રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે યુક્રેનએ ડ્રોનથી રશિયા પર કર્યો હુમલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-02 12:44:39

રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને વર્ષ થવા આવશે. પરંતુ આ બંને દેશો વચ્ચે ચાલતું યુદ્ધ પૂર્ણ નથી થયું. આ બધા વચ્ચે રશિયા પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાથી નુકસાન પહોંચ્યું છે. સમાચાર એજન્સી રાયટરના અનુસાર યુક્રેન દ્વારા થયેલા હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના રશિયાના બ્રયાંસ્કમાં બની છે. 


હુમલાને કારણે નથી થઈ કોઈ જાનહાની  

સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ પર છે. બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેને રશિયા પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં બ્રયાંસ્કમાં આવેલા વીજ કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને કારણે આ એરિયાની વીજળી ઉડી ગઈ હતી. આ અંગેની માહિતી આપતા કહેવામાં આવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ક્ષેત્રીય ગવર્નરે માહિતી આપતા કહ્યું કે આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. આ હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે જાનમાલને કોઈ નુકસાન નથી પહોંચ્યું.     




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે