ગાંધીનગર ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સુરક્ષા મામલે યોજાઈ હતી ઉચ્ચસ્તરીય બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-27 10:47:47

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો મળી રહ્યા છે. મોટી સંખ્યામાં માદક પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રશાસકોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આપણા બંધારણે કાયદા અને વ્યવસ્થાને રાજ્યનો મુદ્દો બનાવ્યો છે અને આ યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકાથી એવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે ડ્રગ્સની તસ્કરીનો અપરાધ આપણા દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.

  

ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે - શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં પણ જો આપણે અક્રોસ બોર્ડર લડવાનો અપ્રોચ નહીં રાખીએ તો તેના પર નિયંત્રણ લાવી શકશું નહીં. તેથી તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, ભારત સરકારના મહેસૂલ, સામાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ અને સીમા સુરક્ષાના કામ કરતા તમામ સીએપીએફ, કોસ્ટગાર્ડ અને નૌકાદળના વ્યપક સંકલન દ્વારા નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. ઈન્ટરનેશલન ગેંગથી તે નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યો છે, અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ સામેનાી લડાઈ દેશમાં નાજુક અને મહત્વપુર્ણ વળાંક પર છે.

લક્ષ્ય માત્ર 60 દિવસમાં હાંસલ કર્યો - શાહ  

પીએમ મોદીના નેતૃત્વમાં 2019થી એક અભિગમ અપનાવવામાં આવ્યો છે કે, સંકલન અને સહકારના આધારે માદક પદાર્થો સામેની આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવી જોઇએ. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75 હજાર કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્ય માત્ર 60 દિવસમાં, સમય કરતાં વહેલું હાંસલ કરવામાં આવ્યું હતું.



ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.