આવતીકાલે અમિત શાહ ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 21:56:43

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે અમિત શાહ ગીર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ સવારે 11 વાગ્યા નજીક અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


અમિત શાહની સોમનાથ મહાદેવ પ્રત્યે લાગણી રહી છે ત્યારે અમિત શાહ વહેલી સવારે સોમનાથ મહાદેવને નમન કરશે અને ત્યાર બાદ અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. 


અમિત શાહનો અમર ડેરીનો કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યા નજીક અમરેલીના ધારી રોડ પર આવેલી અમર ડેરીની મુલાકાત લેશે. કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. આ સિવય આરસી મકવાણા, બિપીન પટેલ, નારણ કાછડિયા અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. અમર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ લોકોને સંબોધશે. પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘવીનો અમર ડેરીના કામકાજમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. 


વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહ ડેરીના કાર્યક્રમ સિવાય સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત કરી રાજકીય બેઠકો પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. અગાઉ પણ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં માસ્કોટ અને એન્થમનું લોકાર્પણ કર્યું હતું. 29 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે.        



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .