AMCએ AMTS-BRTSનું ભાડું વધાર્યું, AMTS બસનું લઘુત્તમ ભાડું રૂ.3 થી વધારી 5 રૂપિયા કરાયું, 1 જુલાઈથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:42:40

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત  AMTS બસ સેવા અમદાવાદીઓની લાઈફલાઈન છે. આજે AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં થયેલી ચર્ચા-વિચારણાના અંતે નવા ભાવ વધારાનું લિસ્ટ સામે આવ્યું છે. અમદાવાદમાં AMTS બસના લધુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ AMTS બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી 5 રૂપિયા કરવામાં આવ્યું છે. 1 જુલાઈથી AMTS બસના ભાવમાં ફેરફાર અમલી બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે AMTS બસ ભાંડામાં 8 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો. 


મનપસંદ પાસ માટે રૂ.45 ચૂકવવા પડશે


AMTS બસના નવા ભાવવધારા પ્રમાણે, AMTSમાં મનપસંદ પાસના 35 રૂપિયા હતા તેને વધારીને 45 કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થી પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 400 કરવામાં આવ્યા છે.


માસિક પાસના રૂ. 1000 કરવામાં આવ્યા


તે જ પ્રકારે છોકરીઓના પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મનપસંદ પાસના એક મહિનાના પાસના 750 રૂપિયા હતા, તે વધારીને 1000 કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, ત્રિમાસિક પાસના 2 હજાર રૂપિયા હતા તેને વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યા છે.


હવે મિનિમમ ભાડું આ પ્રમાણે થશે


આ ઉપરાંત કોઈપણ જગ્યાની ટિકિટના ચાર્જ 5, 10, 15, 20, 25 અને 30 રૂપિયા હશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ નવું ભાડું આગામી 1લી જુલાઈએથી લાગુ કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.