Loksabhaમાં આક્રામક દેખાયા Amit Shah, સંસદમાં કહ્યું साल 2015 में दिल्ली में एक ऐसी पार्टी सत्ता में आई जिसका मकसद सिर्फ लड़ना था


  • Published By :
  • Published Date : 2023-08-03 17:06:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દેશના વિવિધ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થતી હોય છે. ત્યારે આજે લોકસભામાં દિલ્હી સર્વિક બિલ પસાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાની શરૂઆત થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, અમને કાયદો બનાવવાનો પૂર્ણ અધિકાર છે. જવાહરલાલ નહેરૂ, આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દિલ્હી સરકારે પોતાની પસંદગીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માત્ર ભાગ જ વાંચ્યો. શાહે કહ્યું કે સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર છે.

વિપક્ષના ગઠબંધન પર અમિત શાહે કર્યો કટાક્ષ

વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે મંત્રી ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે. મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે. પરંતુ સમર્થન કરીશું. કારણ કે અમારે ગઠબંધન કરવાનું છે. આવી રીતે વિચારવું ન જોઈએ. શાહે વધુમાં કહ્યું- મારી અપીલ છે કે વિપક્ષના સભ્યોએ દિલ્હી વિશે વિચારવું જોઈએ. ગઠબંધન વિશે વિચારશો નહીં. અરવિંદ કેજરીવાલ પર બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2015થી દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તા પર આવી છે જેનો ઉદ્દેશ માત્ર લડવાનો છે, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાંસ્ફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવા માટે નથી, પરંતુ બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે સતર્કતા વિભાગ પર નિયંત્રણ હાંસલ કરવાનું છે.   

2024માં મોદી જ આવશે - અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે. આટલું જ નહીં, હું કોંગ્રેસને કહેવા માગું છું કે આ બિલ પાસ થયા પછી છેવટે તમે આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.