Amreli : બોરવેલમાં ફસાયેલી દોઢ વર્ષની આરોહીએ લીધા અંતિમ શ્વાસ, જિંદગીને બચાવવા માટે અનેક કલાકો રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-15 11:05:35

અમરેલીના સુરાગપરા ગામમાંથી ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા... દોઢ વર્ષની દીકરી આરોહી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ.. આ ઘટનાની જાણ થયા બાદ અનેક લોકોએ આરોહી જલ્દી અને સુરક્ષિત બહાર નીકળે તે માટે કદાચ પ્રાર્થના પણ કરી હશે... આરોહીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુની કામગીરી ચાલી.. એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કરવામાં આવેલા પ્રયાસો સફળ ના ગયા અને અંતે આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ.. 

દોઢ વર્ષની દીકરી ફસાઈ ગઈ હતી બોરવેલમાં 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. નાના બાળકો બોરવેલમાં ફસાઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. રમત રમતમાં બાળકો પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે જેની જાણ તેમને નથી હોતી..! ગઈકાલે અમરેલીથી એક સમાચાર સામે આવ્યા જેમાં દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ.. પરપ્રાંતિય મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ.. ઘટનાની જાણ થતા આરોહીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 



બોરવેલમાંથી બહાર આવ્યો આરોહીનો મૃતદેહ

એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમે બનતા તમામ પ્રયાસો કર્યા.. ઓક્સિજન બાળકી સુધી  પહોંચડવામાં આવ્યું.. જીંદગીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું.. સવારે 5 વાગ્યાની આસપાસ આરોહીને બહાર કાઢવામાં આવી.. હેલ્થ વિભાગના અધિકારી દ્વારા આરોહીને મૃત જાહેર કરવામાં આવી.. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે... એવી માહિતી સામે આવી છે કે દીકરી સુતી હતી અને તેના માતા પિતા કપાસ સોપતા હતા.. બાળકી ક્યારે જાગીને બોરવેલ પાસે પહોંચી ગઈ.. બોરવેલ પર રાખવામાં આવેલો પથ્થર કોઈએ હટાવી નાખ્યો હશે અને બાળકી તેમાં પડી ગઈ.  


અનેક કલાકો સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી

ઉલ્લેખનિય છે કે એનડીઆરએફની ટીમ દ્વારા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા, 108ની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. બોરવેલમાં ફસાયેલી આરોહી પણ મોત સામે ઝઝૂમી.. 17 કલાકની ભારે ઝહેમત બાદ આરોહીને બહાર કાઢવામાં સફળતા પણ મળી પરંતુ આરોહીનો પાર્થિવ દેહ બહાર આવ્યો. આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ...   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .