કલમ 370 મુદ્દે અમિત શાહના કોંગ્રેસ પ્રહાર 'PoK ભારતનું છે, કોઈ એક ઇંચ જમીન પણ છીનવી નહીં શકે...'


  • Published By :
  • Published Date : 2023-12-11 22:23:11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 પર બોલતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હજુ પણ કલમ 370 હટાવવાને ખોટો નિર્ણય કહી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ યોગ્ય નથી માની રહી. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે ભારતમાં વિલીનીકરણ બાદ જમ્મુ-કાશ્મીર પાસે આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીર કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી.


PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે


અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો 3 પરિવારોએ રોકી દીધા છે. તેમણે કહ્યું કે PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. તેમણે એમ પણ કહ્યું કે અમે ભારતની એક ઇંચ પણ જમીન જવા દઇશું નહીં. કલમ 370 અંગે તેમણે કહ્યું કે તેનાથી અલગતાવાદને બળ મળી રહ્યું હતું. ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નેહરુએ અડધુ કાશ્મીર છોડી દીધું હતું. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે નેહરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ થયો હતો.


આતંકવાદીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહીં


અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ માટે અમારા દિલમાં કોઈ સહાનુભૂતિ નથી. તે હથિયારો હેઠા મુકે અને મુખ્ય પ્રવાહમાં આવે. કલમ 370 હટાવવાથી આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હવે સ્મશાન યાત્રામાં આતંકવાદીઓની ભીડ નથી ઉમટતી. અલગતાવાદમાંથી આતંકવાદનો જન્મ થયો છે.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.