આવતીકાલે અમિત શાહ ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 21:56:43

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે અમિત શાહ ગીર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ સવારે 11 વાગ્યા નજીક અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


અમિત શાહની સોમનાથ મહાદેવ પ્રત્યે લાગણી રહી છે ત્યારે અમિત શાહ વહેલી સવારે સોમનાથ મહાદેવને નમન કરશે અને ત્યાર બાદ અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. 


અમિત શાહનો અમર ડેરીનો કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યા નજીક અમરેલીના ધારી રોડ પર આવેલી અમર ડેરીની મુલાકાત લેશે. કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. આ સિવય આરસી મકવાણા, બિપીન પટેલ, નારણ કાછડિયા અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. અમર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ લોકોને સંબોધશે. પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘવીનો અમર ડેરીના કામકાજમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. 


વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહ ડેરીના કાર્યક્રમ સિવાય સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત કરી રાજકીય બેઠકો પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. અગાઉ પણ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં માસ્કોટ અને એન્થમનું લોકાર્પણ કર્યું હતું. 29 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.