ચૂંટણી જીતવા અમિત શાહ ઘડશે રણનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 13:36:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે  આવ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે ઉપરાંત વિવિધ કાર્યો માટે ખાતમૂહુર્ત પણ કર્યા છે. વિધાનસભા ચૂંટણી પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભાજપ કેવી રીતે અને કયાં મુદ્દે પ્રચાર કરશે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. અમિત શાહ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી માર્ગદર્શન આપવાના છે. આ બેઠકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. 

Mission Mumbai 2023, Maharashtra 2024 on Amit Shah's plate during city  visit | Cities News,The Indian Express

કમલમ ખાતે યોજાશે બેઠક

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ બાદ ગુજરાતમાં પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર પર વધારે જોર આપી રહી છે. ભાજપ અને આપ વચ્ચે ઘણી વખત વાક્યુદ્ધ થયા છે. ત્યારે અમિત શાહનો ગુજરાત પ્રવાસ અતિ મહત્વ ગણવામાં આવી રહ્યો છે. આપના આવવાથી ભાજપ પોતાની રણનીતિમાં અનેક ફેરફાર કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અમિત શાહ બાદ 29-30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પોતાનો પ્રચાર કરવા ભાજપ, રાજ્યમાં યાત્રાનું આયોજન કરવાનું છે. વડાપ્રધાન મોદી પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી શકે છે ત્યારે આજે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરવાના છે.   

Covid-19: Gujarat BJP HQ Kamalam closed for visitors | DeshGujarat




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.