અમરેલીઃ ધારીમાં દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો, મહિલાએ પતિને દીપડાથી બચાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-03 20:29:51

દીપડાએ પતિ પર હુમલો કરતા પત્નીએ પાવડાનો હાથો ઉપાડ્યો અને દીપડાના માથામાં ફટાકારી દીધો. દીપડો ઘાયલ થતાં બેભાન થઈ ઢળી પડ્યો.....  

દીપડાએ ચાર લોકો પર કર્યો હુમલો

અમરેલીના ધારી તાલુકાના શિવડ ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ પર દીપડાનો હુમલો થયો ત્યારે તેની પત્નીએ દોડીને પાવડાનો હાથો દીપડાના માથા પર મારી દીધો હતો. દીપડાને માથામાં વાગતા દીપડો બેભાન થઈ ઢળી પડ્યો હતો. સ્થાનિક વન વિભાગની ટીમે હુમલો કરનાર દીપડાને પાંજરે પૂર્યો હતો. હાલ પતિની સારવાર ચાલી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે.

 
મહિલાએ દીપડાને પાવડાનો ઘા માર્યો અને બેભાન કરી દીધો

દીપડાનો આતંક કેટલાય દિવસોથી ગામની અંદર ચાલુ હતો. શિવડ ગામમાં 70-80 જેટલા લોકો વસે છે તેઓ દીપડાની ફરિયાદ કરી રહ્યા હતા. દીપડાએ શિવડ ગામના જલ્પાબેન,, વાજીબેન, મહેશભાઈ અને ગોવિંદભાઈ પર હુમલો કર્યો હતો. તમામ લોકોની સારવાર ચાલી રહી છે અને દીપડાને આંબરડી સફારી પાર્ક ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે.  

 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે