Narendra Modi Stadiumમાં રમાનારી India-Pak મેચને ધ્યાનમાં રાખી રાત્રે દોડાવાશે AMTS-BRTS Bus, જાણો શું કરાઈ છે વ્યવસ્થા?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:44:55

14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ યોજાવાની છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ક્રિકેટને લઈ ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ છે. આ મેચને જોવા લાખો પ્રેક્ષકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવશે તે સંભાવનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખી વિશેષ એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ ફાળવવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી આ બસ સેવાઓ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ શહેરમાં કોઈ પણ સ્થળે પહોંચવા માટે રૂપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે..

Narendra Modi Stadium - Narendra Modi Stadium

Narendra Modi Stadium: History, Capacity, Events & Significance

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની ટીમ વચ્ચે થશે ટક્કર 

જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની હોય ત્યારે ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અનેક લોકો તો એવા હોય છે ભલે મેચમાં ખબર ન પડતી હોય પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ છે તે માટે મેચ તો જોવી પડે તેવું માનતા હોય છે. લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બંને ટીમ વચ્ચે યોજાનારી મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા બળોનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની આસપાસ પોલીસને તૈનાત કરવામાં આવી છે. 

India vs Pakistan: Reliving all 7 previous IND vs PAK World Cup showdowns |  Cricket - Hindustan Times

Home | Amdavad Municipal Transport Services

એએમટીએસ બસોને મેચને ધ્યાનમાં રાખી દોડાવાશે    

મેચને ધ્યાનમાં રાખી વિશેષ ટ્રેનો તો દોડાવવામાં આવી છે. ટ્રેનનું બુકિંગ શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ હતી. વેઈટિંગ હતું. આ મેચને જોવા દૂર દૂરથી દર્શકો આવી રહ્યા છે. અમદાવાદની હોટલો ફૂલ થઈ ગઈ છે. ત્યારે સ્ટેડિયમ સુધી પહોંચવામાં દર્શકોને કોઈ અગવડ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને ધ્યાનમાં રાખી એ.એમ.ટી.એસની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સટ્રા બસ દોડાવવામા આવશે. પૂર્વ તેમજ પશ્ચિમ એમ બંનેના કુલ મળીને પાંચ પોઈન્ટ પર 50 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. 

Ahmedabad: Two brothers crushed to death by BRTS bus | Ahmedabad News -  Times of India

 બીઆરટીએસ બસ પણ રાત્રે ચલાવાશે 

ઉપરાંત બીઆરટીએસ બસની સુવિધા પણ કરવામાં આવી છે. બીઆરટીએસની 22 જેટલી એક્સ્ટ્રા બસ રૂટ ઉપરાંત દોડાવવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા હયાતરુટની ૪૫ બસ ઉપરાંત ૨૨ એકસ્ટ્રા બસ સાથે કુલ ૬૭ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી લોકોને મુકવા અને પરત લાવવા માટે રાત્રિના ૧ વાગ્યા સુધી બસ દોડાવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની રુટની ૬૯ ઉપરાંત નાઈટની પચાસ બસ મળી કુલ ૧૧૯ બસ વિશ્વકપની મેચ માટે ફાળવવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.