રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે યુક્રેનએ ડ્રોનથી રશિયા પર કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-01-02 12:44:39

રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને વર્ષ થવા આવશે. પરંતુ આ બંને દેશો વચ્ચે ચાલતું યુદ્ધ પૂર્ણ નથી થયું. આ બધા વચ્ચે રશિયા પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાથી નુકસાન પહોંચ્યું છે. સમાચાર એજન્સી રાયટરના અનુસાર યુક્રેન દ્વારા થયેલા હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના રશિયાના બ્રયાંસ્કમાં બની છે. 


હુમલાને કારણે નથી થઈ કોઈ જાનહાની  

સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ પર છે. બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેને રશિયા પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં બ્રયાંસ્કમાં આવેલા વીજ કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને કારણે આ એરિયાની વીજળી ઉડી ગઈ હતી. આ અંગેની માહિતી આપતા કહેવામાં આવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ક્ષેત્રીય ગવર્નરે માહિતી આપતા કહ્યું કે આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. આ હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે જાનમાલને કોઈ નુકસાન નથી પહોંચ્યું.     




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.