Amrut Kalash Yatra : Gujaratની માટી લઈ ઈલેક્ટ્રિક અને સીએનજી ગાડીઓ પહોંચી દિલ્હી


  • Published By :
  • Published Date : 2023-11-01 14:49:02

સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જગ્યાઓની માટી ભેગી કરવામાં આવી. ત્યારે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી આ અમૃત કળશ યાત્રા નિકળી હતી. આ વિધાનસભાની માટી ભેગી કરાઈ. આ યાત્રાની જવાબદારી વડોદરા મહાનગર સંગઠનને સોંપવામાં આવી હતી.આ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર અને 35 સીએનજી કાર આ યાત્રામાં સામેલ થઈ હતી. આ યાત્રાનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી કરવામાં આવ્યું હતું. 

યાત્રામાં જોડાઈ ઈલેક્ટ્રિક તેમજ સીએનજી ગાડીઓ

અમૃત કળશ યાત્રા પોતાનામાં એક એવો કાર્યક્રમ છે જે ન ભૂતો ન ભવિષ્યતી જેવો છે. વિશ્વભરમાં આવો કાર્યક્રમ નથી યોજવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન પર્યાયવરણને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન ગુજરાત દ્વારા રાખવામાં આવ્યું છે. પર્યાયવરણને નુકસાન ન થાય તે માટે અમૃત કળશ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર તેમજ 35 સીએનજી કારનો ઉપયોગ કરાયો છે. આ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરી અને માટી ભેગી કરી 31 ઓક્ટોબરે દિલ્હી પહોંચી છે. આ યાત્રાનો શુભારંભ 29-10-2023થી કરાયો હતો. 

શા માટે કરાયું 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમનું આયોજન?

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . 31 ઓક્ટોબર 2023એ આ યાત્રાનું સમાપન થયું છે. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદ્દેશ એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો હતો જેમણે પોતાના જીવનું બલિદાન દેશ માટે આપ્યું હતું. દેશના ખુણેખુણેથી અલગ અલગ કળશો દિલ્હી પહોંચ્યા હતા. ગ્રીન એનર્જીના સંદેશ સાથે ગુજરાતથી ગાડીઓ દિલ્હી પહોંચી.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.