રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે યુક્રેનએ ડ્રોનથી રશિયા પર કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-01-02 12:44:39

રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને વર્ષ થવા આવશે. પરંતુ આ બંને દેશો વચ્ચે ચાલતું યુદ્ધ પૂર્ણ નથી થયું. આ બધા વચ્ચે રશિયા પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાથી નુકસાન પહોંચ્યું છે. સમાચાર એજન્સી રાયટરના અનુસાર યુક્રેન દ્વારા થયેલા હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના રશિયાના બ્રયાંસ્કમાં બની છે. 


હુમલાને કારણે નથી થઈ કોઈ જાનહાની  

સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ પર છે. બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેને રશિયા પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં બ્રયાંસ્કમાં આવેલા વીજ કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને કારણે આ એરિયાની વીજળી ઉડી ગઈ હતી. આ અંગેની માહિતી આપતા કહેવામાં આવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ક્ષેત્રીય ગવર્નરે માહિતી આપતા કહ્યું કે આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. આ હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે જાનમાલને કોઈ નુકસાન નથી પહોંચ્યું.     




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?