પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બોલ્યા અમિત શાહ, રિપોર્ટરના સવાલ પર જવાબ આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-18 18:32:50

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી લોકસભા સીટના ઉમેદવાર છે, આવતી કાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!    

અમિત શાહે આપી બાંહેધારી!

લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે.. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરવાના છે. વિરોધના વંટોળ વચ્ચે પરોત્તમ રૂપાલા હવે તો પરષોત્તમ રૂપાલા નિશ્ચિંત થઈ શકે છે કેમ કે ગૃહમંત્રી અમિત શાહ પણ જાણે બાંહેધરી આપી રહ્યા હોય એમ કહી દીધું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો. 


રિપોટરના જવાબમાં અમિત શાહે કહ્યું કે... 

ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડે છે. ફોર્મ ભરતા પહેલા રોડ શૉ સાથે શક્તિપ્રદર્શન કરી રહેલા અમિત શાહને પ્રશ્ન પુછાયો કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે એના પર શું કહેશો તો અમિત શાહે જે જવાબ આપ્યો એનાથી ભાજપનો આત્મવિશ્વાસ અને ક્ષત્રિય સમાજનો જે હિસ્સો વિરોધ કરી રહ્યો છે એમાં આક્રોશ બંને વધ્યા હશે. જે  આ ઈન્ટરવ્યુ જીએસટીવીના પત્રકારે કર્યો હતો 


ભાજપ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી લાગતી

અમિત શાહ કહી રહ્યા છે કે તમારી ચેનલની આંખો સિવાય ક્યાંય વિરોધ નથી, જો કે હકિકત એ છે કે રાજકોટના રતનપરમાં જે સંમેલન મળ્યું એનો આકાશી નજારો દરેકે જોયો છે. ક્ષત્રિય સમાજ ખુબ જ આક્રોશની સાથે આ મામલે મેદાને છે એ હકિકત છે. પણ અમિત શાહે જે રીતે આ મુદ્દાને અથવા આ પ્રશ્નને ઈગ્નોર કર્યો એના પરથી એક વાત નક્કી છે કે ભાજપ આક્રોશ કે આંદોલનને તાબે થઈને ઉમેદવાર બદલવાનાના મૂડમાં નથી અને અમિત શાહના આ જવાબ પછી ક્ષત્રિય સમાજ પ્રતિક્રીયાના રૂપે આગળની રણનીતિ શું ઘડે છે એ જોવાનું રહ્યું, 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.