અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત એકદમ વધી ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપનું ટોચનું નેતૃત્વ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ચિંતિંત છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકીના વડાપ્રધાન મોદી, અમિત શાહ અને  જે પી નડ્ડા અવારનવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદીઓને વિકાસલક્ષી ભેટ આપશે.


અમિત શાહ અમદાવાદમાં કરશે અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત


અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમિત શાહ અમદાવાદમાં અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે. તેની સાથે સાથે તેઓ અનેક વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ શહેરમાં જંગી સભાને પણ સંબોધન કરશે. અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઈ ભાજપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેવી રીતે મેદાને આવી રહી છે, તેના કારણે ભાજપ પણ રણનીતિ તૈયારી કરીને મતદારોને રિઝવવા આક્રમક રીતે કામે લાગી ગઈ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.