Amrut Kalash Yatra : Gujaratની માટી લઈ ઈલેક્ટ્રિક અને સીએનજી ગાડીઓ પહોંચી દિલ્હી


  • Published By :
  • Published Date : 2023-11-01 14:49:02

સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જગ્યાઓની માટી ભેગી કરવામાં આવી. ત્યારે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી આ અમૃત કળશ યાત્રા નિકળી હતી. આ વિધાનસભાની માટી ભેગી કરાઈ. આ યાત્રાની જવાબદારી વડોદરા મહાનગર સંગઠનને સોંપવામાં આવી હતી.આ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર અને 35 સીએનજી કાર આ યાત્રામાં સામેલ થઈ હતી. આ યાત્રાનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી કરવામાં આવ્યું હતું. 

યાત્રામાં જોડાઈ ઈલેક્ટ્રિક તેમજ સીએનજી ગાડીઓ

અમૃત કળશ યાત્રા પોતાનામાં એક એવો કાર્યક્રમ છે જે ન ભૂતો ન ભવિષ્યતી જેવો છે. વિશ્વભરમાં આવો કાર્યક્રમ નથી યોજવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન પર્યાયવરણને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન ગુજરાત દ્વારા રાખવામાં આવ્યું છે. પર્યાયવરણને નુકસાન ન થાય તે માટે અમૃત કળશ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર તેમજ 35 સીએનજી કારનો ઉપયોગ કરાયો છે. આ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરી અને માટી ભેગી કરી 31 ઓક્ટોબરે દિલ્હી પહોંચી છે. આ યાત્રાનો શુભારંભ 29-10-2023થી કરાયો હતો. 

શા માટે કરાયું 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમનું આયોજન?

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . 31 ઓક્ટોબર 2023એ આ યાત્રાનું સમાપન થયું છે. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદ્દેશ એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો હતો જેમણે પોતાના જીવનું બલિદાન દેશ માટે આપ્યું હતું. દેશના ખુણેખુણેથી અલગ અલગ કળશો દિલ્હી પહોંચ્યા હતા. ગ્રીન એનર્જીના સંદેશ સાથે ગુજરાતથી ગાડીઓ દિલ્હી પહોંચી.  



ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી