Amreli : દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ, સુરગપરામાં રમતાં રમતાં બાળકી ખુલ્લા બોરમાં પડી


  • Published By :
  • Published Date : 2024-06-14 16:47:10

બોરવેલમાં ફસાઈ જવાને કારણે અનેક બાળકોના જીવન સંકટમાં મૂકાઈ જતા હોય છે.. બોરવેલમાં ફસાયેલા બાળકોના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે અમરેલીથી... અમરેલીના સુરપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી ગઈ છે.. જે બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ છે જેની ઉંમર દોઢ વર્ષની છે. પરપ્રાંતિય ખેત મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.. 

girl falls into borewell


બાળકીની જિંદગી બચાવવાની થઈ રહી છે કોશિશ

બાળક રમતા રમતા અનેક વખત પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે. થોડા સમય પહેલા સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં સાતમા માળથી બાળક પટકાયું હતું.. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.. ત્યારે અમરેલીથી એક ઘટના સામે આવી છે જ્યાં બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ અને તેની જિંદગીને બચાવવાની કોશિશ થઈ રહી છે.. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બાળકને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે બાળકીને.. 

Girl falls into borewell in Amreli


દોઢ વર્ષની બાળકી ફસાઈ ગઈ બોરવેલમાં 

ખુલ્લા રાખવામાં આવતા બોરને કારણે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. બોર ખુલ્લો હોવાને કારણે નાનું બાળક અંદર જતું રહે છે, અંદર પડી જાય છે.. અનેક કિસ્સાઓ આપણી સામે છે.. રમતા રમતા બાળક તે બોરમાં પડી જાય છે અને તેની જિંદગી જોખમમાં મૂકાઈ જાય છે.. નાના બાળકને નથી ખબર હોતી કે આગળ બોરવેલ છે, તે બોરવેલ તેના માટે જોખમી છે. આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં બોરવેલમાં પડી જનાર બાળકી માત્ર દોઢ વર્ષની હતી.. પરપ્રાંતથી આવેલા મજૂરની બાળકી ભનુભાઈ ભીખાભાન કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં પડી ગઈ છે. 40થી 45 ફૂટ ઉંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. એવી માહિતી સામે આવી છે કે પ્રફૂલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આવા ખુલ્લા બોર રાખનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કરી છે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.