અમરેલીઃ ધારીમાં દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો, મહિલાએ પતિને દીપડાથી બચાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-03 20:29:51

દીપડાએ પતિ પર હુમલો કરતા પત્નીએ પાવડાનો હાથો ઉપાડ્યો અને દીપડાના માથામાં ફટાકારી દીધો. દીપડો ઘાયલ થતાં બેભાન થઈ ઢળી પડ્યો.....  

દીપડાએ ચાર લોકો પર કર્યો હુમલો

અમરેલીના ધારી તાલુકાના શિવડ ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ પર દીપડાનો હુમલો થયો ત્યારે તેની પત્નીએ દોડીને પાવડાનો હાથો દીપડાના માથા પર મારી દીધો હતો. દીપડાને માથામાં વાગતા દીપડો બેભાન થઈ ઢળી પડ્યો હતો. સ્થાનિક વન વિભાગની ટીમે હુમલો કરનાર દીપડાને પાંજરે પૂર્યો હતો. હાલ પતિની સારવાર ચાલી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે.

 
મહિલાએ દીપડાને પાવડાનો ઘા માર્યો અને બેભાન કરી દીધો

દીપડાનો આતંક કેટલાય દિવસોથી ગામની અંદર ચાલુ હતો. શિવડ ગામમાં 70-80 જેટલા લોકો વસે છે તેઓ દીપડાની ફરિયાદ કરી રહ્યા હતા. દીપડાએ શિવડ ગામના જલ્પાબેન,, વાજીબેન, મહેશભાઈ અને ગોવિંદભાઈ પર હુમલો કર્યો હતો. તમામ લોકોની સારવાર ચાલી રહી છે અને દીપડાને આંબરડી સફારી પાર્ક ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે.  

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.