Amrut Kalash Yatra : Gujaratની માટી લઈ ઈલેક્ટ્રિક અને સીએનજી ગાડીઓ પહોંચી દિલ્હી


  • Published By :
  • Published Date : 2023-11-01 14:49:02

સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જગ્યાઓની માટી ભેગી કરવામાં આવી. ત્યારે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી આ અમૃત કળશ યાત્રા નિકળી હતી. આ વિધાનસભાની માટી ભેગી કરાઈ. આ યાત્રાની જવાબદારી વડોદરા મહાનગર સંગઠનને સોંપવામાં આવી હતી.આ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર અને 35 સીએનજી કાર આ યાત્રામાં સામેલ થઈ હતી. આ યાત્રાનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી કરવામાં આવ્યું હતું. 

યાત્રામાં જોડાઈ ઈલેક્ટ્રિક તેમજ સીએનજી ગાડીઓ

અમૃત કળશ યાત્રા પોતાનામાં એક એવો કાર્યક્રમ છે જે ન ભૂતો ન ભવિષ્યતી જેવો છે. વિશ્વભરમાં આવો કાર્યક્રમ નથી યોજવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન પર્યાયવરણને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન ગુજરાત દ્વારા રાખવામાં આવ્યું છે. પર્યાયવરણને નુકસાન ન થાય તે માટે અમૃત કળશ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર તેમજ 35 સીએનજી કારનો ઉપયોગ કરાયો છે. આ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરી અને માટી ભેગી કરી 31 ઓક્ટોબરે દિલ્હી પહોંચી છે. આ યાત્રાનો શુભારંભ 29-10-2023થી કરાયો હતો. 

શા માટે કરાયું 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમનું આયોજન?

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . 31 ઓક્ટોબર 2023એ આ યાત્રાનું સમાપન થયું છે. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદ્દેશ એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો હતો જેમણે પોતાના જીવનું બલિદાન દેશ માટે આપ્યું હતું. દેશના ખુણેખુણેથી અલગ અલગ કળશો દિલ્હી પહોંચ્યા હતા. ગ્રીન એનર્જીના સંદેશ સાથે ગુજરાતથી ગાડીઓ દિલ્હી પહોંચી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.