Amreli : બોરવેલમાં ફસાયેલી દોઢ વર્ષની આરોહીએ લીધા અંતિમ શ્વાસ, જિંદગીને બચાવવા માટે અનેક કલાકો રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-15 11:05:35

અમરેલીના સુરાગપરા ગામમાંથી ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા... દોઢ વર્ષની દીકરી આરોહી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ.. આ ઘટનાની જાણ થયા બાદ અનેક લોકોએ આરોહી જલ્દી અને સુરક્ષિત બહાર નીકળે તે માટે કદાચ પ્રાર્થના પણ કરી હશે... આરોહીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુની કામગીરી ચાલી.. એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કરવામાં આવેલા પ્રયાસો સફળ ના ગયા અને અંતે આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ.. 

દોઢ વર્ષની દીકરી ફસાઈ ગઈ હતી બોરવેલમાં 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. નાના બાળકો બોરવેલમાં ફસાઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. રમત રમતમાં બાળકો પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે જેની જાણ તેમને નથી હોતી..! ગઈકાલે અમરેલીથી એક સમાચાર સામે આવ્યા જેમાં દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ.. પરપ્રાંતિય મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ.. ઘટનાની જાણ થતા આરોહીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 



બોરવેલમાંથી બહાર આવ્યો આરોહીનો મૃતદેહ

એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમે બનતા તમામ પ્રયાસો કર્યા.. ઓક્સિજન બાળકી સુધી  પહોંચડવામાં આવ્યું.. જીંદગીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું.. સવારે 5 વાગ્યાની આસપાસ આરોહીને બહાર કાઢવામાં આવી.. હેલ્થ વિભાગના અધિકારી દ્વારા આરોહીને મૃત જાહેર કરવામાં આવી.. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે... એવી માહિતી સામે આવી છે કે દીકરી સુતી હતી અને તેના માતા પિતા કપાસ સોપતા હતા.. બાળકી ક્યારે જાગીને બોરવેલ પાસે પહોંચી ગઈ.. બોરવેલ પર રાખવામાં આવેલો પથ્થર કોઈએ હટાવી નાખ્યો હશે અને બાળકી તેમાં પડી ગઈ.  


અનેક કલાકો સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી

ઉલ્લેખનિય છે કે એનડીઆરએફની ટીમ દ્વારા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા, 108ની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. બોરવેલમાં ફસાયેલી આરોહી પણ મોત સામે ઝઝૂમી.. 17 કલાકની ભારે ઝહેમત બાદ આરોહીને બહાર કાઢવામાં સફળતા પણ મળી પરંતુ આરોહીનો પાર્થિવ દેહ બહાર આવ્યો. આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.