Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે PM Modi પર કર્યા પ્રહાર, Adaniનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:35:34

અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં નેતાઓ બેફામ રીતે નિવેદનો આપતા હોય છે અને તે ચર્ચાનો વિષય બની જતા હોય છે. આવા કાર્યક્રમોમાં નેતાઓના દર્દ પણ છલકાઈ આવે છે. પોતાના મનની વેદના જાહેર મંચ પરથી નેતાઓ વ્યક્ત કરતા હોય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીને નિવેદન આપ્યું છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.  

પીએમ મોદી દેશનો નહીં પરંતુ....  

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીને લઈ પાર્ટી તૈયારી કરી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે જેને કારણે રાજકારણ ગરમાય છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીએ અને સ્મૃતિ ઈરાનીને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશનો નહીં અદાણી અંબાણીનો દલાલ છે. તે ઉપરાંત સ્મૃતિ ઈરાનીને લઈ પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

જાહેર મંચ પરથી છલકાય છે નેતાઓનું દર્દ!

મહત્વનું છે કે જ્યારે આવા કાર્યક્રમો થતાં હોય છે ત્યારે પૂર્વ નેતાઓ, સાંસદોના દર્દ છલકાઈ આવતા હોય છે. ન માત્ર કોંગ્રેસના પરંતુ ભાજપ નેતાઓના પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે અદાણીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવે છે. સંસદમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.