શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા? કલાવતીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-10 22:36:32

લોક સભામાં બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કલાવતીના ઘરે રાહુલ ગાંધી ભોજન કરવા ગયા હતા, ત્યાર બાદ તેમણે સંસદમાં ગરીબીનું દારૂણ વર્ણન કર્યું. ત્યાર બાદ તેમની સરકાર 6 વર્ષ ચાલી પરંતું હું પૂછવા માગું છું કે તેમની સરકારે તે ગરીબ મહિલા કલાવતી માટે શું કર્યું? તે કલાવતીને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, અનાજ, આરોગ્ય સુવિધા એ તમામ આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. પરંતુ ખરેખર ગૃહમંત્રીનો આ દાવો સાચો છે, આ ખુલાસો ખુદ કલાવતીએ જ કર્યો છે. અમિત શાહ દ્વારા લોક સભામાં જેમનો ઉલ્લેખ કરાયો તે કલાવતી આજકાલ મીડિયામાં અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જાણો અમિત શાહના દાવા પર કલાવતીએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે.


કલાવતીએ જણાવી કહીકત


મહારાષ્ટ્રના યવતમાલની રહેવાસી કલાવતી બાંદુરકરે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયું છે. કલાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે જ તે સન્માન સાથે જીવી શકી છે. એ જ કોંગ્રેસે મને તમામ સવલતો આપી. મોદી સરકારે મને કશું આપ્યું નથી. કલાવતીએ કહ્યું કે સંસદમાં જેણે પણ વાત કરી છે તે સંપૂર્ણ જૂઠ છે.


કોંગ્રેસે કલાવતીનો વીડિયો શેર કર્યો 


કોંગ્રેસે કલાવતીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો બીબીસીનો છે. જેમાં કલાવતી મરાઠીમાં કહેતી જોવા મળે છે કે રાહુલ ગાંધીએ મારું જીવન બદલી નાખ્યું છે, મોદી સરકારે મને કશું આપ્યું નથી. યવતમાલ જિલ્લાના મારેગાંવ તાલુકાના જલકા ખાતે આત્મહત્યા પીડિતાના પરિવારની ખેડૂત મહિલા કલાવતી બાંદુરકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમને 3 લાખ રૂપિયા આપ્યા હતા. બેંકમાં 30 લાખ રૂપિયાની એફડી કરાવી હતી. રાહુલ ગાંધીના આગમન બાદ મને ઘર, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી.


કોણ છે કલાવતી?


કલાવતી બાંદુરકર યવતમાલના જાલકા ગામની રહેવાસી છે. આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યાના કારણે ચર્ચામાં રહ્યો છે. રાહુલ ગાંધી વર્ષ 2008માં કલાવતીને મળ્યા હતા. કલાવતીના પતિ પરશુરામે દેવું ન ચૂકવી શકવાના દબાણમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મીટિંગ પછી, કલાવતી પ્રસિદ્ધિમાં આવી અને દેશભરમાંથી મદદનો વરસાદ થવા લાગ્યો. જ્યારે કલાવતીના પતિએ આત્મહત્યા કરી ત્યારે તેમના પર 7 પુત્રીઓ અને 2 પુત્રોના ઉછેરની જવાબદારી હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રાહુલ ગાંધી આવીને તેમને મળશે. કલાવતી કહે છે કે આ મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું. પહેલા તે ઝૂંપડીમાં રહેતી હતી, હવે તેની પાસે સારૂં ઘર, વીજળી અને પાણીનું કનેક્શન છે, જોકે કલાવતી હજુ પણ ખેતમજૂર તરીકે કામ કરે છે.


શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા?


બીજી તરફ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકારે કલાવતીને વીજળી, ઘર, શૌચાલય, ભોજન અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરંતુ હવે કલાવતીએ આખું સત્ય કહ્યા બાદ અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા તે સાબિત થયું છે. આ માટે વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યો છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.