AMCએ AMTS-BRTSનું ભાડું વધાર્યું, AMTS બસનું લઘુત્તમ ભાડું રૂ.3 થી વધારી 5 રૂપિયા કરાયું, 1 જુલાઈથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:42:40

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત  AMTS બસ સેવા અમદાવાદીઓની લાઈફલાઈન છે. આજે AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં થયેલી ચર્ચા-વિચારણાના અંતે નવા ભાવ વધારાનું લિસ્ટ સામે આવ્યું છે. અમદાવાદમાં AMTS બસના લધુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ AMTS બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી 5 રૂપિયા કરવામાં આવ્યું છે. 1 જુલાઈથી AMTS બસના ભાવમાં ફેરફાર અમલી બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે AMTS બસ ભાંડામાં 8 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો. 


મનપસંદ પાસ માટે રૂ.45 ચૂકવવા પડશે


AMTS બસના નવા ભાવવધારા પ્રમાણે, AMTSમાં મનપસંદ પાસના 35 રૂપિયા હતા તેને વધારીને 45 કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થી પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 400 કરવામાં આવ્યા છે.


માસિક પાસના રૂ. 1000 કરવામાં આવ્યા


તે જ પ્રકારે છોકરીઓના પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મનપસંદ પાસના એક મહિનાના પાસના 750 રૂપિયા હતા, તે વધારીને 1000 કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, ત્રિમાસિક પાસના 2 હજાર રૂપિયા હતા તેને વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યા છે.


હવે મિનિમમ ભાડું આ પ્રમાણે થશે


આ ઉપરાંત કોઈપણ જગ્યાની ટિકિટના ચાર્જ 5, 10, 15, 20, 25 અને 30 રૂપિયા હશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ નવું ભાડું આગામી 1લી જુલાઈએથી લાગુ કરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.