Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે PM Modi પર કર્યા પ્રહાર, Adaniનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:35:34

અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં નેતાઓ બેફામ રીતે નિવેદનો આપતા હોય છે અને તે ચર્ચાનો વિષય બની જતા હોય છે. આવા કાર્યક્રમોમાં નેતાઓના દર્દ પણ છલકાઈ આવે છે. પોતાના મનની વેદના જાહેર મંચ પરથી નેતાઓ વ્યક્ત કરતા હોય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીને નિવેદન આપ્યું છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.  

પીએમ મોદી દેશનો નહીં પરંતુ....  

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીને લઈ પાર્ટી તૈયારી કરી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે જેને કારણે રાજકારણ ગરમાય છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીએ અને સ્મૃતિ ઈરાનીને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશનો નહીં અદાણી અંબાણીનો દલાલ છે. તે ઉપરાંત સ્મૃતિ ઈરાનીને લઈ પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

જાહેર મંચ પરથી છલકાય છે નેતાઓનું દર્દ!

મહત્વનું છે કે જ્યારે આવા કાર્યક્રમો થતાં હોય છે ત્યારે પૂર્વ નેતાઓ, સાંસદોના દર્દ છલકાઈ આવતા હોય છે. ન માત્ર કોંગ્રેસના પરંતુ ભાજપ નેતાઓના પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે અદાણીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવે છે. સંસદમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.