Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે PM Modi પર કર્યા પ્રહાર, Adaniનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:35:34

અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં નેતાઓ બેફામ રીતે નિવેદનો આપતા હોય છે અને તે ચર્ચાનો વિષય બની જતા હોય છે. આવા કાર્યક્રમોમાં નેતાઓના દર્દ પણ છલકાઈ આવે છે. પોતાના મનની વેદના જાહેર મંચ પરથી નેતાઓ વ્યક્ત કરતા હોય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીને નિવેદન આપ્યું છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.  

પીએમ મોદી દેશનો નહીં પરંતુ....  

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીને લઈ પાર્ટી તૈયારી કરી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે જેને કારણે રાજકારણ ગરમાય છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીએ અને સ્મૃતિ ઈરાનીને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશનો નહીં અદાણી અંબાણીનો દલાલ છે. તે ઉપરાંત સ્મૃતિ ઈરાનીને લઈ પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

જાહેર મંચ પરથી છલકાય છે નેતાઓનું દર્દ!

મહત્વનું છે કે જ્યારે આવા કાર્યક્રમો થતાં હોય છે ત્યારે પૂર્વ નેતાઓ, સાંસદોના દર્દ છલકાઈ આવતા હોય છે. ન માત્ર કોંગ્રેસના પરંતુ ભાજપ નેતાઓના પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે અદાણીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવે છે. સંસદમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.