શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા? કલાવતીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-10 22:36:32

લોક સભામાં બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કલાવતીના ઘરે રાહુલ ગાંધી ભોજન કરવા ગયા હતા, ત્યાર બાદ તેમણે સંસદમાં ગરીબીનું દારૂણ વર્ણન કર્યું. ત્યાર બાદ તેમની સરકાર 6 વર્ષ ચાલી પરંતું હું પૂછવા માગું છું કે તેમની સરકારે તે ગરીબ મહિલા કલાવતી માટે શું કર્યું? તે કલાવતીને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, અનાજ, આરોગ્ય સુવિધા એ તમામ આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. પરંતુ ખરેખર ગૃહમંત્રીનો આ દાવો સાચો છે, આ ખુલાસો ખુદ કલાવતીએ જ કર્યો છે. અમિત શાહ દ્વારા લોક સભામાં જેમનો ઉલ્લેખ કરાયો તે કલાવતી આજકાલ મીડિયામાં અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જાણો અમિત શાહના દાવા પર કલાવતીએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે.


કલાવતીએ જણાવી કહીકત


મહારાષ્ટ્રના યવતમાલની રહેવાસી કલાવતી બાંદુરકરે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયું છે. કલાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે જ તે સન્માન સાથે જીવી શકી છે. એ જ કોંગ્રેસે મને તમામ સવલતો આપી. મોદી સરકારે મને કશું આપ્યું નથી. કલાવતીએ કહ્યું કે સંસદમાં જેણે પણ વાત કરી છે તે સંપૂર્ણ જૂઠ છે.


કોંગ્રેસે કલાવતીનો વીડિયો શેર કર્યો 


કોંગ્રેસે કલાવતીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો બીબીસીનો છે. જેમાં કલાવતી મરાઠીમાં કહેતી જોવા મળે છે કે રાહુલ ગાંધીએ મારું જીવન બદલી નાખ્યું છે, મોદી સરકારે મને કશું આપ્યું નથી. યવતમાલ જિલ્લાના મારેગાંવ તાલુકાના જલકા ખાતે આત્મહત્યા પીડિતાના પરિવારની ખેડૂત મહિલા કલાવતી બાંદુરકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમને 3 લાખ રૂપિયા આપ્યા હતા. બેંકમાં 30 લાખ રૂપિયાની એફડી કરાવી હતી. રાહુલ ગાંધીના આગમન બાદ મને ઘર, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી.


કોણ છે કલાવતી?


કલાવતી બાંદુરકર યવતમાલના જાલકા ગામની રહેવાસી છે. આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યાના કારણે ચર્ચામાં રહ્યો છે. રાહુલ ગાંધી વર્ષ 2008માં કલાવતીને મળ્યા હતા. કલાવતીના પતિ પરશુરામે દેવું ન ચૂકવી શકવાના દબાણમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મીટિંગ પછી, કલાવતી પ્રસિદ્ધિમાં આવી અને દેશભરમાંથી મદદનો વરસાદ થવા લાગ્યો. જ્યારે કલાવતીના પતિએ આત્મહત્યા કરી ત્યારે તેમના પર 7 પુત્રીઓ અને 2 પુત્રોના ઉછેરની જવાબદારી હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રાહુલ ગાંધી આવીને તેમને મળશે. કલાવતી કહે છે કે આ મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું. પહેલા તે ઝૂંપડીમાં રહેતી હતી, હવે તેની પાસે સારૂં ઘર, વીજળી અને પાણીનું કનેક્શન છે, જોકે કલાવતી હજુ પણ ખેતમજૂર તરીકે કામ કરે છે.


શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા?


બીજી તરફ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકારે કલાવતીને વીજળી, ઘર, શૌચાલય, ભોજન અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરંતુ હવે કલાવતીએ આખું સત્ય કહ્યા બાદ અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા તે સાબિત થયું છે. આ માટે વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .