Amreli : બોરવેલમાં ફસાયેલી દોઢ વર્ષની આરોહીએ લીધા અંતિમ શ્વાસ, જિંદગીને બચાવવા માટે અનેક કલાકો રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-15 11:05:35

અમરેલીના સુરાગપરા ગામમાંથી ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા... દોઢ વર્ષની દીકરી આરોહી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ.. આ ઘટનાની જાણ થયા બાદ અનેક લોકોએ આરોહી જલ્દી અને સુરક્ષિત બહાર નીકળે તે માટે કદાચ પ્રાર્થના પણ કરી હશે... આરોહીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુની કામગીરી ચાલી.. એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કરવામાં આવેલા પ્રયાસો સફળ ના ગયા અને અંતે આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ.. 

દોઢ વર્ષની દીકરી ફસાઈ ગઈ હતી બોરવેલમાં 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. નાના બાળકો બોરવેલમાં ફસાઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. રમત રમતમાં બાળકો પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે જેની જાણ તેમને નથી હોતી..! ગઈકાલે અમરેલીથી એક સમાચાર સામે આવ્યા જેમાં દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ.. પરપ્રાંતિય મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ.. ઘટનાની જાણ થતા આરોહીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 



બોરવેલમાંથી બહાર આવ્યો આરોહીનો મૃતદેહ

એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમે બનતા તમામ પ્રયાસો કર્યા.. ઓક્સિજન બાળકી સુધી  પહોંચડવામાં આવ્યું.. જીંદગીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું.. સવારે 5 વાગ્યાની આસપાસ આરોહીને બહાર કાઢવામાં આવી.. હેલ્થ વિભાગના અધિકારી દ્વારા આરોહીને મૃત જાહેર કરવામાં આવી.. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે... એવી માહિતી સામે આવી છે કે દીકરી સુતી હતી અને તેના માતા પિતા કપાસ સોપતા હતા.. બાળકી ક્યારે જાગીને બોરવેલ પાસે પહોંચી ગઈ.. બોરવેલ પર રાખવામાં આવેલો પથ્થર કોઈએ હટાવી નાખ્યો હશે અને બાળકી તેમાં પડી ગઈ.  


અનેક કલાકો સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી

ઉલ્લેખનિય છે કે એનડીઆરએફની ટીમ દ્વારા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા, 108ની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. બોરવેલમાં ફસાયેલી આરોહી પણ મોત સામે ઝઝૂમી.. 17 કલાકની ભારે ઝહેમત બાદ આરોહીને બહાર કાઢવામાં સફળતા પણ મળી પરંતુ આરોહીનો પાર્થિવ દેહ બહાર આવ્યો. આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ...   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.