Narendra Modi Stadiumમાં રમાનારી India-Pak મેચને ધ્યાનમાં રાખી રાત્રે દોડાવાશે AMTS-BRTS Bus, જાણો શું કરાઈ છે વ્યવસ્થા?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:44:55

14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ યોજાવાની છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ક્રિકેટને લઈ ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ છે. આ મેચને જોવા લાખો પ્રેક્ષકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવશે તે સંભાવનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખી વિશેષ એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ ફાળવવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી આ બસ સેવાઓ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ શહેરમાં કોઈ પણ સ્થળે પહોંચવા માટે રૂપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે..

Narendra Modi Stadium - Narendra Modi Stadium

Narendra Modi Stadium: History, Capacity, Events & Significance

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની ટીમ વચ્ચે થશે ટક્કર 

જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની હોય ત્યારે ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અનેક લોકો તો એવા હોય છે ભલે મેચમાં ખબર ન પડતી હોય પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ છે તે માટે મેચ તો જોવી પડે તેવું માનતા હોય છે. લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બંને ટીમ વચ્ચે યોજાનારી મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા બળોનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની આસપાસ પોલીસને તૈનાત કરવામાં આવી છે. 

India vs Pakistan: Reliving all 7 previous IND vs PAK World Cup showdowns |  Cricket - Hindustan Times

Home | Amdavad Municipal Transport Services

એએમટીએસ બસોને મેચને ધ્યાનમાં રાખી દોડાવાશે    

મેચને ધ્યાનમાં રાખી વિશેષ ટ્રેનો તો દોડાવવામાં આવી છે. ટ્રેનનું બુકિંગ શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ હતી. વેઈટિંગ હતું. આ મેચને જોવા દૂર દૂરથી દર્શકો આવી રહ્યા છે. અમદાવાદની હોટલો ફૂલ થઈ ગઈ છે. ત્યારે સ્ટેડિયમ સુધી પહોંચવામાં દર્શકોને કોઈ અગવડ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને ધ્યાનમાં રાખી એ.એમ.ટી.એસની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સટ્રા બસ દોડાવવામા આવશે. પૂર્વ તેમજ પશ્ચિમ એમ બંનેના કુલ મળીને પાંચ પોઈન્ટ પર 50 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. 

Ahmedabad: Two brothers crushed to death by BRTS bus | Ahmedabad News -  Times of India

 બીઆરટીએસ બસ પણ રાત્રે ચલાવાશે 

ઉપરાંત બીઆરટીએસ બસની સુવિધા પણ કરવામાં આવી છે. બીઆરટીએસની 22 જેટલી એક્સ્ટ્રા બસ રૂટ ઉપરાંત દોડાવવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા હયાતરુટની ૪૫ બસ ઉપરાંત ૨૨ એકસ્ટ્રા બસ સાથે કુલ ૬૭ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી લોકોને મુકવા અને પરત લાવવા માટે રાત્રિના ૧ વાગ્યા સુધી બસ દોડાવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની રુટની ૬૯ ઉપરાંત નાઈટની પચાસ બસ મળી કુલ ૧૧૯ બસ વિશ્વકપની મેચ માટે ફાળવવામાં આવી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી