AMCએ AMTS-BRTSનું ભાડું વધાર્યું, AMTS બસનું લઘુત્તમ ભાડું રૂ.3 થી વધારી 5 રૂપિયા કરાયું, 1 જુલાઈથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:42:40

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત  AMTS બસ સેવા અમદાવાદીઓની લાઈફલાઈન છે. આજે AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં થયેલી ચર્ચા-વિચારણાના અંતે નવા ભાવ વધારાનું લિસ્ટ સામે આવ્યું છે. અમદાવાદમાં AMTS બસના લધુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ AMTS બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી 5 રૂપિયા કરવામાં આવ્યું છે. 1 જુલાઈથી AMTS બસના ભાવમાં ફેરફાર અમલી બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે AMTS બસ ભાંડામાં 8 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો. 


મનપસંદ પાસ માટે રૂ.45 ચૂકવવા પડશે


AMTS બસના નવા ભાવવધારા પ્રમાણે, AMTSમાં મનપસંદ પાસના 35 રૂપિયા હતા તેને વધારીને 45 કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થી પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 400 કરવામાં આવ્યા છે.


માસિક પાસના રૂ. 1000 કરવામાં આવ્યા


તે જ પ્રકારે છોકરીઓના પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મનપસંદ પાસના એક મહિનાના પાસના 750 રૂપિયા હતા, તે વધારીને 1000 કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, ત્રિમાસિક પાસના 2 હજાર રૂપિયા હતા તેને વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યા છે.


હવે મિનિમમ ભાડું આ પ્રમાણે થશે


આ ઉપરાંત કોઈપણ જગ્યાની ટિકિટના ચાર્જ 5, 10, 15, 20, 25 અને 30 રૂપિયા હશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ નવું ભાડું આગામી 1લી જુલાઈએથી લાગુ કરવામાં આવશે.



મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?