માવઠામાં થયેલા નુકસાન અંગે સરકાર પર Amit Chavdaએ કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું સર્વેને લઈ?


  • Published By :
  • Published Date : 2023-11-28 14:39:32

ગુજરાતમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળામાં ચોમાસા જેવી સિઝન જામી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. સરકાર જલ્દી સર્વે કરી સહાય ચૂકવે તેવી આશા ખેડૂતો સરકાર પાસેથી રાખીને બેઠા છે. માવઠા બાદ થયેલા નુકસાન અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ વાવેતરને કેટલાક અંશે નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિવદેન બાદ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.


અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર કર્યા પ્રહાર

માવઠાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે.  

આફત સમયે સરકાર જાહેરાતો કરે છે પરંતુ... સહાય આપતી નથી! 

વધુમાં તેમણે કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસની અંદર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. મહત્વનું છે કે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.