ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:01:42

ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે તેમ ચૂંટણી લક્ષી પ્રવાસોની સંખ્યમાં વધારો થયો છે. એક બાદ એક પાર્ટીઓના નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટીઓના નેતા પ્રચાર કરવા ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો છે. વિવિધ કામોનું લોકાર્પણ કર્યું ઉપરાંત અનેક કામોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું.


કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

ગાંધીનગરના કલોલમાં ખાતે અમિત શાહે આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમૂહુર્ત કર્યું હતું. પોતાના સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં શાહે કહ્યું કે કોંગ્રેસ પોતાના રાજમાં ડોક્ટર બનાવવામાં પણ પૈસા કમાવવામાં પડી હતી. કોંગ્રેસના સમયમાં 387 મેડિકલ કોલેજ હતી જે વધીને આજે 600થી વધુ થઈ ગઈ છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. 



આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.