કલમ 370 મુદ્દે અમિત શાહના કોંગ્રેસ પ્રહાર 'PoK ભારતનું છે, કોઈ એક ઇંચ જમીન પણ છીનવી નહીં શકે...'


  • Published By :
  • Published Date : 2023-12-11 22:23:11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 પર બોલતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હજુ પણ કલમ 370 હટાવવાને ખોટો નિર્ણય કહી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ યોગ્ય નથી માની રહી. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે ભારતમાં વિલીનીકરણ બાદ જમ્મુ-કાશ્મીર પાસે આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીર કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી.


PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે


અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો 3 પરિવારોએ રોકી દીધા છે. તેમણે કહ્યું કે PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. તેમણે એમ પણ કહ્યું કે અમે ભારતની એક ઇંચ પણ જમીન જવા દઇશું નહીં. કલમ 370 અંગે તેમણે કહ્યું કે તેનાથી અલગતાવાદને બળ મળી રહ્યું હતું. ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નેહરુએ અડધુ કાશ્મીર છોડી દીધું હતું. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે નેહરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ થયો હતો.


આતંકવાદીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહીં


અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ માટે અમારા દિલમાં કોઈ સહાનુભૂતિ નથી. તે હથિયારો હેઠા મુકે અને મુખ્ય પ્રવાહમાં આવે. કલમ 370 હટાવવાથી આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હવે સ્મશાન યાત્રામાં આતંકવાદીઓની ભીડ નથી ઉમટતી. અલગતાવાદમાંથી આતંકવાદનો જન્મ થયો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.