Amreli : બોરવેલમાં ફસાયેલી દોઢ વર્ષની આરોહીએ લીધા અંતિમ શ્વાસ, જિંદગીને બચાવવા માટે અનેક કલાકો રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-15 11:05:35

અમરેલીના સુરાગપરા ગામમાંથી ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા... દોઢ વર્ષની દીકરી આરોહી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ.. આ ઘટનાની જાણ થયા બાદ અનેક લોકોએ આરોહી જલ્દી અને સુરક્ષિત બહાર નીકળે તે માટે કદાચ પ્રાર્થના પણ કરી હશે... આરોહીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુની કામગીરી ચાલી.. એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કરવામાં આવેલા પ્રયાસો સફળ ના ગયા અને અંતે આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ.. 

દોઢ વર્ષની દીકરી ફસાઈ ગઈ હતી બોરવેલમાં 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. નાના બાળકો બોરવેલમાં ફસાઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. રમત રમતમાં બાળકો પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે જેની જાણ તેમને નથી હોતી..! ગઈકાલે અમરેલીથી એક સમાચાર સામે આવ્યા જેમાં દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ.. પરપ્રાંતિય મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ.. ઘટનાની જાણ થતા આરોહીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 



બોરવેલમાંથી બહાર આવ્યો આરોહીનો મૃતદેહ

એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમે બનતા તમામ પ્રયાસો કર્યા.. ઓક્સિજન બાળકી સુધી  પહોંચડવામાં આવ્યું.. જીંદગીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું.. સવારે 5 વાગ્યાની આસપાસ આરોહીને બહાર કાઢવામાં આવી.. હેલ્થ વિભાગના અધિકારી દ્વારા આરોહીને મૃત જાહેર કરવામાં આવી.. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે... એવી માહિતી સામે આવી છે કે દીકરી સુતી હતી અને તેના માતા પિતા કપાસ સોપતા હતા.. બાળકી ક્યારે જાગીને બોરવેલ પાસે પહોંચી ગઈ.. બોરવેલ પર રાખવામાં આવેલો પથ્થર કોઈએ હટાવી નાખ્યો હશે અને બાળકી તેમાં પડી ગઈ.  


અનેક કલાકો સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી

ઉલ્લેખનિય છે કે એનડીઆરએફની ટીમ દ્વારા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા, 108ની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. બોરવેલમાં ફસાયેલી આરોહી પણ મોત સામે ઝઝૂમી.. 17 કલાકની ભારે ઝહેમત બાદ આરોહીને બહાર કાઢવામાં સફળતા પણ મળી પરંતુ આરોહીનો પાર્થિવ દેહ બહાર આવ્યો. આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ...   



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .