અમિત શાહનો ચીનને પડકાર, 'સોયની અણી જેટલી જમીન હડપવાની પણ કોઈની તાકાત નથી'


  • Published By :
  • Published Date : 2023-04-10 19:35:57

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે અરૂણાચલ પ્રદેશ મુદ્દે ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આજે આપણો દેશ શાંતિથી ઊંઘી શકે છે કારણ કે સરહદે ITBPના જવાન અને આપણી સેનાના સૈનિકો રાત-દિવસ પહેરો ભરી રહ્યા છે. કોઈની તાકાત નથી કે આપણી જમીન પર કુદ્રષ્ટી કરી શકે. અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિધુમાં એક જનસભાને સંબોધતા આ વાત કરી હતી.


અરૂણાચલ પ્રદેશ પ્રાચીન કાળથી ભારતનો ભાગ


ચીને અરૂણાચલ પ્રદેશના 11 શહેરોના નામ બદલ્યા તે અંગે અમિત શાહે કહ્યું કે "અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ આપણા સૌથી પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ભારતમાં જે ભૂમિ પર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે તેને ભગવાન પરશુરામ દ્વારા અરુણાચલ પ્રદેશ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પૃથ્વી ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. તે ભારત માતાના મુગટમાં એક ભવ્ય રત્ન છે." અત્રે ઉલ્લેખનિય છે કે અમિત શાહ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) લોન્ચ કરવા માટે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.


સોયની અણી જેટલી જમીન પણ નહીં મળે


સરહદી ગામ કિબિથૂમાં એક સભાને સંબોધતા શાહે કહ્યું: "ભારતની શરૂઆત કિબિથૂથી થાય છે. તે ભારતનું છેલ્લું ગામ નથી પરંતુ તેનું પહેલું ગામ છે." બેઇજિંગને નિશાન બનાવી અમિત શાહે કહ્યું કે "આર્મી અને ITBPના આપણા સૈનિકોની બહાદુરીને કારણે આપણી સરહદ પર કોઈ ખરાબ નજર કરી શકે નહીં તેમ નથી. હવે તે સમય ગયો જ્યારે કોઈ પણ દેશ ભારતની ભૂમિ પર આક્રમણ કરતો હતો. આજે કોઈ દેશ આપણી સોયની અણી જેટલી જમીન પર પણ કબજો કરી શકતો નથી."


શાહની મુલાકાત સામે ચીને વાંધો ઉઠાવ્યો 


અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિથૂની મુલાકાતને લઈ વાંધો ઉઠાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે બેઇજિંગની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. "ભારતીય અધિકારીની ઝંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, અને તે સરહદની શાંત પરિસ્થિતિ  અને સુલેહ-શાંતિ માટે અનુકૂળ નથી" 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.