Amreli : દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ, સુરગપરામાં રમતાં રમતાં બાળકી ખુલ્લા બોરમાં પડી


  • Published By :
  • Published Date : 2024-06-14 16:47:10

બોરવેલમાં ફસાઈ જવાને કારણે અનેક બાળકોના જીવન સંકટમાં મૂકાઈ જતા હોય છે.. બોરવેલમાં ફસાયેલા બાળકોના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે અમરેલીથી... અમરેલીના સુરપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી ગઈ છે.. જે બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ છે જેની ઉંમર દોઢ વર્ષની છે. પરપ્રાંતિય ખેત મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.. 

girl falls into borewell


બાળકીની જિંદગી બચાવવાની થઈ રહી છે કોશિશ

બાળક રમતા રમતા અનેક વખત પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે. થોડા સમય પહેલા સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં સાતમા માળથી બાળક પટકાયું હતું.. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.. ત્યારે અમરેલીથી એક ઘટના સામે આવી છે જ્યાં બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ અને તેની જિંદગીને બચાવવાની કોશિશ થઈ રહી છે.. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બાળકને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે બાળકીને.. 

Girl falls into borewell in Amreli


દોઢ વર્ષની બાળકી ફસાઈ ગઈ બોરવેલમાં 

ખુલ્લા રાખવામાં આવતા બોરને કારણે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. બોર ખુલ્લો હોવાને કારણે નાનું બાળક અંદર જતું રહે છે, અંદર પડી જાય છે.. અનેક કિસ્સાઓ આપણી સામે છે.. રમતા રમતા બાળક તે બોરમાં પડી જાય છે અને તેની જિંદગી જોખમમાં મૂકાઈ જાય છે.. નાના બાળકને નથી ખબર હોતી કે આગળ બોરવેલ છે, તે બોરવેલ તેના માટે જોખમી છે. આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં બોરવેલમાં પડી જનાર બાળકી માત્ર દોઢ વર્ષની હતી.. પરપ્રાંતથી આવેલા મજૂરની બાળકી ભનુભાઈ ભીખાભાન કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં પડી ગઈ છે. 40થી 45 ફૂટ ઉંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. એવી માહિતી સામે આવી છે કે પ્રફૂલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આવા ખુલ્લા બોર રાખનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કરી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.