અમિત માલવિયાના દાવાનો સચિન પાયલોટે કર્યો પર્દાફાશ, પુરાવા સાથે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-08-17 14:31:03

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે તેમના પિતા રાજેશ પાયલોટ પર બિજેપી આઈ ટી સેલના ચીફ અમિત માલવીયા દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપ્યો છે. અમિત માલવિયાએ એક ન્યૂઝ ચેનલનો વિડિયો શેર કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલોટે તેમના પાયલોટ તરીકેના કાર્યકાળમાં વર્ષ 1966માં રાજધાની આઈઝોલ પર બોમ્બ વર્ષા કરી હતી.


 સચિન પાયલોટનો જોરદાર જવાબ


અમિત માલવિયાના દાવાને જુઠ્ઠો બતાવતા સચિન પાયલોટે ટ્વિટ કર્યું હતું કે "તમારી પાસે ખોટી તારીખ અને તથ્ય છે, હા ભારતીય હવાઈ દળના પાયલોટ કરીકે મારા દિવંગત પિતાએ બોંબ મારો કર્યો હતો, પરંતું તે 1971ન ભારત-પાક યુધ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં બોંબ મારો કર્યો હતો, નહીં કે તમે કહો છો તેમ, 5 માર્ચ 1966ના રોજ મેઘાલય પર તેમને 29 ઓક્ટોબર 1966ના રોજ ભારતીય એરફોર્સમાં નિમણૂંક કરાયા હતા. જય હિંદ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ"

 

અમિત માલવિયાએ કર્યું હતું ટ્વીટ


અત્રે ઉલ્લેખનિય છે કે અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે "રાજેશ પાયલોટ અને સુરેશ કલમાડી એરફોર્સના તે વિમાનો ઉડાવી રહ્યા હતા જેણે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોંબ વર્ષા કરી હતી. બાદમાં તે બંને કોંગ્રેસની ટિકિટ પર સરકારમાં મંત્રી બન્યા હતા, સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલો કરનારાને ઈન્દિરા ગાંધીએ ઈનામ તરીકે રાજનિતીમાં સ્થાન આપ્યું, સન્માન કર્યું" 

 

ટ્વીટ કરી ફસાયા અમિત માલવિયા


ભાજપના આઈ ટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ તો કર્યું પણ હવે બરાબરના ફસાઈ ગયા છે. અજીત અંજુમે લખ્યું " મોદીજીની આઈ ટી સેલના અમિત માલવિયાનું એક મોટું જુઠ પકડાઈ ગયું છે, આ લોકો જૂઠ બોલવા અને જૂઠ ફેલાવનારી ફેક્ટરીના કામદારો છે. જો કે તેમને શરમ પણ નથી આવતી" કોંગ્રેસના નેતા ડો. અજય કુમારે ટ્વીટ કર્યું આ આર્થ્રોપોડ સામે 100 કરોડની માનહાનિ કેસ સાથે જ એફઆઈર પણ નોંધાવી જોઈએ."



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .