અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત એકદમ વધી ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપનું ટોચનું નેતૃત્વ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ચિંતિંત છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકીના વડાપ્રધાન મોદી, અમિત શાહ અને  જે પી નડ્ડા અવારનવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદીઓને વિકાસલક્ષી ભેટ આપશે.


અમિત શાહ અમદાવાદમાં કરશે અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત


અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમિત શાહ અમદાવાદમાં અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે. તેની સાથે સાથે તેઓ અનેક વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ શહેરમાં જંગી સભાને પણ સંબોધન કરશે. અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઈ ભાજપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેવી રીતે મેદાને આવી રહી છે, તેના કારણે ભાજપ પણ રણનીતિ તૈયારી કરીને મતદારોને રિઝવવા આક્રમક રીતે કામે લાગી ગઈ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે