આવતીકાલે અમિત શાહ ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 21:56:43

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે અમિત શાહ ગીર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ સવારે 11 વાગ્યા નજીક અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


અમિત શાહની સોમનાથ મહાદેવ પ્રત્યે લાગણી રહી છે ત્યારે અમિત શાહ વહેલી સવારે સોમનાથ મહાદેવને નમન કરશે અને ત્યાર બાદ અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. 


અમિત શાહનો અમર ડેરીનો કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યા નજીક અમરેલીના ધારી રોડ પર આવેલી અમર ડેરીની મુલાકાત લેશે. કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. આ સિવય આરસી મકવાણા, બિપીન પટેલ, નારણ કાછડિયા અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. અમર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ લોકોને સંબોધશે. પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘવીનો અમર ડેરીના કામકાજમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. 


વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહ ડેરીના કાર્યક્રમ સિવાય સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત કરી રાજકીય બેઠકો પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. અગાઉ પણ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં માસ્કોટ અને એન્થમનું લોકાર્પણ કર્યું હતું. 29 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે.        



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..