માવઠામાં થયેલા નુકસાન અંગે સરકાર પર Amit Chavdaએ કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું સર્વેને લઈ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-28 14:39:32

ગુજરાતમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળામાં ચોમાસા જેવી સિઝન જામી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. સરકાર જલ્દી સર્વે કરી સહાય ચૂકવે તેવી આશા ખેડૂતો સરકાર પાસેથી રાખીને બેઠા છે. માવઠા બાદ થયેલા નુકસાન અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ વાવેતરને કેટલાક અંશે નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિવદેન બાદ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.


અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર કર્યા પ્રહાર

માવઠાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે.  

આફત સમયે સરકાર જાહેરાતો કરે છે પરંતુ... સહાય આપતી નથી! 

વધુમાં તેમણે કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસની અંદર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. મહત્વનું છે કે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી છે. 



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .