અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત એકદમ વધી ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપનું ટોચનું નેતૃત્વ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ચિંતિંત છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકીના વડાપ્રધાન મોદી, અમિત શાહ અને  જે પી નડ્ડા અવારનવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદીઓને વિકાસલક્ષી ભેટ આપશે.


અમિત શાહ અમદાવાદમાં કરશે અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત


અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમિત શાહ અમદાવાદમાં અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે. તેની સાથે સાથે તેઓ અનેક વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ શહેરમાં જંગી સભાને પણ સંબોધન કરશે. અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઈ ભાજપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેવી રીતે મેદાને આવી રહી છે, તેના કારણે ભાજપ પણ રણનીતિ તૈયારી કરીને મતદારોને રિઝવવા આક્રમક રીતે કામે લાગી ગઈ છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .