક દેખાયા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. એક તરફ મણિપુર જેવી ગંભીર ઘટનાઓ પર ચર્ચા કરાઈ હતી તો બીજી તરફ એક એવો મુદ્દો ઉઠ્યો જેની ચર્ચા દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.   

મહિલા સાંસદોએ લેખિતમાં કરી ફરિયાદ  

ગઈકાલથી ફ્લાઈંગ કિસને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં પણ એ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવાની વાત કરી કહી હતી. તે બાદ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે એક લેખિત અરજી પણ કરી હતી. 


IAS અધિકારીની ટ્વિટ જે તમને આ ઘટનાની યાદ અપાવશે. 

મણિપુરથી થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી. સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચારો સામે આવ્યા હતા. ત્યારે આ વાતને ધીમે ધીમે લોકો ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. એ મહિલાઓના માનસ પર કેવી અસર પડી હશે તેનો વિચાર કરીએ તો પણ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. ત્યારે  IAS અધિકારી શૈલબલા માર્ટિને એક ટ્વિટ કર્યું છે. એ ટ્વિટમાં કેપ્શન લખ્યું છે જરા વિચાર કરો जरा सोचिये मणिपुर की महिलाओं को केसा महसूस हुआ होगा? આ કેપ્શન આપી તેમણે એ અરજીનો ફોટો શેર કર્યો છે જેમાં મહિલા સાંસદોના હસ્તાક્ષર હતા. 


સ્ત્રીનું માન તો દરેક જગ્યાએ જળવાવું જોઈએ! 

આપણા ધર્મમાં કહેવાય છે 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' એટલે કે જ્યાં મહિલાઓનું પૂજન થતું હોય કે તેમનું સન્માન જળવાતું હોય તે સ્થાન પર દેવતાઓ વાસ કરે છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ફ્લાઈંગ કિસ વાળા મુદ્દા પર જો મહિલા સાંસદોને વાંધો હોય તો તેમને મણિપુરવાળા કિસ્સામાં પણ વાંધો ઉઠાવવો જોઈએ... મહિલા સાંસદ હોય કે પછી સામાન્ય હોય મહિલા મહિલા છે, તેનું માન સન્માન જળવાવું જ જોઈએ.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.