ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:01:42

ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે તેમ ચૂંટણી લક્ષી પ્રવાસોની સંખ્યમાં વધારો થયો છે. એક બાદ એક પાર્ટીઓના નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટીઓના નેતા પ્રચાર કરવા ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો છે. વિવિધ કામોનું લોકાર્પણ કર્યું ઉપરાંત અનેક કામોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું.


કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

ગાંધીનગરના કલોલમાં ખાતે અમિત શાહે આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમૂહુર્ત કર્યું હતું. પોતાના સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં શાહે કહ્યું કે કોંગ્રેસ પોતાના રાજમાં ડોક્ટર બનાવવામાં પણ પૈસા કમાવવામાં પડી હતી. કોંગ્રેસના સમયમાં 387 મેડિકલ કોલેજ હતી જે વધીને આજે 600થી વધુ થઈ ગઈ છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.