Narendra Modi Stadiumમાં રમાનારી India-Pak મેચને ધ્યાનમાં રાખી રાત્રે દોડાવાશે AMTS-BRTS Bus, જાણો શું કરાઈ છે વ્યવસ્થા?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:44:55

14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ યોજાવાની છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ક્રિકેટને લઈ ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ છે. આ મેચને જોવા લાખો પ્રેક્ષકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવશે તે સંભાવનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખી વિશેષ એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ ફાળવવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી આ બસ સેવાઓ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ શહેરમાં કોઈ પણ સ્થળે પહોંચવા માટે રૂપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે..

Narendra Modi Stadium - Narendra Modi Stadium

Narendra Modi Stadium: History, Capacity, Events & Significance

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની ટીમ વચ્ચે થશે ટક્કર 

જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની હોય ત્યારે ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અનેક લોકો તો એવા હોય છે ભલે મેચમાં ખબર ન પડતી હોય પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ છે તે માટે મેચ તો જોવી પડે તેવું માનતા હોય છે. લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બંને ટીમ વચ્ચે યોજાનારી મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા બળોનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની આસપાસ પોલીસને તૈનાત કરવામાં આવી છે. 

India vs Pakistan: Reliving all 7 previous IND vs PAK World Cup showdowns |  Cricket - Hindustan Times

Home | Amdavad Municipal Transport Services

એએમટીએસ બસોને મેચને ધ્યાનમાં રાખી દોડાવાશે    

મેચને ધ્યાનમાં રાખી વિશેષ ટ્રેનો તો દોડાવવામાં આવી છે. ટ્રેનનું બુકિંગ શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ હતી. વેઈટિંગ હતું. આ મેચને જોવા દૂર દૂરથી દર્શકો આવી રહ્યા છે. અમદાવાદની હોટલો ફૂલ થઈ ગઈ છે. ત્યારે સ્ટેડિયમ સુધી પહોંચવામાં દર્શકોને કોઈ અગવડ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને ધ્યાનમાં રાખી એ.એમ.ટી.એસની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સટ્રા બસ દોડાવવામા આવશે. પૂર્વ તેમજ પશ્ચિમ એમ બંનેના કુલ મળીને પાંચ પોઈન્ટ પર 50 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. 

Ahmedabad: Two brothers crushed to death by BRTS bus | Ahmedabad News -  Times of India

 બીઆરટીએસ બસ પણ રાત્રે ચલાવાશે 

ઉપરાંત બીઆરટીએસ બસની સુવિધા પણ કરવામાં આવી છે. બીઆરટીએસની 22 જેટલી એક્સ્ટ્રા બસ રૂટ ઉપરાંત દોડાવવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા હયાતરુટની ૪૫ બસ ઉપરાંત ૨૨ એકસ્ટ્રા બસ સાથે કુલ ૬૭ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી લોકોને મુકવા અને પરત લાવવા માટે રાત્રિના ૧ વાગ્યા સુધી બસ દોડાવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની રુટની ૬૯ ઉપરાંત નાઈટની પચાસ બસ મળી કુલ ૧૧૯ બસ વિશ્વકપની મેચ માટે ફાળવવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.