આવતીકાલે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:47:08



ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે આવતીકાલે સાંજે છ કલાકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 


આવતીકાલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થશે. કાર્યક્રમમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાર કરવામાં આવશે. નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં 11મી ખેલ મહાકુંભનું વિધિવત રીતે સમાપન કરવામાં આવશે અને ખેલ મહાકુંભના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રી સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે4 પેરા એથલિટનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 


શું હોય છે નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયા?

વર્ષ 1924માં સૌથી પહેલા નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ભારતના ખેલાડીઓને માધ્યમ પૂરું પાડવાનો હતો. જેથી ભારતના રમતવીરો પોતાની ક્ષમતા દર્શાવવાનો મોકો મળે અને પોતાને પણ એક ઓળખ મળી શકે. નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી