અમિત શાહનો ચીનને પડકાર, 'સોયની અણી જેટલી જમીન હડપવાની પણ કોઈની તાકાત નથી'


  • Published By :
  • Published Date : 2023-04-10 19:35:57

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે અરૂણાચલ પ્રદેશ મુદ્દે ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આજે આપણો દેશ શાંતિથી ઊંઘી શકે છે કારણ કે સરહદે ITBPના જવાન અને આપણી સેનાના સૈનિકો રાત-દિવસ પહેરો ભરી રહ્યા છે. કોઈની તાકાત નથી કે આપણી જમીન પર કુદ્રષ્ટી કરી શકે. અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિધુમાં એક જનસભાને સંબોધતા આ વાત કરી હતી.


અરૂણાચલ પ્રદેશ પ્રાચીન કાળથી ભારતનો ભાગ


ચીને અરૂણાચલ પ્રદેશના 11 શહેરોના નામ બદલ્યા તે અંગે અમિત શાહે કહ્યું કે "અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ આપણા સૌથી પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ભારતમાં જે ભૂમિ પર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે તેને ભગવાન પરશુરામ દ્વારા અરુણાચલ પ્રદેશ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પૃથ્વી ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. તે ભારત માતાના મુગટમાં એક ભવ્ય રત્ન છે." અત્રે ઉલ્લેખનિય છે કે અમિત શાહ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) લોન્ચ કરવા માટે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.


સોયની અણી જેટલી જમીન પણ નહીં મળે


સરહદી ગામ કિબિથૂમાં એક સભાને સંબોધતા શાહે કહ્યું: "ભારતની શરૂઆત કિબિથૂથી થાય છે. તે ભારતનું છેલ્લું ગામ નથી પરંતુ તેનું પહેલું ગામ છે." બેઇજિંગને નિશાન બનાવી અમિત શાહે કહ્યું કે "આર્મી અને ITBPના આપણા સૈનિકોની બહાદુરીને કારણે આપણી સરહદ પર કોઈ ખરાબ નજર કરી શકે નહીં તેમ નથી. હવે તે સમય ગયો જ્યારે કોઈ પણ દેશ ભારતની ભૂમિ પર આક્રમણ કરતો હતો. આજે કોઈ દેશ આપણી સોયની અણી જેટલી જમીન પર પણ કબજો કરી શકતો નથી."


શાહની મુલાકાત સામે ચીને વાંધો ઉઠાવ્યો 


અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિથૂની મુલાકાતને લઈ વાંધો ઉઠાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે બેઇજિંગની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. "ભારતીય અધિકારીની ઝંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, અને તે સરહદની શાંત પરિસ્થિતિ  અને સુલેહ-શાંતિ માટે અનુકૂળ નથી" 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.