માવઠામાં થયેલા નુકસાન અંગે સરકાર પર Amit Chavdaએ કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું સર્વેને લઈ?


  • Published By :
  • Published Date : 2023-11-28 14:39:32

ગુજરાતમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળામાં ચોમાસા જેવી સિઝન જામી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. સરકાર જલ્દી સર્વે કરી સહાય ચૂકવે તેવી આશા ખેડૂતો સરકાર પાસેથી રાખીને બેઠા છે. માવઠા બાદ થયેલા નુકસાન અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ વાવેતરને કેટલાક અંશે નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિવદેન બાદ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.


અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર કર્યા પ્રહાર

માવઠાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે.  

આફત સમયે સરકાર જાહેરાતો કરે છે પરંતુ... સહાય આપતી નથી! 

વધુમાં તેમણે કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસની અંદર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. મહત્વનું છે કે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી