ચૂંટણી જીતવા અમિત શાહ ઘડશે રણનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 13:36:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે  આવ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે ઉપરાંત વિવિધ કાર્યો માટે ખાતમૂહુર્ત પણ કર્યા છે. વિધાનસભા ચૂંટણી પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભાજપ કેવી રીતે અને કયાં મુદ્દે પ્રચાર કરશે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. અમિત શાહ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી માર્ગદર્શન આપવાના છે. આ બેઠકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. 

Mission Mumbai 2023, Maharashtra 2024 on Amit Shah's plate during city  visit | Cities News,The Indian Express

કમલમ ખાતે યોજાશે બેઠક

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ બાદ ગુજરાતમાં પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર પર વધારે જોર આપી રહી છે. ભાજપ અને આપ વચ્ચે ઘણી વખત વાક્યુદ્ધ થયા છે. ત્યારે અમિત શાહનો ગુજરાત પ્રવાસ અતિ મહત્વ ગણવામાં આવી રહ્યો છે. આપના આવવાથી ભાજપ પોતાની રણનીતિમાં અનેક ફેરફાર કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અમિત શાહ બાદ 29-30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પોતાનો પ્રચાર કરવા ભાજપ, રાજ્યમાં યાત્રાનું આયોજન કરવાનું છે. વડાપ્રધાન મોદી પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી શકે છે ત્યારે આજે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરવાના છે.   

Covid-19: Gujarat BJP HQ Kamalam closed for visitors | DeshGujarat




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.