અમિત માલવિયાના દાવાનો સચિન પાયલોટે કર્યો પર્દાફાશ, પુરાવા સાથે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-08-17 14:31:03

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે તેમના પિતા રાજેશ પાયલોટ પર બિજેપી આઈ ટી સેલના ચીફ અમિત માલવીયા દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપ્યો છે. અમિત માલવિયાએ એક ન્યૂઝ ચેનલનો વિડિયો શેર કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલોટે તેમના પાયલોટ તરીકેના કાર્યકાળમાં વર્ષ 1966માં રાજધાની આઈઝોલ પર બોમ્બ વર્ષા કરી હતી.


 સચિન પાયલોટનો જોરદાર જવાબ


અમિત માલવિયાના દાવાને જુઠ્ઠો બતાવતા સચિન પાયલોટે ટ્વિટ કર્યું હતું કે "તમારી પાસે ખોટી તારીખ અને તથ્ય છે, હા ભારતીય હવાઈ દળના પાયલોટ કરીકે મારા દિવંગત પિતાએ બોંબ મારો કર્યો હતો, પરંતું તે 1971ન ભારત-પાક યુધ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં બોંબ મારો કર્યો હતો, નહીં કે તમે કહો છો તેમ, 5 માર્ચ 1966ના રોજ મેઘાલય પર તેમને 29 ઓક્ટોબર 1966ના રોજ ભારતીય એરફોર્સમાં નિમણૂંક કરાયા હતા. જય હિંદ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ"

 

અમિત માલવિયાએ કર્યું હતું ટ્વીટ


અત્રે ઉલ્લેખનિય છે કે અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે "રાજેશ પાયલોટ અને સુરેશ કલમાડી એરફોર્સના તે વિમાનો ઉડાવી રહ્યા હતા જેણે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોંબ વર્ષા કરી હતી. બાદમાં તે બંને કોંગ્રેસની ટિકિટ પર સરકારમાં મંત્રી બન્યા હતા, સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલો કરનારાને ઈન્દિરા ગાંધીએ ઈનામ તરીકે રાજનિતીમાં સ્થાન આપ્યું, સન્માન કર્યું" 

 

ટ્વીટ કરી ફસાયા અમિત માલવિયા


ભાજપના આઈ ટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ તો કર્યું પણ હવે બરાબરના ફસાઈ ગયા છે. અજીત અંજુમે લખ્યું " મોદીજીની આઈ ટી સેલના અમિત માલવિયાનું એક મોટું જુઠ પકડાઈ ગયું છે, આ લોકો જૂઠ બોલવા અને જૂઠ ફેલાવનારી ફેક્ટરીના કામદારો છે. જો કે તેમને શરમ પણ નથી આવતી" કોંગ્રેસના નેતા ડો. અજય કુમારે ટ્વીટ કર્યું આ આર્થ્રોપોડ સામે 100 કરોડની માનહાનિ કેસ સાથે જ એફઆઈર પણ નોંધાવી જોઈએ."



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.