ગાંધીનગર ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સુરક્ષા મામલે યોજાઈ હતી ઉચ્ચસ્તરીય બેઠક


  • Published By :
  • Published Date : 2022-10-27 10:47:47

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો મળી રહ્યા છે. મોટી સંખ્યામાં માદક પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રશાસકોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આપણા બંધારણે કાયદા અને વ્યવસ્થાને રાજ્યનો મુદ્દો બનાવ્યો છે અને આ યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકાથી એવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે ડ્રગ્સની તસ્કરીનો અપરાધ આપણા દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.

  

ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે - શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં પણ જો આપણે અક્રોસ બોર્ડર લડવાનો અપ્રોચ નહીં રાખીએ તો તેના પર નિયંત્રણ લાવી શકશું નહીં. તેથી તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, ભારત સરકારના મહેસૂલ, સામાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ અને સીમા સુરક્ષાના કામ કરતા તમામ સીએપીએફ, કોસ્ટગાર્ડ અને નૌકાદળના વ્યપક સંકલન દ્વારા નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. ઈન્ટરનેશલન ગેંગથી તે નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યો છે, અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ સામેનાી લડાઈ દેશમાં નાજુક અને મહત્વપુર્ણ વળાંક પર છે.

લક્ષ્ય માત્ર 60 દિવસમાં હાંસલ કર્યો - શાહ  

પીએમ મોદીના નેતૃત્વમાં 2019થી એક અભિગમ અપનાવવામાં આવ્યો છે કે, સંકલન અને સહકારના આધારે માદક પદાર્થો સામેની આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવી જોઇએ. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75 હજાર કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્ય માત્ર 60 દિવસમાં, સમય કરતાં વહેલું હાંસલ કરવામાં આવ્યું હતું.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .