Loksabhaમાં આક્રામક દેખાયા Amit Shah, સંસદમાં કહ્યું साल 2015 में दिल्ली में एक ऐसी पार्टी सत्ता में आई जिसका मकसद सिर्फ लड़ना था


  • Published By :
  • Published Date : 2023-08-03 17:06:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દેશના વિવિધ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થતી હોય છે. ત્યારે આજે લોકસભામાં દિલ્હી સર્વિક બિલ પસાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાની શરૂઆત થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, અમને કાયદો બનાવવાનો પૂર્ણ અધિકાર છે. જવાહરલાલ નહેરૂ, આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દિલ્હી સરકારે પોતાની પસંદગીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માત્ર ભાગ જ વાંચ્યો. શાહે કહ્યું કે સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર છે.

વિપક્ષના ગઠબંધન પર અમિત શાહે કર્યો કટાક્ષ

વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે મંત્રી ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે. મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે. પરંતુ સમર્થન કરીશું. કારણ કે અમારે ગઠબંધન કરવાનું છે. આવી રીતે વિચારવું ન જોઈએ. શાહે વધુમાં કહ્યું- મારી અપીલ છે કે વિપક્ષના સભ્યોએ દિલ્હી વિશે વિચારવું જોઈએ. ગઠબંધન વિશે વિચારશો નહીં. અરવિંદ કેજરીવાલ પર બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2015થી દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તા પર આવી છે જેનો ઉદ્દેશ માત્ર લડવાનો છે, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાંસ્ફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવા માટે નથી, પરંતુ બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે સતર્કતા વિભાગ પર નિયંત્રણ હાંસલ કરવાનું છે.   

2024માં મોદી જ આવશે - અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે. આટલું જ નહીં, હું કોંગ્રેસને કહેવા માગું છું કે આ બિલ પાસ થયા પછી છેવટે તમે આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.