અમિત માલવિયાના દાવાનો સચિન પાયલોટે કર્યો પર્દાફાશ, પુરાવા સાથે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-08-17 14:31:03

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે તેમના પિતા રાજેશ પાયલોટ પર બિજેપી આઈ ટી સેલના ચીફ અમિત માલવીયા દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપ્યો છે. અમિત માલવિયાએ એક ન્યૂઝ ચેનલનો વિડિયો શેર કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલોટે તેમના પાયલોટ તરીકેના કાર્યકાળમાં વર્ષ 1966માં રાજધાની આઈઝોલ પર બોમ્બ વર્ષા કરી હતી.


 સચિન પાયલોટનો જોરદાર જવાબ


અમિત માલવિયાના દાવાને જુઠ્ઠો બતાવતા સચિન પાયલોટે ટ્વિટ કર્યું હતું કે "તમારી પાસે ખોટી તારીખ અને તથ્ય છે, હા ભારતીય હવાઈ દળના પાયલોટ કરીકે મારા દિવંગત પિતાએ બોંબ મારો કર્યો હતો, પરંતું તે 1971ન ભારત-પાક યુધ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં બોંબ મારો કર્યો હતો, નહીં કે તમે કહો છો તેમ, 5 માર્ચ 1966ના રોજ મેઘાલય પર તેમને 29 ઓક્ટોબર 1966ના રોજ ભારતીય એરફોર્સમાં નિમણૂંક કરાયા હતા. જય હિંદ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ"

 

અમિત માલવિયાએ કર્યું હતું ટ્વીટ


અત્રે ઉલ્લેખનિય છે કે અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે "રાજેશ પાયલોટ અને સુરેશ કલમાડી એરફોર્સના તે વિમાનો ઉડાવી રહ્યા હતા જેણે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોંબ વર્ષા કરી હતી. બાદમાં તે બંને કોંગ્રેસની ટિકિટ પર સરકારમાં મંત્રી બન્યા હતા, સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલો કરનારાને ઈન્દિરા ગાંધીએ ઈનામ તરીકે રાજનિતીમાં સ્થાન આપ્યું, સન્માન કર્યું" 

 

ટ્વીટ કરી ફસાયા અમિત માલવિયા


ભાજપના આઈ ટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ તો કર્યું પણ હવે બરાબરના ફસાઈ ગયા છે. અજીત અંજુમે લખ્યું " મોદીજીની આઈ ટી સેલના અમિત માલવિયાનું એક મોટું જુઠ પકડાઈ ગયું છે, આ લોકો જૂઠ બોલવા અને જૂઠ ફેલાવનારી ફેક્ટરીના કામદારો છે. જો કે તેમને શરમ પણ નથી આવતી" કોંગ્રેસના નેતા ડો. અજય કુમારે ટ્વીટ કર્યું આ આર્થ્રોપોડ સામે 100 કરોડની માનહાનિ કેસ સાથે જ એફઆઈર પણ નોંધાવી જોઈએ."



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે