અમરેલીઃ ધારીમાં દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો, મહિલાએ પતિને દીપડાથી બચાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-03 20:29:51

દીપડાએ પતિ પર હુમલો કરતા પત્નીએ પાવડાનો હાથો ઉપાડ્યો અને દીપડાના માથામાં ફટાકારી દીધો. દીપડો ઘાયલ થતાં બેભાન થઈ ઢળી પડ્યો.....  

દીપડાએ ચાર લોકો પર કર્યો હુમલો

અમરેલીના ધારી તાલુકાના શિવડ ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ પર દીપડાનો હુમલો થયો ત્યારે તેની પત્નીએ દોડીને પાવડાનો હાથો દીપડાના માથા પર મારી દીધો હતો. દીપડાને માથામાં વાગતા દીપડો બેભાન થઈ ઢળી પડ્યો હતો. સ્થાનિક વન વિભાગની ટીમે હુમલો કરનાર દીપડાને પાંજરે પૂર્યો હતો. હાલ પતિની સારવાર ચાલી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે.

 
મહિલાએ દીપડાને પાવડાનો ઘા માર્યો અને બેભાન કરી દીધો

દીપડાનો આતંક કેટલાય દિવસોથી ગામની અંદર ચાલુ હતો. શિવડ ગામમાં 70-80 જેટલા લોકો વસે છે તેઓ દીપડાની ફરિયાદ કરી રહ્યા હતા. દીપડાએ શિવડ ગામના જલ્પાબેન,, વાજીબેન, મહેશભાઈ અને ગોવિંદભાઈ પર હુમલો કર્યો હતો. તમામ લોકોની સારવાર ચાલી રહી છે અને દીપડાને આંબરડી સફારી પાર્ક ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે.  

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.