આવતીકાલે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:47:08



ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે આવતીકાલે સાંજે છ કલાકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 


આવતીકાલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થશે. કાર્યક્રમમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાર કરવામાં આવશે. નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં 11મી ખેલ મહાકુંભનું વિધિવત રીતે સમાપન કરવામાં આવશે અને ખેલ મહાકુંભના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રી સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે4 પેરા એથલિટનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 


શું હોય છે નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયા?

વર્ષ 1924માં સૌથી પહેલા નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ભારતના ખેલાડીઓને માધ્યમ પૂરું પાડવાનો હતો. જેથી ભારતના રમતવીરો પોતાની ક્ષમતા દર્શાવવાનો મોકો મળે અને પોતાને પણ એક ઓળખ મળી શકે. નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.